તંત્ર સફાળું જાગ્યું, અમદાવાદ બાદ હવે સુરતમાં પણ રાત્રિ કર્ફ્યૂના સમયમાં ફેરફાર

ગુજરાતમાં સતત વધી રહેલા Corona કેસને લઈને રાજ્ય સરકારની ચિંતા વધી છે. જેમાં કોરોના એપીસેન્ટર બનેલા સુરત અને અમદાવાદમાં વહીવટીતંત્ર આખરે એક્શન આવ્યું છે. જેમાં ગુરુવારે સુરત શહેરમાં Coronaના સૌથી વધારે 395 કેસ નોંધાયા છે.

Chandrakant Kanoja
| Edited By: | Updated on: Mar 18, 2021 | 10:29 PM

ગુજરાતમાં સતત વધી રહેલા Corona કેસને લઈને રાજ્ય સરકારની ચિંતા વધી છે. જેમાં કોરોના એપીસેન્ટર બનેલા સુરત અને અમદાવાદમાં વહીવટીતંત્ર આખરે એક્શન આવ્યું છે. જેમાં ગુરુવારે સુરત શહેરમાં Coronaના સૌથી વધારે 395 કેસ નોંધાયા છે. જેના પગલે હવે અમદાવાદ બાદ સુરત શહેરમાં કોર્પોરેશને રાત્રિ કર્ફ્યૂના સમયગાળામાં 19 માર્ચથી વધારો કર્યો છે. જેમાં સુરત શહેરમાં પણ હવે  શુક્રવારથી રાત્રિ કર્ફયુનો સમયગાળો રાત્રે 9થી સવારે 6 વાગ્યા સુધી રહેશે. આ ઉપરાંત સુરતમાં ગત અઠવાડિયાથી જ શનિ અને રવિવારે મોલ અને સિનેમા બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

 

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં રાજયમાં Coronaના 1,276 પોઝિટિવ કેસ નોંધાયા છે, તેમજ કોરોનાના લીધે ત્રણ દર્દીઓના મોત થયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 899 દર્દીઓ સાજા થયા છે. જ્યારે અત્યાર સુધી કોરોનાથી દર્દીઓનો મૃત્યુઆંક 4,433 નોંધાયો છે. ગુજરાતમાં હાલ કોરોનાના કેસની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 1,276 કેસ સામે આવ્યા છે. જેમાં સૌથી વધારે કેસ સુરત 395 નોંધાયા છે. અમદાવાદમાં 304, વડોદરા 129 , રાજકોટમાં 113, જામનગરમાં 48, ભાવનગરમાં 32, ગાંધીનગરમાં 24, જૂનાગઠમાં 4, ખેડામાં 25, મહીસાગરમાં 13, સુરેન્દ્રનગરમાં 5, પોરબંદરમાં 1, પંચમહાલમાં 25, મહેસાણામાં 18, આણંદમાં 15, નવસારીમાં 3, અરવલ્લીમાં 2, ડાંગ 2, દ્વારકા 2 અને બોટાદમાં 1 કેસ નોંધાયા છે.

 

સુરતમાં નેતાઓ ભાન ભૂલ્યા, કોરોના ગાઈડલાઈનના ધજાગરા

ગુજરાતમાં Coronaનું વિકરાળ સ્વરૂપ સામે આવ્યું છે. જેમાં સુરત કોરોના વાઈરસનું એપીસેન્ટર બની ચૂક્યું છે. તેવા સમયે લોકોને Corona ગાઈડલાઈનના પાલનની સુફિયાણી સલાહ આપનારા નેતાઓ જ કોરોનાના નિયમોના ધજાગરા ઉડાવતા નજરે પડ્યા હતા. જેમાં સુરત મહાનગરપાલિકાની આજે મળેલી સામાન્ય સભામાં લોકોને સલાહ આપતા કાઉન્સિલરો Corona ગાઈડલાઈનનો ભંગ કરતા નજરે પડ્યા હતા. જેમાં સભાખંડમાં કોર્પોરેટરોના ટોળેટોળે જોવા મળ્યા હતા. તેવા સમયે લોકોને સલાહ આપનારા આ નેતાઓ કોરોનાના નિયમો ક્યારે પાળશે તે વાત લોકમુખે ચર્ચાઈ રહી છે.

 

સુરતમાં Coronaના કેસ વધતા તંત્ર એકશનમાં 

આ ઉપરાંત સુરતમાં Coronaના કેસ વધતા તંત્ર દ્વારા તકેદારીના પગલાં લેવાનું શરૂ કરવામાં આવ્યા છે. જેમાં બીઆરટીએસ અને  સીટી બસના તમામ રુટો બંધ કરી દેવામાં આવ્યાં છે. આ ઉપરાંત ગુરુવારથી ગેમ ઝોન, જીમ, ક્લબ સહિત હોટલના બેન્ક્વેટ હોલ વગેરે બંધ કરવામાં આવ્યા છે. સુરતમાં બુધવારે 24 ક્લાકમાં રેકોર્ડ બ્રેક 353 પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ ઉપરાંત સુરતમાં છેલ્લા ત્રણ દિવસથી કોરોના કેસ 200થી ઉપર નોંધાઈ રહ્યા હતા.

 

આ પણ વાંચો: ગુજરાતમાં કોરોનાનો ફરી ફૂંફાડો, 24 કલાકમાં 1,276 કેસ, 3ના મોત

Follow Us:
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
g clip-path="url(#clip0_868_265)">