Loksabha Election 2024 : આજથી PM મોદી ગુજરાતમાં ચૂંટણી પ્રચારના કરશે શ્રી ગણેશ, 2 દિવસમાં 14 લોકસભા આવરી લેશે

રાહુલ ગાંધીના 2 દિવસના ચૂંટણી પ્રચાર બાદ આજથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં પ્રચારનું રણશિંગુ ફૂંકશે. આજે અને આવતીકાલે PM મોદી 6 જેટલી જાહેર સભાને સંબોધન કરવાના છે.

Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 01, 2024 | 9:28 AM

લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાનને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં ચૂંટણીના પ્રચારમાં કોઈ કચાશ છોડવા માગતા નથી. રાહુલ ગાંધીના 2 દિવસના ચૂંટણી પ્રચાર બાદ આજથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં પ્રચારનું રણશિંગુ ફૂંકશે. આજે અને આવતીકાલે PM મોદી 6 જેટલી જાહેર સભાને સંબોધન કરવાના છે.

14 લોકસભા બેઠક આવરી લેશે

આ 6 સભાઓમાં 14 લોકસભા મત વિસ્તારને આવરી લેવામાં આવશે. આજે PM મોદી ઉત્તર ગુજરાતના મતદારો માટે ચૂંટણીનો પ્રચંડ પ્રચાર કરશે. જ્યાં ડીસા અને હિંમતનગરમાં જંગી સભાને સંબોધન કરી બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા અને અમદાવાદ પૂર્વ લોકસભા મત વિસ્તારના મતદારોને સંબોધશે.

આવતીકાલે 2 મે ના દિવસે PM મોદી 4 જંગી મહાસભાને સંબોધન કરી મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પ્રચાર કરશે. આણંદ, વઢવાણ, જૂનાગઢ અને જામનગરમાં સભાઓ કરીને આણંદ, ખેડા, સુરેન્દ્રનગર, રાજકોટ, ભાવનગર, જૂનાગઢ, પોરબંદર, અમરેલી, જામનગર લોકસભા માટે પ્રચાર કરશે.

આજનું રાશિફળ તારીખ : 21-05-2024
RCBનો લકી ચાર્મ અને વિરાટ કોહલીનો રૂમ પાર્ટનર કેમ રડવા લાગ્યો?
નારિયેળની છાલને ફેંકશો નહીં, દાંતથી લઈ વાસણ ચમકાવા માટે છે ઉપયોગી
RCB vs CSK મેચમાં 'મિસ્ટ્રી ગર્લ'એ કર્યો જબરદસ્ત ડાન્સ, વીડિયો વાયરલ
ધર્મેન્દ્ર થી જાહ્નવી કપૂર સુધી, મુંબઈના મતદાન મથકો પર ચમક્યું બોલિવૂડ
ઉનાળામાં પેટમાં એસીડિટીથી રાહત મેળવવા માટે કરો આ ઉપાય

PM મોદી ગુજરાત પ્રચારના શ્રી ગણેશ ડીસાથી કરશે

લોકસભાની ચૂંટણીનો પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે, ત્યારે ત્રીજા તબક્કાના મતદાન માટે આજે PM મોદી ગુજરાત પ્રચારના શ્રી ગણેશ ડીસાથી કરશે. વડાપ્રધાન મોદી ગુજરાતમાં બે દિવસમાં કુલ છ સભા ગજવશે. ડીસામાં જંગી જાહેર સભાને સંબોધી શરૂઆત કરવાના છે. જેને લઈને તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. તો સુરક્ષા બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે.

આ સભા બપોરના સમયે હોવાથી કેટલીક વિશેષ વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે. જેમાં ગરમીથી ઠંડક રહે તે માટે સભા મંડપમાં મિસ્ટીંગ કુલીંગ સિસ્ટમ લગાવાઈ છે. જેમાં ફુવારા દ્વારા પ્રેસરથી પાણીનો છંટકાવ થશે. આ ઉપરાંત સભા મંડપમાં 100 જેટલા જમ્બો કુલર લગાવાશે. જેથી બહાર કરતા મંડપની અંદરનું તાપમાન 8 ડિગ્રી જેટલું નીચું રહેશે.

આ ઉપરાંત આરોગ્યની 10 ટીમો મેડિકલ ઓફિસર સાથે તહેનાત કરાઈ છે. જેમાં પેરા મેડિકલ સ્ટાફ સાથે 10 એમ્બ્યુલન્સ પણ ઉપસ્થિત રહેશે. જ્યારે 108ની છ ઈમરજન્સી વાન સભા સ્થળે ઉપસ્થિત રહેશે. આ સાથે લોખંડી સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવી દેવાઈ છે.

Latest News Updates

આ ચાર રાશિના જાતકોનો આજનો દિવસ વિશેષ લાભ અને પ્રગતિનો રહેશે
આ ચાર રાશિના જાતકોનો આજનો દિવસ વિશેષ લાભ અને પ્રગતિનો રહેશે
ચોટિલામાં ભરઉનાળે પીવાના પાણીનાી તંગી, 40થી વધુ ગામોને નથી મળતુ પાણી
ચોટિલામાં ભરઉનાળે પીવાના પાણીનાી તંગી, 40થી વધુ ગામોને નથી મળતુ પાણી
ISISના આતંકવાદીઓની પૂછપરછમાં મોટો ખૂલાસો, સુસાઈડ બોમ્બર બનવા હતા તૈયાર
ISISના આતંકવાદીઓની પૂછપરછમાં મોટો ખૂલાસો, સુસાઈડ બોમ્બર બનવા હતા તૈયાર
પાણીની કિંમત તંત્રને નથી સમજાતી? મોડાસા નજીક પાઈપલાઈન મહિનાઓથી લીકેજ
પાણીની કિંમત તંત્રને નથી સમજાતી? મોડાસા નજીક પાઈપલાઈન મહિનાઓથી લીકેજ
500 રૂપિયા આપવાની ના પાડતા નરાધમ પુત્રએ પોતાના જ ઘરને લગાવી દીધી આગ
500 રૂપિયા આપવાની ના પાડતા નરાધમ પુત્રએ પોતાના જ ઘરને લગાવી દીધી આગ
ચાકુની અણીએ હિંમતનગરમાં વેપારી લૂંટાયો, રુપિયા 6.15 લાખની લૂંટ
ચાકુની અણીએ હિંમતનગરમાં વેપારી લૂંટાયો, રુપિયા 6.15 લાખની લૂંટ
આકરા ઉનાળા વચ્ચે પાણીકાપ ! 40 હજારથી વધુ લોકોને નહીં મળે પાણી
આકરા ઉનાળા વચ્ચે પાણીકાપ ! 40 હજારથી વધુ લોકોને નહીં મળે પાણી
અમદાવાદમાં આગામી પાંચ દિવસ જાહેર કરાયુ ગરમીનું રેડ એલર્ટ- Video
અમદાવાદમાં આગામી પાંચ દિવસ જાહેર કરાયુ ગરમીનું રેડ એલર્ટ- Video
બનાસકાંઠા: સુજલામ સુફલામ કેનાલમાંથી પાણી છોડવા ખેડૂતોની માંગ, જુઓ
બનાસકાંઠા: સુજલામ સુફલામ કેનાલમાંથી પાણી છોડવા ખેડૂતોની માંગ, જુઓ
અમદાવાદની 15 મદરેસાઓએ માહિતી આપવાનો કર્યો ઇન્કાર, જુઓ-video
અમદાવાદની 15 મદરેસાઓએ માહિતી આપવાનો કર્યો ઇન્કાર, જુઓ-video
g clip-path="url(#clip0_868_265)">