Breaking News : બોટાદના સાળંગપુર મંદિર પરિસરમાં અજાણ્યા વ્યક્તિ દ્વારા તોડફોડ, હનુમાનજીના ભીંતચિંત્ર પર કર્યો કાળો રંગ

Salangpur Temple Controversy : એક તરફ બોટાદના સાળંગપુર મંદિર પરિસરમાં કિંગ ઓફ સાળંગપુરનૂ મૂર્તિ નીચે કરાયેલા હનુમાનજીના ભીંતચિંત્રને લઇને વિવાદ ચાલી રહ્યો છે. બીજી તરફ અજાણ્યા ભક્ત દ્વારા વિવાદીત ભીંતચિંત્ર પર કાળો રંગ કરવામાં આવ્યો છે. સાથે જ હનુમાનજીના ભીંતચિત્રોને લાકડી વડે તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જેને લઇને કાળો રંગ કરનાર વ્યક્તિની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે.

Breaking News : બોટાદના સાળંગપુર મંદિર પરિસરમાં અજાણ્યા વ્યક્તિ દ્વારા તોડફોડ, હનુમાનજીના ભીંતચિંત્ર પર કર્યો કાળો રંગ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 02, 2023 | 2:17 PM

Botad : એક તરફ બોટાદના સાળંગપુર મંદિર (Salangpur temple) પરિસરમાં કિંગ ઓફ સાળંગપુર નામે જાણીતી હનુમાનજીની મૂર્તિ નીચે કરાયેલા  ભીંતચિંત્રને લઇને વિવાદ ચાલી રહ્યો છે. બીજી તરફ અજાણ્યા ભક્ત દ્વારા વિવાદીત ભીંતચિંત્ર પર કાળો રંગ કરવામાં આવ્યો છે. સાથે જ હનુમાનજીના ભીંતચિત્રોને લાકડી વડે તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જેને લઇને કાળો રંગ કરનાર વ્યક્તિની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે.

આ પણ વાંચો-Tender Today : નર્મદા યોજના, ડભોઇ હેઠળની કચેરીઓ માટે ભાડે ડીઝલ વાહન પુરા પાડવા માટે ટેન્ડર જાહેર

શું બની ઘટના ?

સાળંગપુર મંદિરમાં કિંગ ઓફ સાળંગપુરનૂ મૂર્તિ નીચે લગાવાયેલા હનુમાનજીના ભીંતચિંત્રને લઇને છેલ્લા એક સપ્તાહ કરતા વધુ સમયથી વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે બોટાદના સાળંગપુર મંદિરમાં પહેલેથી જ પોલીસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવેલી છે. તેમ છતા આજે એક વ્યક્તિ અચાનક કિંગ ઓફ સાળંગપુરની મૂર્તિ પાસે પહોંચી જાય છે અને લગાવેલા ભીંતચિત્રો પર કાળો રંગ લગાવે છે એટલુ જ નહીં તેના પર લાકડીથી પ્રહાર પણ કરે છે. લાકડીથી પ્રહાર કરતા ભીંતચિત્રોને નુકસાન થયુ હોવાનું પણ સામે આવ્યુ છે.

આ છે ભારતની સૌથી પૈસાદાર અભિનેત્રી, જુઓ ફોટો
Bigg Boss 18 : સલમાન ખાન છે સૌથી વધુ પગાર લેનાર હોસ્ટ, ફી જાણીને ચોંકી જશો
રેસ્ટોરેન્ટ કે હોટલમાં કેમ સફેદ પ્લેટમાં સર્વ થાય છે ફૂડ ?
દાડમ ખાઈ તેના છોતરા ફેંકી ના દેતા ! જાણો તેના ફાયદા વિશે
આજનું રાશિફળ તારીખ : 18-10-2024
સૂકા તુલસીના લાકડાથી દેવી લક્ષ્મી કેવી રીતે પ્રસન્ન થશે? જાણી લો

જાણો કોણ છે લાકડીથી હુમલો કરનાર વ્યક્તિ

ભીંતચિત્રો પર લાકડીથી હુમલો કરનાર વ્યક્તિ સાળંગપુરની નજીક આવેલા ચારણકી ગામ રહે છે અને તેનું નામ હર્ષદ ગઢવી હોવાનું સામે આવ્યુ છે. તે સંકલ્પ સિદ્ધ ગજાનન આશ્રમનો સંચાલક છે. આ વ્યક્તિ બેરીકેટ તોડીને સ્ટેજ પર પહોંચી ગયો હતો. મળતી માહિતી પ્રમાણે હર્ષદ ગઢવી નામનો વ્યક્તિ સનાતન ધર્મમાં માને છે અને છેલ્લા એક સપ્તાહથી સાળંગપુર મંદિરમાં ચાલતા વિવાદને લઇને તેનામાં આક્રોશ હતો. જેના પગલે તેણે આ હુમલો કર્યો હોવાનું માનવામાં આવી રહ્યુ છે.

