આ ચૂંટણીમાં ભાજપનું અભિમાન તુટ્યું છે, સરકાર રચવા 272 સાંસદ જોઈએની વાત કાયમ ભાજપને યાદ રહી જશેઃ ગેનીબેન ઠાકોર

આ વખતની ચૂંટણીમાં ભાજપનું અભિમાન તુટ્યું છે. ભાજપ છાતી ફુલાવીને કહેતુ હતું કે, આ વખતે ઈકો વાનમાં સમાય એટલા જ સાંસદો ચૂંટણી જીતશે. પરંતુ કોંગ્રેસ અને ઈન્ડિયા ગઠબંધને એકલુ ભાજપ પણ સરકાર ના બનાવી શકે તેવી સ્થિતિમાં લાવી દીધુ છે. સરકાર બનાવવા 272 સભ્યો જોઈએની વાત કરતા ભાજપને એ વાત હવે કાયમ યાદ રહી ગઈ હશે.

આ ચૂંટણીમાં ભાજપનું અભિમાન તુટ્યું છે, સરકાર રચવા 272 સાંસદ જોઈએની વાત કાયમ ભાજપને યાદ રહી જશેઃ ગેનીબેન ઠાકોર
Follow Us:
Narendra Rathod
| Edited By: | Updated on: Jun 13, 2024 | 7:00 PM

બનાસકાંઠાના સાંસદપદે ચૂંટાયા બાદ, આજે વાવના ધારાસભ્યપદેથી રાજીનામું આપ્યા બાદ, ગેનીબેન ઠાકોરનું કોંગ્રેસ કાર્યાલય ખાતે સન્માન સમારોહનું આયોજન કરાયું હતું. આ સન્માન સમારોહમાં બોલતા, ગેનીબેન ઠાકોરે ભાજપ પર આકરા વાકપ્રહારો કરતા કહ્યું કે, આ વખતની ચૂંટણીમાં ભાજપનું અભિમાન તુટ્યું છે. ભાજપ છાતી ફુલાવીને કહેતુ હતું કે, આ વખતે ઈકો વાનમાં સમાય એટલા જ કોંગ્રેસના સાંસદો ચૂંટણી જીતશે. પરંતુ કોંગ્રેસ અને ઈન્ડિયા ગઠબંધને એકલુ ભાજપ પણ સરકાર ના બનાવી શકે તેવી સ્થિતિમાં લાવી દીધુ છે. સરકાર બનાવવા 272 સભ્યો જોઈએની વાત ઠેર ઠેર ભાજપ કરતું હતું. 272 સભ્યોની એ વાત હવે ભાજપને કાયમ યાદ રહી ગઈ હશે. તેઓ એકલા 272 તો શું 250 સુધી પણ ના પહોચ્યા.

ગેનીબેન ઠાકોરે, કહ્યું કે પહેલી ચૂંટણી 1995માં લડી હતી ત્યારે ઉંમર 18 વર્ષની હતી. પંચાયતથી પાર્લામેન્ટ સુધીની 9 ચૂંટમી લડી. આજે જે કાંઈ છુ તે કોંગ્રેસ પાર્ટીને આભારી છુ. ગેનીબેને કોંગ્રેસની વર્તમાન સ્થિતિ અંગે પણ કહ્યું કે, કોંગ્રેસના નેતાઓ પાસે હાલમાં ત્રણ વિકલ્પ છે. પહેલા વિકલ્પ તરીકે, વ્યક્તિગત સ્વાર્થ માટે માતૃ પક્ષ છોડીને લોકોની જેમ સામા પક્ષમાં જતા રહેવું. બીજો વિકલ્પ છે, સંપૂર્ણપણે રાજકારણ છોડીને માત્ર સામાજિક કામ કરવું અથવા તો ઘરે બેસી રહેવું. અને ત્રીજો વિકલ્પ છે, સંઘર્ષનો રસ્તો અપનાવી અભિમાની ભાજપ સામે લડવું, અમે આ ત્રીજો રસ્તો અમે અપનાવ્યો, સંઘર્ષ કર્યો, ભાજપ સામે લડ્યા અને જીત્યા.

બનાસકાંઠાની જનતાના વખાણ કરતા ગેનીબેન ઠાકોરે કહ્યું કે, મને બનાસની બેન નું બિરુદ બનાસકાંઠાની જનતાએ આપ્યું છે. બનાસકાંઠામાંથી સંસદસભામાં જવા માટે મેં પ્રથમવાર મત માંગ્યા તો લોકોએ મને મતની સાથે સાથે ચૂંટણી લડવા માટે રૂપિયા પણ આપ્યા હતા. બનાસકાંઠાનો એકપણ કાર્યકર રિસાયો નથી કે નારાજ પણ નથી થયો. બનાસકાંઠાના કોંગ્રેસ કાર્યકરોએ ખંતથી કામ કર્યું છે. આજે હું રાજીનામું આપવા ગઈ ત્યારે આનંદ થયો હતો. મારું રાજીનામું વ્યક્તિગત સ્વાર્થ કે વિશ્વાસઘાત માટે નહોતું. મેં રાજીનામું આપતા સમયે કોંગ્રેસ નેતાઓને કહ્યું કે, હું પાછી વિધાનસભામાં પરત ફરીશ.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

ભાજપ ઉપર ચાબખા મારતા ગેનીબેને કહ્યું કે, અયોધ્યા અને તેની આજુબાજુ 100 કિલોમીટરના વિસ્તારની એક પણ બેઠક ભાજપ જીતી શક્યું નથી. રામના નામે રાજકારણ કરનારાને ક્યારેય સફળતા નથી મળતી. કોંગ્રેસ પાર્ટીનું ઋણ હું ક્યારેય નહીં ચૂકવી શકું. જ્યાં સુધી કોંગ્રેસની સરકાર ના આવે ત્યાં સુધી રાત્રે સરખી ઊંઘ નથી લેવાની.નેતા તરીકે મતદાતાઓને ઠેસ પહોંચે એવું કંઈપણ કામ ના થાય એવી પ્રભુને પ્રાર્થના કરુ છું.

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">