Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : સાળંગપુરમાં ભીંતચિત્રો બાદ કુંડળ સ્વામિનારાયણ મંદિરમાંથી હનુમાનજીની પ્રતિમા હટાવાઇ, માત્ર નિલકંઠ વર્ણીની મૂર્તિ રખાઇ

મંદિર પરિસરમાં નિલકંઠ વર્ણીને ફળાહાર અર્પણ કરતા હોય તેવી હનુમાનજીની મૂર્તિ મૂકાઈ હતી. જેને વિવાદ બાદ હવે હટાવી લેવામાં આવી છે. હાલ માત્ર નિલકંઠ વર્ણી તપ કરી રહ્યા હોય તેવી એક જ મૂર્તિ સ્થળ પર જોવા મળી રહી છે. તેમની સામે રાખેલી હનુમાનજીની મૂર્તિ હટાવી દેવામાં આવી છે.

Breaking News : સાળંગપુરમાં ભીંતચિત્રો બાદ કુંડળ સ્વામિનારાયણ મંદિરમાંથી હનુમાનજીની પ્રતિમા હટાવાઇ, માત્ર નિલકંઠ વર્ણીની મૂર્તિ રખાઇ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 05, 2023 | 2:35 PM

Botad : બોટાદના સાળંગપુર મંદિરમાં ભીંતચિત્રોને લઇને વકરેલા વિવાદ (Salangpur Controversy) બાદ ભીંતચિંત્રોને હટાવી લેવાયા છે. જે પછી હવે કુંડળ સ્વામિનારાયણ મંદિર ખાતેથી પણ હનુમાનજીની પ્રતિમાને પણ હટાવી લેવામાં આવી છે. મંદિર પરિસરમાં નિલકંઠ વર્ણીને ફળાહાર અર્પણ કરતા હોય તેવી હનુમાનજીની મૂર્તિ મૂકાઈ હતી. જેને વિવાદ બાદ હવે હટાવી લેવામાં આવી છે. હાલ માત્ર નિલકંઠ વર્ણી તપ કરી રહ્યા હોય તેવી એક જ મૂર્તિ સ્થળ પર જોવા મળી રહી છે. તેમની સામે રાખેલી હનુમાનજીની મૂર્તિ હટાવી દેવામાં આવી છે.

આ પણ વાંચો-Gandhinagar : CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક, મધ્ય ગુજરાતના ખેડૂતોને પાણી આપવા કરાશે ચર્ચા, જુઓ Video

બોટાદના કિંગ ઓફ સાળંગપુરમાં ભીંતચિત્રોનો વિવાદ સામે આવ્યા બાદ બોટાદના કુંડળધામ સ્વામીનારાયણ મંદિર ખાતે મુકેલી હનુમાનજીની પ્રતિમાનો વિવાદ પણ સામે આવ્યો હતો. જ્યાં કુંડળધામના બાગમાં નીલકંઠ વર્ણીને ફળાહાર કરાવતા હનુમાનજીની પ્રતિમા મુકવામાં આવી હતી. જેને લઈને વિવાદ વકર્યો હતો. આ વિવાદ દરમિયાન એક વાત એ પણ સામે આવી છે કે પહેલા હનુમાનજીની પ્રતિમાને જમીન પર મુકવામાં આવી હતી. જો કે આ વિવાદ વકર્યા બાદ કુંડળધામ સ્વામીનારાયણ મંદિર તરફથી હનુમાનજીની પ્રતિમાની નીચે આસનના ભાગરૂપે એક પથ્થર મુકી દેવામાં આવ્યો હતો. આ વિવાદ પહેલા હનુમાનજીની પ્રતિમાને જમીન પર જ મુકી દેવાઈ હતી.

બોલિવુડ અભિનેત્રીથી પણ વધુ પૈસાદાર છે ટીવી અભિનેત્રી, જુઓ ફોટો
Akshaya Tritiya : અક્ષય તૃતીયા પર મીઠું ખરીદવાથી શું થાય છે?
લગ્નના 9 વર્ષ બાદ દિવ્યાંકાના છૂટાછેડા? જાણો પતિએ શું કહ્યું
સાસુ-વહુ વચ્ચે ઝગડા થાય છે તો આ કરો ઉપાય, પરસ્પર પ્રેમ વધશે!
રસોઈ માટે આ તેલ છે બેસ્ટ, જાણો નિષ્ણાતોનો અભિપ્રાય
એક AC કેટલા વર્ષ સુધી વાપરી શકાય? ક્યારે બદલવું યોગ્ય છે, જાણો અહીં

