ઉચ્ચ અભ્યાસથી વંચિત યુવતીને મુખ્ય પ્રધાને કહ્યું, તારી જવાબદારી અમારી, જુઓ વીડિયો
પરિવારની આર્થિક નબળી સ્થિતિને કારણે અભ્યાસ છોડ્યાની વિગતો સામે આવતા જ, મુખ્ય પ્રધાન ભુપેન્દ્રભાઈ પટેલે તાત્કાલિક સંવેદનશીલતા દર્શાવી હતી. તેમણે જિલ્લા કલેક્ટરને યુવચી જ્યોતિના શિક્ષણની સંપૂર્ણ વ્યવસ્થા સુનિશ્ચિત કરવા અને તેને ફરી અભ્યાસ સાથે જોડવા માટે જરૂરી કાર્યવાહી કરવાની સૂચના આપી હતી.

ગુજરાતના રાજ્યપાલ અને મુખ્ય પ્રધાનની નવસારી જિલ્લાના ખેરગામની મુલાકાત, એક યુવતીનુ સ્વપ્ન સાકાર કરવાનુ નિમિત્ત બન્યું છે. પિતાના અવસાનને કારણે નબળી આર્થિક સ્થિતિને કારણે એક યુવતી માત્ર 12 ધોરણ જ અભ્યાસ કરી શકી. જો કે તેને ફોરેસ્ટર બનવું હતું, પરંતુ પરિવારની આર્થિક સ્થિતિને કારણે તે ઉચ્ચ અભ્યાસ કરી શકી નહીં. જો કે, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની ખેરગામની મુલાકાતે આ યુવતીના સ્વપ્નને નવી પાંખ મળી છે.
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, દક્ષિણ ગુજરાતના નવસારીની મુલાકાતે હતા. તેઓ ખેરગામ તાલુકાના આછવણી ગામે યોજાયેલા ‘એક પેડ મા કે નામ’ કાર્યક્રમમાં તેઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન વૃક્ષારોપણ માટે આવેલી જ્યોતિ પટેલ નામની યુવતી સાથે મુખ્યમંત્રીએ ઔપચારિક વાતચીત કરી હતી. આ દરમિયાન જાણવા મળ્યું કે જ્યોતિએ ધોરણ-12 સુધી અભ્યાસ કર્યા બાદ પરિવારની નબળી આર્થિક પરિસ્થિતિ અને પિતાના અવસાનને કારણે આગળનું શિક્ષણ છોડવું પડ્યું હતું.
પરિવારની આર્થિક નબળી સ્થિતિને કારણે અભ્યાસ છોડ્યાની વિગતો સામે આવતા જ, મુખ્ય પ્રધાન ભુપેન્દ્રભાઈ પટેલે તાત્કાલિક સંવેદનશીલતા દર્શાવી હતી. તેમણે જિલ્લા કલેક્ટરને યુવચી જ્યોતિના શિક્ષણની સંપૂર્ણ વ્યવસ્થા સુનિશ્ચિત કરવા અને તેને ફરી અભ્યાસ સાથે જોડવા માટે જરૂરી કાર્યવાહી કરવાની સૂચના આપી હતી.
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના આ પગલાથી શિક્ષણ પ્રત્યે તેમની પ્રતિબદ્ધતા અને વિદ્યાર્થીઓના ભવિષ્ય પ્રત્યેની ચિંતા સ્પષ્ટપણે સામે આવી છે. તેમણે માત્ર એક વિદ્યાર્થીનીની સમસ્યા સાંભળીને જ નહીં, પરંતુ તેના શિક્ષણનો માર્ગ ફરી શરૂ થાય તે માટે વહીવટી તંત્રને જવાબદારી પણ સોંપી છે. આ ઘટના એ દર્શાવે છે કે, રાજ્ય સરકાર શિક્ષણને પ્રાથમિકતા આપવાની સાથે આર્થિક અથવા પારિવારિક કારણોસર અભ્યાસથી વંચિત રહેલા વિદ્યાર્થીઓને ફરી શિક્ષણના મુખ્ય પ્રવાહમાં જોડવા માટે પણ સતત પ્રયત્નશીલ છે.