Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cyclone Biparjoy: 8 જિલ્લામાંથી 37,794 લોકોનુ કરાયું સ્થળાંતર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે, વહીવટી તંત્રના આયોજનની મેળવી વિગતો

Gandhinagar: વાવાઝોડાને લઈને તોળાઈ રહેલા સંભવિત સંકટ સામે વહીવટી તંત્ર દ્વારા આગોતરી તૈયારીઓ કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વહીવટીતંત્ર દ્વારા કરાયેલા આયોજનની ઉચ્ચસ્તરીય બેઠકમાં વિગતો મેળવી હતી. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરમાં મુખ્ય સચિવ સહિતના ઉચ્ચ સચિવો પાસેથી સીએમએ વિસ્તૃત માહિતી મેળવી હતી.

Cyclone Biparjoy: 8 જિલ્લામાંથી 37,794 લોકોનુ કરાયું સ્થળાંતર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે, વહીવટી તંત્રના આયોજનની મેળવી વિગતો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 13, 2023 | 11:12 PM

રાજ્યમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં બિપોરજોય વાવાઝોડાના તોળાઇ રહેલા સંભવિત સંકટને પગલે સર્જાયેલી પરિસ્થિતીની અદ્યતન માહિતી મેળવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરમાં મંગળવારે સાંજે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચ્યા હતા. દરિયાકાંઠા વિસ્તારોમાં વરસાદ, તીવ્ર ગતિએ પવન ફૂંકાવો તથા વાતાવરણમાં આવેલા બદલાવ સામે તંત્રની સજ્જતા અંગે તેમણે ઉચ્ચસ્તરીય બેઠકમાં વિગતો મેળવી હતી.

8 જિલ્લાઓમાં 37,794 લોકોને સલામત સ્થળે સ્થળાંતરિત કરાયા

મુખ્ય સચિવ રાજકુમારે જિલ્લા વહીવટીતંત્ર સાથે યોજેલી બેઠકની માહિતી મુખ્યમંત્રીને આપતા જણાવ્યું કે સુરક્ષા અને સલામતીના પગલાંના ભાગરૂપે અત્યાર સુધી કચ્છ, પોરબંદર, જુનાગઢ, જામનગર, દેવભૂમિ-દ્વારકા, ગીર-સોમનાથ, મોરબી અને રાજકોટ એમ કુલ 8 જિલ્લાઓમાં 37,794 લોકોને સલામત સ્થળે સ્થળાંતરિત કરાયા છે. આ 8 જિલ્લાઓમાંથી 6229 અગરિયા ભાઈબહેનોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે

આઠ જિલ્લામાં જીવનરક્ષક દવા, આધુનિક સાધનો, જનરેટરથી સજજ 239 એમ્બ્યુલન્સ સાથે આરોગ્યતંત્ર તૈયાર

આરોગ્ય વિભાગની સજ્જતા અંગે જરૂરી દવાઓ તથા અન્ય સામગ્રીના જથ્થાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ જિલ્લાઓમાં 521 જેટલા પી.એચ.સી., સી.એચ.સી., હોસ્પિટલને આરોગ્ય-રક્ષક દવા, સાધનો, જનરેટરથી સજ્જ કરવામાં આવ્યા છે. પૂર સંભવિત વિસ્તારોમાં 157 (108) એમ્બ્યુલન્સ સેવાઓ સહિત કુલ 239 એમ્બ્યુલન્સ પણ ઉપલબ્ધ છે. કચ્છમાં સંભવિત વિકટ સ્થિતીમાં આરોગ્ય સુવિધા જાળવી રાખવા 4 સી.ડી.એચ.ઓ – 15 મેડીકલ ઓફિસર-સંયુકત પશુપાલન નિયામક ફરજરત કરવામાં આવ્યા છે.

Beetroot: દરરોજ બીટનો રસ પીવાના ફાયદા અને ગેરફાયદા શું છે?
રાતભર ચલાવો AC તો પણ વધારે નહીં આવે બિલ, આ ટ્રિકથી બચી જશે પૈસા
Air Coolers : ઉનાળામાં ઠંડી હવા આપશે આ 5 સસ્તા કુલર, કિંમત 5000 રૂપિયાથી ઓછી
કાવ્યાની ટીમના 23 વર્ષના ખેલાડીએ IPLમાં પોતાની પહેલી અડધી સદી ફટકારી
શેરડીના રસમાં કયા વિટામિન ભરપૂર હોય છે?
મુકેશ અંબાણીની Jio યુઝર્સને ભેટ, 365 દિવસના પ્લાનમાં મળશે 912.5 GB ડેટા ફ્રી !