મહત્વનુ છે કે સાળંગપુરમાં હનુમાનદાદાના ભીંતચિત્રોને લઇને સર્જાયેલા વિવાદનો આખરે અંત આવ્યો છે. હનુમાનજીને સ્વામિનારાયણના દાસ તરીકે દર્શાવતા જે બે ભીંતચિત્રોને લઇને વિવાદ ઉભો થયો હતો તે બંને ચિત્રો આખરે દૂર કરાયા છે. સાળંગપુર મંદિર પરિસરમાં મોડી રાત્રે વડતાલ ગાદીના મહંતોએ વિવાદિત ભીંતચિત્રો દૂર કર્યા. ભીંતચિત્રો હટાવતા દ્રશ્યો કેમેરામાં કેદ ન થાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. મીડિયાકર્મીઓને દૂર રાખી અને પડદા લગાવીને ભીંતચિત્રો દૂર કરવાની કામગીરી કરાઈ હતી.

CM ભૂપેન્દ્ર પટેલ સાથેની બેઠક બાદ ગત રાત્રે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની અમદાવાદમાં એક બેઠક મળી હતી. આ બેઠક બાદ સંતોએ પ્રેસ કોન્ફરન્સ કરી સૂર્યોદય પહેલા ભીંતચિત્રો હટાવવાની જાહેરાત કરી હતી અને આ જાહેરાત મુજબ સૂર્યોદય પહેલા જ ભીંતચિત્રો હટાવી લઇ તેની જગ્યાએ નવા ચિત્રો લગાવવામાં આવ્યા છે.

બોટાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ધાર્મિક સ્થાનોના દબાણ પર ફરી વળ્યું બુલડોઝર
ધાર્મિક સ્થાનોના દબાણ પર ફરી વળ્યું બુલડોઝર
સિગ્નલ ગ્રીન થતા જ સિટી બસ દોડી હતી બેફામ, 4ને મોતને ઘાટ ઉતાર્યા
સિગ્નલ ગ્રીન થતા જ સિટી બસ દોડી હતી બેફામ, 4ને મોતને ઘાટ ઉતાર્યા
બોડકદેવ વિસ્તારમાં BMW કારે સર્જ્યો અકસ્માત
બોડકદેવ વિસ્તારમાં BMW કારે સર્જ્યો અકસ્માત
કડીમાં નાયબ મામલતદાર 10 હજારની લાંચ લેતા રંગે હાથે ઝડપાયો
કડીમાં નાયબ મામલતદાર 10 હજારની લાંચ લેતા રંગે હાથે ઝડપાયો
આ રાશિના જાતકોએ આજે વાહન ચલાવવામાં રાખવી કાળજી
આ રાશિના જાતકોએ આજે વાહન ચલાવવામાં રાખવી કાળજી
આગામી 2 દિવસ ગરમીથી નહીં મળે રાહત, આ જિલ્લામાં હીટવેવની આગાહી
આગામી 2 દિવસ ગરમીથી નહીં મળે રાહત, આ જિલ્લામાં હીટવેવની આગાહી
ધરમપુરમાં ક્રોસ હટાવવા મુદ્દે આદિવાસી સમાજે રેલી યોજી કર્યો વિરોધ
ધરમપુરમાં ક્રોસ હટાવવા મુદ્દે આદિવાસી સમાજે રેલી યોજી કર્યો વિરોધ
ઊંઘ આવી જતા અકસ્માત સર્જાયો અને યુવતીએ ત્યાંને ત્યાં જીવ ગુમાવ્યો
ઊંઘ આવી જતા અકસ્માત સર્જાયો અને યુવતીએ ત્યાંને ત્યાં જીવ ગુમાવ્યો
ધારેશ્વર ગામમાં બાળમજૂરીનો પર્દાફાશ થયો, પોલીસ કડક કાર્યવાહી કરશે
ધારેશ્વર ગામમાં બાળમજૂરીનો પર્દાફાશ થયો, પોલીસ કડક કાર્યવાહી કરશે
રાહુલ ગાંધી મોડાસાથી પ્રારંભ કરાવશે સંગઠન સર્જન અભિયાન
રાહુલ ગાંધી મોડાસાથી પ્રારંભ કરાવશે સંગઠન સર્જન અભિયાન
g clip-path="url(#clip0_868_265)">