Bhavnagar: તાઉ તે વાવાઝોડાનાં પગલે ભાવનગરના બ્લેક બક નેશનલ પાર્કમાં 21 કાળિયારના મોત, 50ને બચાવી લેવાયા

Bhavnagar: તાઉ તે (Tauktae Cyclone) વાવાઝોડાના કારણે ભાવનગરના બ્લેક બક (BlackBuck) નેશનલ પાર્કમાં 21 કાળિયારના મોત થયા હોવાની વિગતો સામે આવી છે.

| Updated on: May 24, 2021 | 9:44 AM

Bhavnagar: તાઉ તે (Tauktae Cyclone) વાવાઝોડાનાં પગલે ગુજરાતમાં વેરાયેલા વિનાશની નિશાનીઓ રહી રહીને બહાર આવી રહી છે. ખેડુતોને થયેલા અપાર નુક્શાનીનો આંકડાની વિગતો મેળવવામાં આવી રહી છે. ‘તાઉ તે’ વાવાઝોડાના કારણે ભાવનગરના બ્લેક બક (BlackBuck) નેશનલ પાર્કમાં 21 કાળિયારના મોત થયા હોવાની વિગતો સામે આવી છે.

વાવાઝોડાનાં કપરા સમયમાં 50થી વધુ કાળિયારનું અલગ-અલગ જગ્યાએથી બચાવકાર્ય કરવામાં આવ્યું છે. વાવાઝોડાના કારણે કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન, વેળાવદર અને આસપાસના વિસ્તારોમાં મોટી સંખ્યામાં કાળિયારો મૃત્યુ પામ્યા હોય કે જખમી થયા હોય તેવી ઘટના સામે આવી હતી. રેસ્ક્યુ કરાયેલા કાળિયારોને અલગ અલગ વિસ્તારમાં છોડી દેવામાં આવ્યા છે. હાલ નેશનલ પાર્ક ખાતે 6 હજારથી વધુ કાળિયાર વસવાટ કરે છે.

જણાવવું રહ્યું કે ‘તાઉ તે’ વાવાઝોડાથી 12 જિલ્લામાં 79 લોકોના મોત થયા હતા કે જે 1998ની કંડલા તબાહી બાદ પ્રથમ વખત ભારે નુકસાન પહોચ્યાની વિગતો છે. વાવાઝોડાના કારણે અરબી સમુદ્રમાં ફસાયેલા જહાજમાં 22 લોકોના મોત થયા હતા.

અમરેલી જિલ્લામાં સૌથી વધુ 45 લોકોના મોત, અનેક હજુ લાપતા છે કે જેમના  પરિવારજનોને કેન્દ્ર સરકારની 2 લાખની સહાય કરવામાં આવી છે. રાજ્યમાં અંદાજે 3 હજાર કરોડનું નુકસાન બતાવવામાં આવી રહ્યું છે તો 4 જિલ્લામાં જ 1100 કરોડની નુકસાની થઈ હોવાના અહેવાલ પણ છે.

Follow Us:
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
બારડોલીમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન યોજાયું
બારડોલીમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન યોજાયું
નવસારીમાં મહિલાએ સોનીને 6 લાખનો ચૂનો ચોપડ્યો
નવસારીમાં મહિલાએ સોનીને 6 લાખનો ચૂનો ચોપડ્યો
સુરતમાં સી.આર.પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો
સુરતમાં સી.આર.પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
g clip-path="url(#clip0_868_265)">