સૌરાષ્ટ્રમાં ખેડૂતોની વીજકાપની ઉઠેલી ફરિયાદો મામલે PGVCLનું નિવેદન, આજથી વીજળીની સમસ્યાનો અંત આવી જશે

જૂનાગઢ જિલ્લાના ગલિયાવાડાના ખેડૂતોને સમયસર વીજળી ન મળાનો આક્ષેપ કર્યો હતો. સોમવારે જિલ્લાના 300 જેટલા ફીડરો બંધ હોવાથી ખેડૂતો પિયત પાણી ન પીવડાવી શકયા.

સૌરાષ્ટ્રમાં ખેડૂતોની વીજકાપની ઉઠેલી ફરિયાદો મામલે PGVCLનું નિવેદન, આજથી વીજળીની સમસ્યાનો અંત આવી જશે
Electricity crises to end soon in Rajkot, said PGVCL MD
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 16, 2022 | 7:24 AM

સોમવારે સૌરાષ્ટ્રમાં (Saurashtra) વીજકાપ (Power cut)ને પગલે ખેડુતો પોતાના પાકને પિયત ન આપી શકયા હોવાની ફરિયાદ ઉઠી હતી. વિધાનસભામાં પણ ગઇકાલે આ મુદ્દો ગુંજ્યો હતો. ત્યારે સૌરાષ્ટ્રમાં ખેડૂતોની (Farmers) વીજકાપની ઉઠેલી ફરિયાદો મામલે PGVCLનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. આજથી વીજળીની સમસ્યાનો અંત આવી જશે એવું PGVCLના એમડીએ સ્પષ્ટ કર્યુ છે.

આજથી એટલે કે બુધવારથી જ વીજળીની સમસ્યાનો અંત આવી જશે. સૌરાષ્ટ્રમાં ખેડૂતોને વીજકાપ પર PGVCLએ આ મહત્વનું નિવેદન આપ્યુ છે. MD વરૂણકુમાર બરૂનવાલનું કહેવું છે કે હવે એકપણ ફિડરમાં વીજકાપ નથી અને છેલ્લા બે-ત્રણ દિવસથી વીજ સપ્લાય ઓછો હોવાથી સમસ્યા સર્જાઈ હતી. “વીજળીની માગ વધારે હતી, જેની સામે ઉત્પાદન ઓછું હોવાથી આ સમસ્યા સર્જાઇ હોવાનું તેમણે જણાવ્યુ છે. “અદાણી અને ટોરેન્ટ પાવરે વીજળી આપતા હવે સ્થિતિ નિયંત્રણમાં આવી છે. તેમણે એમ પણ કહ્યું કે “તમામ ખેડૂતો, ધારાસભ્ય પદાધિકારીઓને પણ સ્થિતિ સામાન્ય હોવાની જાણ કરી દેવાઈ છે.

અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે

મહત્વનું છે કે જૂનાગઢ જિલ્લાના ગલિયાવાડાના ખેડૂતોને સમયસર વીજળી ન મળાનો આક્ષેપ કર્યો હતો. સોમવારે જિલ્લાના 300 જેટલા ફીડરો બંધ હોવાથી ખેડૂતો પિયત પાણી ન પીવડાવી શકયા. ખેડૂતો રાતભર જાગી વીજ વિભાગના અધિકારીઓ સાથે વાત કરી છતાં કોઈ જવાબ ન આપ્યો હોવાનું ખેડૂતોએ જણાવ્યુ છે. 24 કલાકમાં માત્ર બે કલાક વીજળી મળતી હોવાનો ખેડૂતો આરોપ લગાવ્યો હતો

સમસયર વીજળી ન મળતા ખેડૂતોના ઉનાળુ પાકને મોટુ નુકસાન થઈ રહ્યું છે. ખેડૂતોએ કહ્યું, પાણી છે, પરંતુ વીજળી નથી તો કેવી રીતે ખેતી કરવી. વીજળી ન મળવાથી મજૂરને 300 રૂપિયા આપવાના કેવી રીતે પોસાય. વારંવાર રજૂઆત કરવા છતાં જેટકો અને વીજ વિભાગના અધિકારીઓ ફોન પર એકબીજા પર આરોપ ઢોળી રહ્યા છે.

ત્યારે હવે PGVCL તરફથી ખેડૂતોને વીજળીની સમસ્યા નહીં રહે તેવુ આશ્વાસન આપવામાં આવ્યુ છે ત્યારે જોવુ રહ્યુ કે ખરેખર ખેડૂતોની સમસ્યાનો અંત આવશે કે કેમ.

આ પણ વાંચો-

Surat: ભટાર વિસ્તારમાં બાઇક સવાર પાસેથી 18 લાખની ચિલઝડપ, પોલીસે તપાસ શરૂ કરી

આ પણ વાંચો-

Rajkot: સૌરાષ્ટ્રની પ્રથમ સ્કીન બેંક શરૂ થશે, ગંભીર રીતે દાઝેલા અને અકસ્માતનો ભોગ બનેલા દર્દીઓ માટે આશીર્વાદરૂપ બનશે

Latest News Updates

રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
g clip-path="url(#clip0_868_265)">