Breaking News : ભાજપે ગુજરાતના રાજ્યસભાના ઉમેદવારોના નામ કર્યા જાહેર, ‘નો રિપીટ થિયરી’ અપનાવી

આખરે ભાજપ દ્વારા ગુજરાતના રાજ્યસભાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. ભાજપ દ્વારા ગુજરાતના 4 ઉમેદવારોના નામની જાહેરાત કરાઇ છે. સંખ્યાબળના અભાવે કોંગ્રેસે ફોર્મ નહીં ભરવાની જાહેરાત કરી છે.

Breaking News : ભાજપે ગુજરાતના રાજ્યસભાના ઉમેદવારોના નામ કર્યા જાહેર, 'નો રિપીટ થિયરી' અપનાવી
Follow Us:
Kinjal Mishra
| Edited By: | Updated on: Feb 15, 2024 | 9:04 AM

આખરે ભાજપ દ્વારા ગુજરાતના રાજ્યસભાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. ભાજપ દ્વારા ગુજરાતના 4 ઉમેદવારોના નામની જાહેરાત કરાઇ છે. સંખ્યાબળના અભાવે કોંગ્રેસે ફોર્મ નહીં ભરવાની જાહેરાત કરી છે. આ તમામ ઉમેદવારો આવતીકાલે ફોર્મ ભરશે.

આ ચાર ઉમેદવારો રાજ્યસભા ચૂંટણી લડશે

આખરે ભાજપ દ્વારા સસ્પેન્સનો અંત લાવવામાં આવ્યો છે. રાજ્યસભાના ઉમેદવારોના નામ જાહેર કરી દેવામાં આવ્યા છે. ગુજરાતમાંથી ચાર ઉમેદવારના નામ જાહેર કરવામાં આવ્યા છે. ગુજરાતમાંથી જે.પી. નડ્ડા, ગોવિંદભાઇ ધોળકિયા, મયંકભાઇ નાયક અને ડો. જશવંતસિંહ પરમારનું નામ જાહેર કરવામાં આવ્યુ છે.

રાહુ મીન રાશિમાં સ્થિત છે,આ રાશિના જાતકોને આગામી 376 દિવસમાં ફાયદો થશે
શું તમે જાણો છો દાંત પર કેટલી મિનીટ સુધી બ્રશ કરવું જોઈએ ?
ઉનાળામાં પાણીની પ્લાસ્ટિકની ટાંકીના પાણીને રાખો બરફ જેવુ, અપનાવો આ ટીપ્સ
Kesar Mango : ભારતની કેરી સૌથી વધારે ખવાઈ છે આ દેશમાં
Blood Pressure: આ વિટામિનની ઉણપને કારણે બ્લડપ્રેશર વધે છે! જાણો ક્યાં વિટામિનની ઉણપથી વધે છે બ્લડપ્રેશર!
આજનું રાશિફળ તારીખ : 11-05-2024

નો રિપીટ થિયરી જોવા મળી

આ વખતે મનસુખ માંડવિયા અને પરસોતમ રૂપાલાને રાજ્યસભામાં રિપીટ કરવામાં આવ્યા નથી. તેમની 2 ટર્મ થઇ ગઇ હોવાથી તેમને રાજ્યસભામાં ન મોકલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજ્યસભામાં આ ઉમેદવારોને પ્રતિનિધિત્વ આપવામાં આવ્યુ છે.

ગુજરાતમાં ભાજપની ચારેય બેઠક ભાજપના ફાળે

ગુજરાતની 4 બેઠક સહિત રાજ્યસભાની 56 બેઠક માટે ચૂંટણી કાર્યક્રમ કેન્દ્રીય ચૂંટણી પંચે જાહેર કરી દીધો છે. 15 રાજ્યમાં 56 બેઠક ખાલી પડી રહી છે, જેના માટે 27 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાશે. ગુજરાતની ચારેય રાજ્યસભાની બેઠકો ભાજપના ફાળે જવાની છે. અત્યાર સુધી 2 બેઠક ભાજપ અને 2 બેઠક કોંગ્રેસ પાસે હતી.  જો કે સંખ્યાબળના અભાવે કોંગ્રેસે ફોર્મ નહીં ભરવાની જાહેરાત કરી છે.હવે 156 ધારાસભ્યોની સંખ્યા હોવાથી આ ચારેય બેઠક પર ભાજપનો કબજો રહેશે.

કોણ છે ગોવિંદ ધોળકિયા ?

ગોવિંદ ધોળકિયા  અગ્રણી પાટીદાર ઉદ્યોગપતિ તરીકે ઓળખાય છે. તેઓ સુરતના પ્રખ્યાત હીરા વેપારી છે. તેઓ મૂળ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના વતની છે. તેમણે સૌરાષ્ટ્રમાં જળસંચય માટે નોંધપાત્ર કાર્ય કર્યું છે. ધોળકિયા નરેન્દ્ર મોદીની નજીકના મનાય છે.

કોણ છે જશવંતસિંહ પરમાર ?

જશવંતસિંહ પરમાર ગોધરા શહેરના જાણીતા ડોક્ટર છે તેમજ પંચમહાલના બક્ષી પંચ મોરચાના કારોબારી સભ્ય છે. તેઓ બારીયા બક્ષી પંચ સમાજમાંથી આવે છે. ગોધરામાં 60 હજારથી વધુ બારીયા બક્ષી પંચ સમાજના મતદારો છે.

કોણ છે મયંક નાયક ?

