Bhavnagar: 37મી રથયાત્રાની તડામાર તૈયારીઓ, ભગવાનના નવા વાઘા બનાવવાની થઈ શરૂઆત

ભાવનગર (Bhavnagr) ખાતે નીકળનારી 37મી રથયાત્રા માટેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ત્યારે વર્ષોથી ભગવાનના નવાં વાઘા બનાવતા ભાવિક ભક્તે નવા વસ્ત્રો બનાવવાની શરૂઆત કરી દીધી છે.

Bhavnagar: 37મી રથયાત્રાની તડામાર તૈયારીઓ, ભગવાનના નવા વાઘા બનાવવાની થઈ શરૂઆત
Bhavnagar - Rathyatra 2022
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 19, 2022 | 3:06 PM

Bhavnagar Rathyatra 2022: ભાવનગર (Bhavnagr) ખાતે નીકળનારી 37મી રથયાત્રા માટેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. શહેરના ભાવિકો જે વર્ષોથી ભગવાનના વાઘા બનાવે છે તેમણે ભગવાનના નવા વસ્ત્રો બનાવવાની શરૂઆત કરી દીધી છે. ભાવનગરમાં બે વર્ષ બાદ 37મી રથયાત્રા નીકળશે. રાજ્યમાં અમદાવાદ બાદ બીજી સૌથી મોટી રથયાત્રા ભાવનગરમાં નીકળે છે જેનો રૂટ 17 થી 18 કિલોમીટર લાંબો છે આ વખતે કોરોના મહામારીના બે વર્ષ બાદ રથયાત્રા નીકળી રહી છે. ત્યારે રથયાત્રા સમિતિના કાર્યકરો તેમજ શહેરીજનો આ રથયાત્રા માટે ખૂબ જ ઉત્સાહમાં છે. સાથે જ ભાવનગરનું તંત્ર અને પોલીસ બેડામાં પણ આ રથયાત્રાને અનુલક્ષીને સુરક્ષા વ્યવસ્થા અંગેની તૈયારીઓ પણ કરવામાં આવી છે.

ભાવનગરમાં દર વર્ષે ભવ્ય રીતે રથયાત્રા નીકળે છે આ વર્ષે રથયાત્રામાં 100 જેટલી ટ્રક, 15 ટ્રેકટર, 10 છકડાં, 8 ઘોડા, 5 હાથી અને 4 અખાડા જોડાય તેવું પ્રાથમિક આયોજન કરવામાં આવ્યું છે. રથયાત્રા સમિતિના ચેરમેન હરુભાઈ ગોંડલીયાએ જણાવ્યા મુજબ રથયાત્રાની તૈયારીઓ માટે વિવિધ સમિતિને કામ સોંપવામાં આવ્યું છે અને શહેરમાં વિવિધ સ્થળે રથયાત્રા ઉત્સવના હોર્ડિંગ્સ પણ લગાવવામાં આવ્યા છે.

ભગવાનના નવા વાઘા બનાવવાની થઈ શરૂઆત

રથયાત્રાના દિવસે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઇ બલરામ સાથે નગરયાત્રાએ નીકળશે. ત્યારે ભગવાનને નવા વાઘા અને અંલકારોના શણગાર કરવામાં આવે છે. ભાવનગર ખાતે ભાવિક ભક્ત વર્ષોથી હરજીવનભાઈ દાણીધારીયા ભગવાનના વાઘા બનાવે છે. કાળિયા બીડમાં રહેતા મહિલા ભક્ત પ્રફુલ્લાબેન રાઠોડ દ્વારા ભગવાનને પહેરાવવામાં આવતી પાઘ અને સાફા બનાવવાની શરૂઆત કરવામાં આવી છે. જેમાં મોતી અને ઝરીની લેસ વગેરેનો ઉપયોગ કરવામાં આવ્યો છે. વિશેષ વાઘાના શણગાર સાથે જ્યારે ભગવાન રથયાત્રાએ નીકળે છે ત્યારે શહેરના નાગરિકો આ નયનરમ્ય દર્શન કરીને ધન્યતા અનુભવે છે.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

ભાવિક ભક્ત વર્ષોથી બનાવે છે વિશેષ વાઘા

ભાવનગરમાં જ્યારથી રથયાત્રાની શરૂઆત થઈ ત્યારથી ભાવિક ભક્ત હરજીવનભાઈ દાણીધારીયા નામના ભક્ત ભગવાન જગન્નાથના વાઘા રથયાત્રા માટે ખાસ તૈયાર કરે છે. તેઓ ખાસ સિલ્કના કાપડમાંથી ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાના રંગબેરંગી અને ચમકદમક વાળા ખાસ વાઘા તૈયાર કરે છે. રથયાત્રાના દિવસે ભગવાન જગનાનાથને આ વસ્ત્રો પહેરાવી શહેરના રાજમાર્ગો પર લોકોના દર્શન માટે રથયાત્રા પસાર કરાશે. આ દિવસે ભગવાનના દર્શન અને ખાસ કરીને ભગવાનને ખાસ તૈયાર કરેલા વાઘા સાથે જોવાનો એક લ્હાવો છે.

Latest News Updates

ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી, આ ચાર જિલ્લામાં અપાયુ યલો એલર્ટ
ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી, આ ચાર જિલ્લામાં અપાયુ યલો એલર્ટ
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
g clip-path="url(#clip0_868_265)">