Breaking News : સાળંગપુરમાં ભીંતચિત્રો બાદ કુંડળ સ્વામિનારાયણ મંદિરમાંથી હનુમાનજીની પ્રતિમા હટાવાઇ, માત્ર નિલકંઠ વર્ણીની મૂર્તિ રખાઇ

મંદિર પરિસરમાં નિલકંઠ વર્ણીને ફળાહાર અર્પણ કરતા હોય તેવી હનુમાનજીની મૂર્તિ મૂકાઈ હતી. જેને વિવાદ બાદ હવે હટાવી લેવામાં આવી છે. હાલ માત્ર નિલકંઠ વર્ણી તપ કરી રહ્યા હોય તેવી એક જ મૂર્તિ સ્થળ પર જોવા મળી રહી છે. તેમની સામે રાખેલી હનુમાનજીની મૂર્તિ હટાવી દેવામાં આવી છે.

Breaking News : સાળંગપુરમાં ભીંતચિત્રો બાદ કુંડળ સ્વામિનારાયણ મંદિરમાંથી હનુમાનજીની પ્રતિમા હટાવાઇ, માત્ર નિલકંઠ વર્ણીની મૂર્તિ રખાઇ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 05, 2023 | 2:35 PM

Botad : બોટાદના સાળંગપુર મંદિરમાં ભીંતચિત્રોને લઇને વકરેલા વિવાદ (Salangpur Controversy) બાદ ભીંતચિંત્રોને હટાવી લેવાયા છે. જે પછી હવે કુંડળ સ્વામિનારાયણ મંદિર ખાતેથી પણ હનુમાનજીની પ્રતિમાને પણ હટાવી લેવામાં આવી છે. મંદિર પરિસરમાં નિલકંઠ વર્ણીને ફળાહાર અર્પણ કરતા હોય તેવી હનુમાનજીની મૂર્તિ મૂકાઈ હતી. જેને વિવાદ બાદ હવે હટાવી લેવામાં આવી છે. હાલ માત્ર નિલકંઠ વર્ણી તપ કરી રહ્યા હોય તેવી એક જ મૂર્તિ સ્થળ પર જોવા મળી રહી છે. તેમની સામે રાખેલી હનુમાનજીની મૂર્તિ હટાવી દેવામાં આવી છે.

આ પણ વાંચો-Gandhinagar : CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક, મધ્ય ગુજરાતના ખેડૂતોને પાણી આપવા કરાશે ચર્ચા, જુઓ Video

બોટાદના કિંગ ઓફ સાળંગપુરમાં ભીંતચિત્રોનો વિવાદ સામે આવ્યા બાદ બોટાદના કુંડળધામ સ્વામીનારાયણ મંદિર ખાતે મુકેલી હનુમાનજીની પ્રતિમાનો વિવાદ પણ સામે આવ્યો હતો. જ્યાં કુંડળધામના બાગમાં નીલકંઠ વર્ણીને ફળાહાર કરાવતા હનુમાનજીની પ્રતિમા મુકવામાં આવી હતી. જેને લઈને વિવાદ વકર્યો હતો. આ વિવાદ દરમિયાન એક વાત એ પણ સામે આવી છે કે પહેલા હનુમાનજીની પ્રતિમાને જમીન પર મુકવામાં આવી હતી. જો કે આ વિવાદ વકર્યા બાદ કુંડળધામ સ્વામીનારાયણ મંદિર તરફથી હનુમાનજીની પ્રતિમાની નીચે આસનના ભાગરૂપે એક પથ્થર મુકી દેવામાં આવ્યો હતો. આ વિવાદ પહેલા હનુમાનજીની પ્રતિમાને જમીન પર જ મુકી દેવાઈ હતી.

