Chhotaudepur: ખેડૂતોના હક્કનું ખાતર ખેડૂતોને ન આપી બારોબાર સગેવગે કરી દેતો કંપનીનો મેનેજર પકડાયો
ચોમાસાની શરૂઆત પહેલા જ ખેડૂતો આગોતરું આયોજન કરી ખાતર ભરી લેતા હોય છે. પણ ખાતરના ડેપો મેનેજરે જે કૌભાંડ આચર્યું છે તેની કાર્યવાહી પોલીસ કરશે જે પણ ખેડૂતોની ચિતા સરકાર કરે અને ડેપોમાંથી ખાતર મળે તેવી વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ આ વિસ્તારના ખેડૂતો કરી રહ્યા છે.
મહેનત વિના વધુ પૈસા કમાવાની લાલચ માણસને આખરે જેલના સળિયા ગણતો કરી દે તેવો કિસ્સો છોટાઉદેપુર (Chhotaudepur) ના ચલામલી ગામે બન્યો છે. ખેડૂતોના હક્કનું ખાતર ખેડૂતો (Farmer) ને ના આપી બારોબાર સગેવગે કરી દેતા કંપનીના મેનેજરે ફરિયાદ કરી અને આખરે તે પોલીસના સકંજામાં આવી ગયો હતો. બોડેલી તાલુકાના ચલામલી ગામે ખેડૂતોને તેમના જ વિસ્તારમાં ખાતર સહેલાઈથી મળી રહે તે માટે ખાતર ડેપો શરૂ કરવામાં આવ્યો. ડેપોના કર્મચારીઓ દ્વારા ખાતરને ખેડૂતો વેચાણ કરવાનું હોઈ છે જેની નોંધણી ઓનલાઇન અને ઓફલાઇન કરવાની હોય છે. અને જે આવક થાય તે રકમ જીએસ.એફસી એગ્રો લિમિટેડ કંપનીમાં જમા કરવાની હોય છે, પણ આવું ના કરતા ખાતર ડેપોના ઇન્ચાર્જ મેનજર શૈલેશ વસાવાએ ખાતરના જથ્થો સગેવગે કરી રકમ ચાઉ કરી ગયો.
આ બાબતનો પર્દાફાશ ત્યારે થયો જયારે વડોદરા હેડ ઓફિસના બે અધિકારી પુનમ ભાઈ બોરા અને વિપુલ પટેલે તારીખ 14-3-22 ના રોજ સરપ્રાઈઝ વીઝીટ કરી હતી. જે જથ્થો ખાતર ડેપોમાં હતો તે જોતાં કંપનીના કર્મચારીને શંકા જતા અને સ્ટોકની ગણતરી કરી તો ચોકાવનારી વિગત સામે આવી હતી. 44.25 લાખનો ખાતરના જથ્થામાં વિસંગતતા જણાઈ. કંપની ના કર્મચારીઓ એ જથ્થા ને શીલ કર્યો અને કંપની માં જાણ કરી .કંપનીએ શૈલેષ વસાવાને ખુલાસો આપવા જણાવ્યુ પણ ઇન્ચાર્જ ડેપો મેનેજર ખુલાસો આપી શક્યો નહી. આખરે વડોદરા જી.એસ.એફ.સી એગ્રો લીમીટેડની હેડ ઓફીસના આસિસ્ટન્ટ મેનેજર દિવ્યરાજ રાઠોડે બોડેલી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધાવી હતી.
જી.એસ.એફ.સીના અધિકારીએ ફરિયાદ આપતા જ પોલીસ એક્શનમા આવી અને તાત્કાલીક આરોપીને ઝડપી પાડ્યો . જી.એસ.એફ.સીના અધિકારી. પોલીસ અને આરોપીને સાથે રાખી ચલામલી ખાતે આવેલા ખાતરના ડેપોની સ્થળ તપાસ કરી. શૈલેશ વસાવાએ કંપની સાથે છેતરપિંડી કરતાં ચલામલી ખાતેના ખાતર ડેપોને પોલીસ દ્રારા સીલ કરી દેવામાં આવ્યો છે . જેની જાણકારી આ વિસ્તારના ખેડૂતોને થતાં જરૂરિયાત સમયે તેમણે ખાતર મળશે કે નહી તે બાબતે ખેડૂતોમાં ચિતા જોવાઈ રહી છે.
ચોમાસાની શરૂઆત પહેલા જ ખેડૂતો આગોતરું આયોજન કરી ખાતર ભરી લેતા હોય છે. પણ ખાતરના ડેપો મેનેજરે જે કૌભાંડ આચર્યું છે તેની કાર્યવાહી પોલીસ કરશે જે પણ ખેડૂતોની ચિતા સરકાર કરે અને ડેપોમાંથી ખાતર મળે તેવી વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ આ વિસ્તારના ખેડૂતો કરી રહ્યા છે.
હાલ તો પોલીસે આરોપી શૈલેશ વસાવાને ઝડપી પૂછ પરછ કરી રહી છે. આ કૌભાંડમાં કોણી કોણી સંડોવણી છે. ખાતર કોણે વેચ્યું ?. તો જી.એસ.એફ.સીના અન્ય કર્મચારીઓની પણ સંડોવણી હોવાની શંકા પોલીસ સેવી રહી છે. કેમ કે એક વર્ષ દરમિયાનમાં આ કૌભાંડ જો આચરવા મા આવ્યું હોય તો આ સમય દરમિયાન કેમ જી.એસ.એફ.સી ના નિયમિત મુલાકાત કરતાં સુપરવાઇઝરોના ધ્યાને ન આવ્યું. હવે પોલીસની સધન તપાસ મા શુ સામે આવે છે તે તો આવનારો સમય બતાવશે. હાલ તો લાલચુ ચલામલીનો ખાતર ડેપો નો મેનેજર જેલ ના સળિયા ગણી રહ્યો છે ત્યારે વધુ કેટલા લોકો જેલ હવાલે થાય છે તે હવે જોવું રહ્યું.