Gandhinagar : હર ઘર તિરંગા અભિયાનમાં ભાજપ પ્રદેશ યુવા મોરચો જોડાશે, યુવાનોને આઝાદીનું મહત્વ સમજાવવા વિવિધ કાર્યક્રમો યોજશે

આજે ગાંધીનગરમાં (Gandhinagar) ભાજપ પ્રદેશ યુવા મોરચાની (BJP Pradesh Yuva Morcha) બેઠક મળી હતી. હર ઘર તિરંગા અભિયાનમાં યુવા મોરચાએ પણ જોડાવાનો નિર્ણય લીધો છે.

Gandhinagar : હર ઘર તિરંગા અભિયાનમાં ભાજપ પ્રદેશ યુવા મોરચો જોડાશે, યુવાનોને આઝાદીનું મહત્વ સમજાવવા વિવિધ કાર્યક્રમો યોજશે
હર ઘર તિરંગા યાત્રામાં ભાજપ યુવા મોરચો પણ જોડાશે (પ્રતિકાત્મક તસવીર)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 02, 2022 | 6:04 PM

ગુજરાતમાં (Gujarat) આ વર્ષે 15 ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા પર્વની ઉજવણી ખૂબ જ ધામધૂમપૂર્વક થવા જઇ રહી છે. દેશ આઝાદ થયાને 75 વર્ષ થઈ રહ્યાં હોવાથી આ વર્ષે  દેશના નાગરિકો રાષ્ટ્રપ્રેમના રંગે રંગાય અને સ્વતંત્રતા પર્વની ઉજવણી કરે તે હેતુથી કેન્દ્ર સરકારે હર ઘર તિરંગા અભિયાન જાહેર કર્યું છે. જેના પગલે આજે ગાંધીનગરમાં (Gandhinagar) ભાજપ પ્રદેશ યુવા મોરચાની (BJP Pradesh Yuva Morcha) બેઠક મળી હતી. હર ઘર તિરંગા અભિયાનમાં યુવા મોરચાએ પણ જોડાવાનો નિર્ણય લીધો છે. હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત યુવા મોરચા દ્વારા 9 ઓગસ્ટથી 14 ઓગસ્ટ સુધી અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે.

ભાજપ પ્રદેશ યુવા મોરચાની બેઠક  મળી

ગાંધીનગરમાં આજે ભાજપ પ્રદેશ યુવા મોરચાની બેઠક મળી હતી. હવે સરકારના હર ઘર તિરંગા અભિયાનમાં યુવા મોરચો જોડાશે. ભાજપ પ્રદેશ યુવા મોરચા દ્વારા 9 થી 11 ઓગસ્ટ દરમિયાન તિરંગા યાત્રા કરવામાં આવશે. 11 ઓગસ્ટે સ્વતંત્રતા સેનાનીઓની પ્રતિમાને પુષ્પાંજલિ આપવામાં આવશે. 14 ઓગસ્ટે વિભાજન વિભીષીકા દિવસએ મશાલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યુ છે. હર ઘર તિરંગા અભિયાનમાં યુવાનોને આઝાદીનું મહત્વ સમજાવવા જોડાશે.

રાજ્યમાં સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન મહત્વપૂર્ણ ભૂમિકાઓના સાક્ષી રહેલા 7 ઐતિહાસિક સ્થળોએ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. હર ઘર તિરંગા અભિયાન માટે એવા 7 સ્થળોને પસંદ કરવામાં આવ્યા છે કે જે સ્વાતંત્ર્ય સંગ્રામના સાક્ષી બન્યા હોય અને જે સ્થળો સાથે આઝાદીની લડત માટેની કોઇને કોઇ કહાની જોડાયેલી હોય.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

1 કરોડ તિરંગા લહેરાવવામાં આવશે

ગુજરાતમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારના ઘરોમાં કુલ 1 કરોડ તિરંગા ફરકાવવામાં આવશે. તે સિવાય દરેક સરકારી કચેરીઓમાં પણ તિરંગો લહેરાવવામાં આવશે. આ અભિયાન ઓગષ્ટ 13થી 15 સુધી ચાલશે જેમાં સમગ્ર દેશમાં અલગ અલગ સ્થળોએ ઉજવણી કરવામાં આવશે.

Latest News Updates

રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
g clip-path="url(#clip0_868_265)">