માર્ગ પરની આડશો દૂર કરવા, વીજપુરવઠાની પુનઃસ્થાપન માટે માર્ગ મકાન-ઊર્જા વિભાગની 712 ટીમ તૈયાર

ગુજરાતમાં વિનાશક વાવાઝોડા બિપરજોયની તારાજીમાંથી લોકોને બચાવવા માટે એન.ડી.આર.એફ.ની 15 તથા એસ.ડી.આર.એફ.ની 12 ટીમો તહેનાત કરાઈ છે. માર્ગને થનારા સંભવિત નુકસાનને પહોચી વળવા માટે, માર્ગ અને મકાન વિભાગની 115 ટીમ અને ઊર્જા વિભાગની 597 ટીમ સતર્ક કરાઈ છે. જે સંભવિત આપત્તિમાં માર્ગ પરની આડશો, દુરસ્તીકામ તથા વીજપુરવઠાની વિપરિત અસરો સામે પુનઃસ્થાપન માટે સજ્જ છે. 167 જે.સી.બી, 230 ડમ્પર સહિત 924 મશીનરી અને વાહનો સાથે માર્ગ-મકાન વિભાગ સજ્જ થયુ છે. કચ્છમાં એસ.ઇ. ને ખાસ ફરજ સોંપાઇ છે.

આ પણ વાંચો : Cyclone Biparjoy : બિપરજોય વાવાઝોડાને લઈ તંત્રની સજ્જતા, દરેક જિલ્લાઓમાં કંટ્રોલ રૂમ કરાયા કાર્યરત, 24/7 સહાય માટે કંટ્રોલરૂમ કાર્યરત રાખવા અનુરોધ

વિનાશક વાવાઝોડા બિપરજોયથી બચાવવા આઠ જિલ્લામાંથી 37,794 લોકોનું કરાવ્યું સ્થળાંતર

ગુજરાત સરકારે વિનાશક વાવાઝોડા બિપરજોય સામે ઝીરો ટોલરન્સની નીતિને ધ્યાને લઈને, આઠ જિલ્લામાંથી 37,794 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાવવામાં આવ્યું છે. 869 મીઠા અગરના 6229 અગરિયાઓને પણ અન્યત્ર શિફ્ટ કરવામાં આવ્યા છે.

 ગાંધીનગર સહિત  ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

31 માર્ચથી 3 એપ્રિલ સુધી આ જિલ્લામાં રહેશે વરસાદી માહોલ
31 માર્ચથી 3 એપ્રિલ સુધી આ જિલ્લામાં રહેશે વરસાદી માહોલ
આજથી ચૈત્ર મહિનાનો પ્રારંભ, શક્તિપીઠ સહિતના મંદિરોમાં લાગી ભક્તોની ભીડ
આજથી ચૈત્ર મહિનાનો પ્રારંભ, શક્તિપીઠ સહિતના મંદિરોમાં લાગી ભક્તોની ભીડ
મુસ્લિમોનો અત્યાચાર ભૂલવાનો નથી - પૂર્વ નાયબ CM નીતિન પટેલ
મુસ્લિમોનો અત્યાચાર ભૂલવાનો નથી - પૂર્વ નાયબ CM નીતિન પટેલ
પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં અશ્લીલ હરકત કરતા 2 તબીબને કરાયા ટર્મિનેટ
પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં અશ્લીલ હરકત કરતા 2 તબીબને કરાયા ટર્મિનેટ
મંજુસર GIDCમાં ટાઈલ્સનો પાઉડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
મંજુસર GIDCમાં ટાઈલ્સનો પાઉડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
Rajkot : ન્યારી ડેમ રોડ પર થયેલા અકસ્માત ચોંકાવનારા CCTV આવ્યા સામે
Rajkot : ન્યારી ડેમ રોડ પર થયેલા અકસ્માત ચોંકાવનારા CCTV આવ્યા સામે
Dwarka : ખંભાળિયામાં દારુની હેરાફેરી ઝડપાઈ
Dwarka : ખંભાળિયામાં દારુની હેરાફેરી ઝડપાઈ
ભર ઉનાળે કમોસમી વરસાદની આગાહી, આ તારીખે કેટલાક જિલ્લાઓમાં પડશે માવઠું
ભર ઉનાળે કમોસમી વરસાદની આગાહી, આ તારીખે કેટલાક જિલ્લાઓમાં પડશે માવઠું
WITT 2025: જયા કિશોરી એક સારી કથાકાર છે, ધીરેન્દ્ર શાસ્ત્રીએ શું કહ્યુ
WITT 2025: જયા કિશોરી એક સારી કથાકાર છે, ધીરેન્દ્ર શાસ્ત્રીએ શું કહ્યુ
g clip-path="url(#clip0_868_265)">