મયંક નાયક તેઓ મહેસાણા ભાજપનો અગ્રણી ચહેરો છે તેમજ ભાજપ OBC સેલના અધ્યક્ષ છે. તેઓ  મારી માટી મારો દેશ અભિયાનના ઈન્ચાર્જ રહી ચુકેલા છે.  તેમણે મંડળ સ્તરથી પ્રદેશ સ્તર સુધીની જવાબદારી નિભાવેલી છે.

કોણ છે જે પી નડ્ડા ?

જેપી નડ્ડા મૂળ હિમાચલ પ્રદેશના છે. વિદ્યાર્થીકાળ દરમિયાન જે પી નડ્ડા રાજકારણમાં આવ્યા હતા. તેમણે જય પ્રકાશ નારાયણના વિવિધ આંદોલનોમાં સક્રિયપણે ભાગ લીધો હતો. વર્ષ 1993માં તેઓ હિમાચલ પ્રદેશની બિલાસપુર સદર વિધાનસભા બેઠક પરથી પ્રથમ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા અને વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે પણ ચૂંટાયા હતા. 1998માં તેઓ ફરી એકવાર ધારાસભ્ય બન્યા હતા.

વર્ષ 2010માં તેમને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ બનાવવામાં આવ્યા હતા. 2012માં જેપી નડ્ડા રાજ્યસભાના સાંસદ તરીકે ચૂંટાયા હતા. 2014માં જ્યારે દેશમાં ભાજપની સરકાર બની ત્યારે જેપી નડ્ડાને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી હતી. 2019 માં, તેઓ ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા અને 2020 માં, તેઓ રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા.

શું છે રાજ્યસભાની ચૂંટણીનો કાર્યક્રમ ?

રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાની શરૂઆત 8 ફેબ્રુઆરી 2024થી એટલે કે આજથી થશે અને 15 ફેબ્રુઆરી 2024 સુધી ઉમેદવારી નોંધાવી શકાશે. ત્યારે 16 ફેબ્રુઆરીએ ફોર્મ વેરિફાઈ કરવામાં આવશે. ત્યારબાદ 20 ફેબ્રુઆરી સુધી ઉમેદવાર પોતાનું ફોર્મ પરત ખેંચી શકશે. તે પછી 27 ફેબ્રુઆરીએ મતદાન પ્રક્રિયા સવારે 9 વાગ્યાથી શરૂ થઈને સાંજે 4 વાગ્યા સુધી ચાલશે. ત્યારબાદ સાંજે 5 વાગ્યે મત ગણતરી કરવામાં આવશે.

Latest News Updates

ધોરણ-10ના 117 જેટલા વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર ન થયુ
ધોરણ-10ના 117 જેટલા વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર ન થયુ
NEET પરીક્ષા ચોરીકાંડના મુખ્ય આરોપીના 10 દિવસના રિમાન્ડ મંજૂર
NEET પરીક્ષા ચોરીકાંડના મુખ્ય આરોપીના 10 દિવસના રિમાન્ડ મંજૂર
રોજાસર ગામે લગ્ન પ્રસંગમાં જમ્યા બાદ 30થી વધુ બાળકોમાં ફૂડ પોઈઝનિંગ
રોજાસર ગામે લગ્ન પ્રસંગમાં જમ્યા બાદ 30થી વધુ બાળકોમાં ફૂડ પોઈઝનિંગ
મોરબી અને માળીયા કાંઠા વિસ્તારના 34 ગામોને અપાયુ એલર્ટ
મોરબી અને માળીયા કાંઠા વિસ્તારના 34 ગામોને અપાયુ એલર્ટ
કાળઝાળ ગરમી અને માવઠાની આગાહી
કાળઝાળ ગરમી અને માવઠાની આગાહી
કાળઝાળ ગરમી વચ્ચે આ વર્ષે કેસર કેરીના ભાવે પણ આપ્યા ડામ- જુઓ Video
કાળઝાળ ગરમી વચ્ચે આ વર્ષે કેસર કેરીના ભાવે પણ આપ્યા ડામ- જુઓ Video
ઘોડાએ કર્યો એવો ડાન્સ કે જોઈને સહુ કોઈ બોલી ઉઠ્યા વાહ- જુઓ વીડિયો
ઘોડાએ કર્યો એવો ડાન્સ કે જોઈને સહુ કોઈ બોલી ઉઠ્યા વાહ- જુઓ વીડિયો
ઈફ્કો વિવાદ મુદ્દે જયેશ રાદડિયાનો પલટવાર, વિરોધ કરનારાઓ જુએ ભૂતકાળ
ઈફ્કો વિવાદ મુદ્દે જયેશ રાદડિયાનો પલટવાર, વિરોધ કરનારાઓ જુએ ભૂતકાળ
બનાસકાંઠા: એરોમા સર્કલની ખોરંભે ચડેલી કામગીરી શરૂ, TV9 ના અહેવાલની અસર
બનાસકાંઠા: એરોમા સર્કલની ખોરંભે ચડેલી કામગીરી શરૂ, TV9 ના અહેવાલની અસર
મહેસાણાઃ કાળજાળ ગરમીથી રાહત મેળવવા લોકો વોટર પાર્કનો લઈ રહ્યા છે સહારો
મહેસાણાઃ કાળજાળ ગરમીથી રાહત મેળવવા લોકો વોટર પાર્કનો લઈ રહ્યા છે સહારો
g clip-path="url(#clip0_868_265)">