બોપલના ફાયનાન્સરે વડોદરામા કરેલી આત્મહત્યા કેસમાં 10 આરોપી સામે ફરીયાદ દાખલ
અમદાવાદના બોપલમાં રહેતા અને ફાયનાન્સના વ્યવસાય સાથે સંકળાયેલા અલ્પેશ પટેલે વડોદરાની એમિટી હોટેલ ગળાફાસો ખાઈને આત્મહત્યા કરી લીધી. અલ્પેશ પટેલે આત્મહત્યા કરતા પહેલા લખેલ સ્યુસાઈડ નોટમાં, તેના ભાગીદાર અને કેટલાક અસામાજીક તત્વોના ત્રાસને કારણે આત્મહત્યા કરી હોવાનું લખી જણાવ્યું છે. સયાજીગંજ પોલીસે સ્યુસાઈડ નોટના આધારે કુલ 10 આરોપીઓ સામે દુષ્પ્રેરણા આપવાનો ગુન્હો નોધીને વધુ કાર્યવાહી […]
અમદાવાદના બોપલમાં રહેતા અને ફાયનાન્સના વ્યવસાય સાથે સંકળાયેલા અલ્પેશ પટેલે વડોદરાની એમિટી હોટેલ ગળાફાસો ખાઈને આત્મહત્યા કરી લીધી. અલ્પેશ પટેલે આત્મહત્યા કરતા પહેલા લખેલ સ્યુસાઈડ નોટમાં, તેના ભાગીદાર અને કેટલાક અસામાજીક તત્વોના ત્રાસને કારણે આત્મહત્યા કરી હોવાનું લખી જણાવ્યું છે. સયાજીગંજ પોલીસે સ્યુસાઈડ નોટના આધારે કુલ 10 આરોપીઓ સામે દુષ્પ્રેરણા આપવાનો ગુન્હો નોધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરાના સયાજીગંજ પોલીસે અલ્પેશ પટેલ જેમની સાથે વ્યવસાય કરતા હતા તે, નરેન્દ્રસિંહ વાઘેલા, નાગાર્જુન મોઢવાડીયા, મેઘરાજભાઈ, અનિરુદ્ધ સિંહ, મુકેશભાઈ વાઘેલા, લાલો વાઘેલા, લક્કી વાઘેલા, ભરતસિંહ જોધા અને અમિત ખૂટ સામે ગુન્હો નોધ્યો છે. અલ્પેશે સ્યુસાઈડ નોટમાં એવુ પણ લખ્યુ છે કે, આરોપીઓને કુખ્યાંત ગુનેગારો અને ઉચ્ચ રાજકારણીઓ સાથે ઘરોબો છે. પોરબંદરનો નાગર્જુન મોઢવાડીયા કુખ્યાત માફિયાઓના સહારે અમદાવાદમાં ધાક જમાવી રહ્યો છે. નાગર્જુન મોઢવાડીયા સહિતના માથાભારે શખ્સો દ્વારા અમદાવાદમાં અનેક લોકો પર આતંક મચાવવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃઆવક કરતા મિલ્કતો વધુ હોવાથી સુરતના ડેપ્યુટી મ્યુ. કમિશનર કેતન પટલે સામે ACBની તપાસ
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો