AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dahod: કહેવાતા સ્માર્ટસિટીની વરવી હકીકત, સ્થાનિકોને મળે છે ગટરયુક્ત ડહોળુ પીવાનું પાણી

દાહોદ (Dahod) વોર્ડ નંબર 8 અને 9માં વારંવાર પાલિકાના સત્તાધિશોને આ મામલે રજુઆત પણ કરવામાં આવી છે પરંતુ હાલ સુધી આ સમસ્યાનું કોઈ યોગ્ય નિરાકરણ આવ્યું નથી.

Dahod: કહેવાતા સ્માર્ટસિટીની વરવી હકીકત, સ્થાનિકોને મળે છે ગટરયુક્ત ડહોળુ પીવાનું પાણી
Symbolic Image
TV9 Gujarati
| Edited By: | Updated on: May 29, 2022 | 3:08 PM
Share

વાત કરીએ કહેવાતા સ્માર્ટસિટી દાહોદની (Dahod) તો વિકાસના બણગા તો ખૂબ ફૂંકવામાં આવે છે, પરંતુ કેટલાક વિસ્તારોમાં પ્રાથમિક સમસ્યાઓ સામે જ લોકો ઝઝૂમી રહ્યા છે. ઘણા વિસ્તારોમાં નળ ચાલુ કરો તો કાળુ પાણી આવે છે. પીવાનું પાણી (Drinking water) ગટર જેવું ગંદુ આવે છે. દાહોદ શહેરના રૂસ્તમપુરાથી લઈને ભોઈવાડા વિસ્તારમાં પીવાનું પાણી દુર્ગંધયુક્ત ડહોળુ આવે છે. જેના કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. લોકો વેચાતુ પાણી પીવા મજબૂર બન્યા છે. રૂસ્તમપુરાથી માંડી ભોઈવાડા વિસ્તારમાં છેલ્લા કેટલાંક દિવસોથી પીવાનું પાણી દુર્ગંધ મારતું પાણી આવતાં સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. પાલિકાના (Dahod Corporation) સત્તાધીશોને આ મામલે રજુઆત પણ કરવામાં આવી છે. છતા હજુ પણ કોઇ કામગીરી કરવામાં આવી નથી.

સ્માર્ટ સીટી દાહોદમાં દિન પ્રતિદિન વિકાસના કામોમાં હરણફાળ ગતિએ કામગીરી થઈ રહી છે પરંતુ ઘણા એવા વિસ્તારો છે ત્યા સુવિધાના નામે હાલ પણ મીંડુ છે. અહીંના રૂસ્તમપુરાથી માંડી ભોઈવાડા વિસ્તારમાં નળમાંથી જે પાણી આવે છે તે પીવાલાયક પણ નથી અને વાપરવા લાયક પણ નથી. આ અંગે સત્તાધીશોને અનેક રજૂઆતો કરવામાં આવી છે. પરંતુ હજુ સુધી સમસ્યાનો કોઈ જ ઉકેલ નથી આવ્યો.

દાહોદ શહેરના ઘણા વિસ્તારોમાં સ્વચ્છતાનો અભાવ, જ્યાં જુઓ ત્યાં ગંદકી, પાણીની સમસ્યા વિગેરે જેવી અનેક સમસ્યાઓથી શહેરવાસીઓ હાલ પણ હેરાન પરેશાન છે, ત્યારે દાહોદ શહેરના રૂસ્તમપુરાથી માંડી ભોઈવાડા વિસ્તારમાં પીવાના પાણીમાં દુર્ગંધ મારતું પાણી તેમજ ડહોળુ પાણી આવતાં સ્થાનિકો પીવાના પાણી માટે ભારે વલખા મારી રહ્યાં છે. સ્થાનિકોમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે. દાહોદ વોર્ડ નંબર 8 અને 9માં વારંવાર પાલિકાના સત્તાધિશોને આ મામલે રજુઆત પણ કરવામાં આવી છે પરંતુ હાલ સુધી આ સમસ્યાનું કોઈ યોગ્ય નિરાકરણ આવ્યું નથી.

Follow Us
તમારા વજન પર નજર રાખો, અણધાર્યા નફાનો લાભ થશે
તમારા વજન પર નજર રાખો, અણધાર્યા નફાનો લાભ થશે
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
g clip-path="url(#clip0_868_265)">