આ  ઘટનાની જાણ થતા જ પોલીસે આ વ્યક્તિની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે. ઘટના બનતા DySP સહિતના પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. હાલ તો હર્ષદ ગઢવીની પુછપરછ હાથ ધરવામાં આવી છે.

સાળંગપુર ભીતચિત્રો ઉપર કાળો રંગ અને તોડફોડ મામલે મદિર વિભાગ દ્વારા 54 ફૂટ પ્રતિમા વાળો સમગ્ર વિસ્તાર કોર્ડન કરી દેવામાં આવ્યો છે. પહેલા માત્રને માત્ર મૂર્તિ પાસેનો વિભાગ કોર્ડન કરવામાં આવ્યો હતો. વિવાદ વકરતા હાલ સમગ્ર 54 ફૂટ મૂર્તિ વાળો વિસ્તાર કોર્ડન કરવામાં આવ્યો છે. હવે હરિભક્તોને દૂરથી જ દર્શન કરવા પડશે.

મહત્વનું છે કે સાળંગપુરમાં હનુમાનજીના વિવાદિત ભીંતચિત્રો મામલે સાધુ-સંતો અને ભક્તોનો વિરોધ જોવા મળી રહ્યો છે. સાધુઓએ નારાજગી વ્યક્ત કરી તાત્કાલિક ભીંતચિત્રો હટાવવાની માગણી કરી છે. જે પછી બોટાદ કુંડળધામ સ્વામિનારાયણ મંદિરમાં મૂર્તિ વિવાદ બાદ ફેરફાર કરવામાં આવ્યો છે. હનુમાનજીની મૂર્તિને  આસન આપવામાં આવ્યુ છે. અગાઉ મૂર્તિ જમીન પર જ રાખવામાં આવી હતી.

 બોટાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

પોરબંદર પોલીસે કુખ્યાત ગેંગલીડર ભીમા દુલાની કરી અટકાયત
પોરબંદર પોલીસે કુખ્યાત ગેંગલીડર ભીમા દુલાની કરી અટકાયત
પોલીસ વિભાગમાં ખાલી જગ્યાઓને લઈને HCએ વ્યક્ત કરી ચિંતા
પોલીસ વિભાગમાં ખાલી જગ્યાઓને લઈને HCએ વ્યક્ત કરી ચિંતા
ઈકો સેન્સિટિવ ઝોન અંગે ખેડૂતો ખોટી ભ્રમણાઓથી રહો દૂર઼- પૂર્વ DCF, ગીર
ઈકો સેન્સિટિવ ઝોન અંગે ખેડૂતો ખોટી ભ્રમણાઓથી રહો દૂર઼- પૂર્વ DCF, ગીર
જસદણના વિરનગર ગામે ચોર વીજ ટ્રાન્સફોર્મર જ ચોરી ગયા
જસદણના વિરનગર ગામે ચોર વીજ ટ્રાન્સફોર્મર જ ચોરી ગયા
રાજકોટમાંથી 461 દારુની બોટલ ઝડપાઈ, પોલીસે 2 લોકોની કરી ધરપકડ
રાજકોટમાંથી 461 દારુની બોટલ ઝડપાઈ, પોલીસે 2 લોકોની કરી ધરપકડ
શક્તિપીઠ અંબાજીના ચાચર ચોકમાં વિનામુલ્યે ‘ચા પ્રસાદ'નું વિતરણ
શક્તિપીઠ અંબાજીના ચાચર ચોકમાં વિનામુલ્યે ‘ચા પ્રસાદ'નું વિતરણ
નાસિકથી દિલ્હી ટ્રેન મારફતે મોકલવામાં આવી ડુંગળી, રાહત દરે કરાશે વેચાણ
નાસિકથી દિલ્હી ટ્રેન મારફતે મોકલવામાં આવી ડુંગળી, રાહત દરે કરાશે વેચાણ
રતનમહાલ રીંછ અભ્યારણમાં આવેલા ધોધને પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાયો
રતનમહાલ રીંછ અભ્યારણમાં આવેલા ધોધને પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાયો
કલ્યાણપુરમાં ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો
કલ્યાણપુરમાં ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો
આ 4 રાશિના જાતકોનો સમાજમાં પ્રભાવ વધશે
આ 4 રાશિના જાતકોનો સમાજમાં પ્રભાવ વધશે
g clip-path="url(#clip0_868_265)">