Bhavnagar Corona: ઉમરાળાનાં ચોગઠ ગામે કોરોનાથી હાહાકાર, 20 દિવસમાં 80 કરતા વધારેનાં મોત, નેતાઓએ ગ્રામજનોથી મોઢા ફેરવી લીધા

Bhavnagar Corona: ભાવનગરના ઉમરાળા તાલુકાના ચોગઠ ગામમાં કોરોનાને કારણે સ્થિતિ ખૂબ જ ખરાબ છે. છેલ્લા 20 દિવસમાં ગામમાં 80થી 90 લોકોના મોત નિપજ્યા હોવાનો દાવો ગ્રામજનો કરી રહ્યા છે. ટીવીનાઈને જ્યારે આ ગામની સ્થિતિ અને અહેવાલ પ્રદર્શિત કર્યો ત્યાર પછી તંત્ર દોડતું થયું હતું.

| Updated on: May 06, 2021 | 2:14 PM

Bhavnagar Corona: ભાવનગરના ઉમરાળા તાલુકાના ચોગઠ ગામમાં કોરોનાને કારણે સ્થિતિ ખૂબ જ ખરાબ છે. છેલ્લા 20 દિવસમાં ગામમાં 80થી 90 લોકોના મોત નિપજ્યા હોવાનો દાવો ગ્રામજનો કરી રહ્યા છે. ટીવીનાઈને જ્યારે આ ગામની સ્થિતિ અને અહેવાલ પ્રદર્શિત કર્યો ત્યાર પછી તંત્ર દોડતું થયું હતું.

અધિકારીઓ સહિત આરોગ્ય વિભાગની ટીમે ચોગઠ ગામની મુલાકાત લીધી. આ દરમિયાન ડેપ્યૂટી કલેક્ટર સાથે જ્યારે ટીવીનાઈને વાત કરી તો અધિકારીએ જણાવ્યું કે ફક્ત 27 લોકોના જ મોત નિપજ્યા છે, જો કે અધિકારીની આ વાતનો ગ્રામજનોએ છેદ ઉડાવ્યો છે..

તો આ તરફ આરોગ્ય અધિકારી પણ દાવો કરી રહ્યા છે કે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ચોગઠ ગામમાં મહિનામાં 21 કેમ્પ કરવામાં આવ્યા છે. સવાલ એ છે કે જો ગામમાં 21 કેમ્પ કરવામાં આવ્યા છે તો કેસની સંખ્યામાં આટલો ઉછાળો શા માટે? શા માટે ગામમાં 20 જ દિવસમાં 80થી વધુ લોકોના કોરોનાને કારણે મોત નિપજ્યા? તંત્ર પાસે આ સવાલોના જવાબ નથી. તંત્રના અધિકારીઓ બસ ખોટા દાવાઓ કરી રહ્યા છે.

તંત્ર એમ પણ કોરોનાનાં આંકડા હોય કે પછી ટેસ્ટીંગનાં આંકડા હંમેશા તેમાં ફરક આવતો જ હોય છે. એમાં પણ વાત જ્યારે મોતનાં આંકડાની હોય તો સ્વાભાવિક છે કે એમાં જનતા જે કહે તેમાં સરકાર સાથે તાળો ન જ મળે. ભાવનગરનાં ઉમરાળામાં પણ મોતનાં આંકડા વચ્ચે ગ્રામજનોમાં ભય ફેલાયો છે.

લોકોમાં આક્રોશ એ વાત નો છે કે તેમના સ્વજનો મરી રહ્યા હતા પણ જેમને તેમણે મત આપ્યા તે નેતાઓએ તો જાણે ગ્રામજનો અને ગામથી મોઢુ જ ફેરવી લીધુ. આટલા દિવસો વિતિ ગયા બાદ પણ કોઈ નેતા આવ્યો નથી કે તેમને સધિયારો નથી આપવામાં આવ્યો.

 

Follow Us:
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">