VIDEO:સુરતથી પરપ્રાંતિયોને વતન લઈ જવા ટ્રેન રવાના
પરપ્રાંતિયોને વતન લઈ જવા સુરતથી ખાસ ટ્રેન દોડાવવામાં આવી રહી છે. 1127 જેટલા લોકોને પાલિકાની 60 જેટલી બસોમાં બેસાડી રેલવે સ્ટેશને પહોંચાડવામાં આવ્યા હતા. પાંડેસરા અને સચિન વિસ્તારમાં બસની વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્રણ ટ્રેન આજે સુરતથી રવાના કરવાનું આયોજન છે. જેમાં સવારે દસ વાગ્યે એક ટ્રેન રવાના થઈ છે. ત્યારબાદ બીજી બપોરે અને ત્રીજી […]
પરપ્રાંતિયોને વતન લઈ જવા સુરતથી ખાસ ટ્રેન દોડાવવામાં આવી રહી છે. 1127 જેટલા લોકોને પાલિકાની 60 જેટલી બસોમાં બેસાડી રેલવે સ્ટેશને પહોંચાડવામાં આવ્યા હતા. પાંડેસરા અને સચિન વિસ્તારમાં બસની વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્રણ ટ્રેન આજે સુરતથી રવાના કરવાનું આયોજન છે. જેમાં સવારે દસ વાગ્યે એક ટ્રેન રવાના થઈ છે. ત્યારબાદ બીજી બપોરે અને ત્રીજી સાંજે 4 વાગ્યે રવાના કરાશે. લૉકડાઉન લંબાતા પર પ્રાંતિયોમાં ચિંતાનો માહોલ હતો. જોકે વતન જવાની વ્યવસ્થા કરવામાં આવતાં ચહેરા પર ખુશી છવાઈ ગઈ હતી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો