AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dahod: કુપોષણ દુર કરવાની વાતો વચ્ચે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે ચેડા, શાળામાં જીવાતવાળુ અનાજ વિતરણ કરાતા વાલીઓમાં રોષ

દાહોદ (Dahod) જિલ્લાના ફતેપપુરાના ભીચોર પ્રાથમિક શાળામાં મધ્યાન ભોજન અંતર્ગત બાળકોને સડેલા અને અખાદ્ય ચોખા આપવામાં આવતા વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.

Dahod: કુપોષણ દુર કરવાની વાતો વચ્ચે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે ચેડા, શાળામાં જીવાતવાળુ અનાજ વિતરણ કરાતા વાલીઓમાં રોષ
દાહોદ જિલ્લાની શાળામાં સડેલા અનાજનું વિતરણ
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 01, 2022 | 2:15 PM
Share

દાહોદ (Dahod) જિલ્લામાં પુરવઠા વિભાગની (Supply Department) બેદરકારી સામે આવી છે. દાહોદના ભીચોર પ્રાથમિક શાળામા નાના બાળકોને મધ્યાહન ભોજન (Mid day meal) અંતર્ગત સડેલું અનાજ આપવામાં આવતા વિવાદ થયો છે. સરકારી અનાજની દુકાન પરથી શાળા સંચાલકને ચોખા આપવામાં આવ્યા હતા. ત્યારે વિદ્યાર્થીઓને અખાદ્ય અનાજ આપતા વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.

મધ્યાહન ભોજન માટે અપાયુ સડેલુ અનાજ

દાહોદ જિલ્લાના ફતેપપુરાના ભીચોર પ્રાથમિક શાળામાં મધ્યાન ભોજન અંતર્ગત બાળકોને સડેલા અને અખાદ્ય ચોખા આપવામાં આવતા વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. સરકાર દ્વારા બાળકોને આપવામાં આવતુ મધ્યાહન ભોજન પૌષ્ટિક અને ગુણવત્તાસભર આપવા અંગેનો પરિપત્ર જાહેર કરવામા આવેલો છે.

બાળકોને આપવામાં આવતા અનાજને પહેલા આચાર્ય તેમજ શિક્ષકો દ્વારા ચકાસણી કરવામાં આવે છે. પરંતુ ભીચોર પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા આ પરિપત્રના જાણે કે ધજાગરા ઉડતા જોવા મળી રહ્યા છે. જયારે આ અનાજ આચાર્ય દ્વારા જાતે જ વિતરણ કરવામા આવ્યું હોવાનુ બાળકો તેમજ બાળકોના વાલીઓ દ્વારા જણાવેલ છે જે બાબતે આચાર્યનો સંપર્ક કરતા આચાર્ય જવાબ આપવાનુ ટાળ્યું હતું.

લેબ ટેસ્ટ બાદ અપાય છે અનાજ, કઠોળ: પુરવઠા વિભાગ

સડેલા ચોખા મળી આવતા આ શાળાના આચાર્યનો સંપર્ક કરતા આચાર્ય દ્વારા એસ.એમ.સી. સભ્યોની હાજરીમાં અનાજનો જથ્થો લીધાનું જણાવવામાં આવ્યુ. બીજી તરફ જયારે આ બાબતે મામલતદાર ફતેપુરા અને નાયબ મામલતદાર સાથે સંપર્ક કર્યો તો તેમણે ફોન જ રીસીવ ન કર્યો. પુરવઠા વિભાગના ડેપો મેનેજરને પુછતાં તેમણે જણાવ્યું હતું કે, અમારી પાસે આવો કોઈ મુદ્દો આવ્યો નથી અને જણાવવામાં આવ્યુ કે કોઈ પણ મધ્યાહન ભોજન માટે મોકલવામાં આવતા ચોખા કે કઠોળને અમે અહીંયા લેબ ટેસ્ટ કરી અને ત્યારબાદ જ મોકલીએ છીએ.

સવાલ એ છે કે જો ગોડાઉનમાંથી આનાજ ચકાસણી કર્યા બાદ ટેસ્ટ કર્યા પછી જ અનાજ નો જથ્થો મોકલવામા આવે છે તો આ સડેલા ચોખા આવ્યા ક્યાંથી? એક તરફ બાળકોને કુપોષણથી બચાવવા માટે સરકાર દિવસરાત એક કરી ગુજરાતના કુપોષિત બાળકોના આંકડા ઓછા કરવા માટે મહેનત કરી રહી છે અને બીજી તરફ આવી હલકી ગુણવત્તાનું અનાજ બાળકો માટે મોકલી અને તેમના આરોગ્ય સાથે ચેડાં કરવામાં આવી રહ્યા છે.

Follow Us
તમારા વજન પર નજર રાખો, અણધાર્યા નફાનો લાભ થશે
તમારા વજન પર નજર રાખો, અણધાર્યા નફાનો લાભ થશે
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
g clip-path="url(#clip0_868_265)">