અમદાવાદના રિવરફ્રન્ટ પર જોવા મળ્યા કબડ્ડીના ધુરંધરો, જુઓ વીડિયો
બિગ બોસ 17 ધમાલ મચાવનારી ખાનઝાદી છે કોણ, જુઓ ફોટો
હળદર વાળું દૂધ ફાયદાકારક છે કે હળદર વાળું પાણી? શું છે બેસ્ટ
ટીમ ઈન્ડિયાના આ 3 ખેલાડીઓ T20 વર્લ્ડ કપ નહીં રમે, 7 મહિના પહેલા જ થઈ ગયો નિર્ણય?
આજનું રાશિફળ તારીખ : 01-12-2023
કબડ્ડી પ્લેયર્સ જેવી બોડી બનાવવા આ દેશી વસ્તુઓને ડાયટમાં કરો સામેલ

મહત્વનુ છે કે સાળંગપુરમાં હનુમાનદાદાના ભીંતચિત્રોને લઇને સર્જાયેલા વિવાદનો આખરે અંત આવ્યો છે. હનુમાનજીને સ્વામિનારાયણના દાસ તરીકે દર્શાવતા જે બે ભીંતચિત્રોને લઇને વિવાદ ઉભો થયો હતો તે બંને ચિત્રો આખરે દૂર કરાયા છે. સાળંગપુર મંદિર પરિસરમાં મોડી રાત્રે વડતાલ ગાદીના મહંતોએ વિવાદિત ભીંતચિત્રો દૂર કર્યા. ભીંતચિત્રો હટાવતા દ્રશ્યો કેમેરામાં કેદ ન થાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. મીડિયાકર્મીઓને દૂર રાખી અને પડદા લગાવીને ભીંતચિત્રો દૂર કરવાની કામગીરી કરાઈ હતી.

CM ભૂપેન્દ્ર પટેલ સાથેની બેઠક બાદ ગત રાત્રે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની અમદાવાદમાં એક બેઠક મળી હતી. આ બેઠક બાદ સંતોએ પ્રેસ કોન્ફરન્સ કરી સૂર્યોદય પહેલા ભીંતચિત્રો હટાવવાની જાહેરાત કરી હતી અને આ જાહેરાત મુજબ સૂર્યોદય પહેલા જ ભીંતચિત્રો હટાવી લઇ તેની જગ્યાએ નવા ચિત્રો લગાવવામાં આવ્યા છે.

બોટાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

તમિલનાડુની જગતગુરુ સેવા સંસ્થાના 400 ભાવિકોએ સોમનાથ મંદિરની કરી સફાઈ
તમિલનાડુની જગતગુરુ સેવા સંસ્થાના 400 ભાવિકોએ સોમનાથ મંદિરની કરી સફાઈ
અમરેલી: વડિયામાંથી નશાયુક્ત આયુર્વેદિક સિરપની 280 બોટલ ઝડપાઈ
અમરેલી: વડિયામાંથી નશાયુક્ત આયુર્વેદિક સિરપની 280 બોટલ ઝડપાઈ
નશાકારક સિરપ સામે ડ્રાઈવ, વિવિધ મેડિકલમાં પોલીસના દરોડા
નશાકારક સિરપ સામે ડ્રાઈવ, વિવિધ મેડિકલમાં પોલીસના દરોડા
નશીલા સિરપને લઇને રાજકોટ પોલીસ એકશનમાં વિવિધ સ્થળોએ પાડ્યા દરોડા
નશીલા સિરપને લઇને રાજકોટ પોલીસ એકશનમાં વિવિધ સ્થળોએ પાડ્યા દરોડા
અમદાવાદઃ IPS આર.ટી. સુસરાની પત્નીએ કર્યો આપઘાત
અમદાવાદઃ IPS આર.ટી. સુસરાની પત્નીએ કર્યો આપઘાત
પાટણઃ સમીના અનવરપુરામાંથી સિરપનો શંકાસ્પદ જથ્થો ઝડપાયો
પાટણઃ સમીના અનવરપુરામાંથી સિરપનો શંકાસ્પદ જથ્થો ઝડપાયો
અમદાવાદમાં ડ્રગ્સની હેરફેરી યથાવત
અમદાવાદમાં ડ્રગ્સની હેરફેરી યથાવત
નશાયુકત સિરપ કાંડમાં ખેડા ભાજપના પદાધિકારીની સંડોવણી
નશાયુકત સિરપ કાંડમાં ખેડા ભાજપના પદાધિકારીની સંડોવણી
મહીસાગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ, જુઓ વીડિયો
મહીસાગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ, જુઓ વીડિયો
મહાભારતના રચયિતા વેદ વ્યાસજી શું જીવિત છે? શું તેમના દર્શન હજુ થાય છે?
મહાભારતના રચયિતા વેદ વ્યાસજી શું જીવિત છે? શું તેમના દર્શન હજુ થાય છે?
g clip-path="url(#clip0_868_265)">