AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anand: ભરતસિંહના નિવાસસ્થાન બેવર્લી હિલ્સમાં મીડિયા કર્મીઓ સાથે ગેરવર્તન, પ્રવેશ પર પણ લગાવી રોક

આણંદના (Anand) બોરસદમાં બેવર્લી હિલ્સ સોસાયટીમાં ભરતસિંહ સોલંકીનો (Bharatsinh Solanki) બંગલો આવેલો છે. જેમાં હાલમાં રેશમા પટેલ રહે છે. ભરતસિંહને લઇને હાલમાં ચાલતા વિવાદોને લઇને મીડિયાકર્મીઓએ રેશમા પટેલ સાથે મળવા દેવામાં આવ્યા ન હતા.

Anand: ભરતસિંહના નિવાસસ્થાન બેવર્લી હિલ્સમાં મીડિયા કર્મીઓ સાથે ગેરવર્તન, પ્રવેશ પર પણ લગાવી રોક
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 03, 2022 | 6:21 PM
Share

કોંગ્રેસ (Congress) નેતા ભરતસિંહ સોલંકીને (Bharatsinh Solanki) અન્ય યુવતી સાથે સંબંધ હોવાનો તેમની પત્નીએ આરોપ લગાવ્યો છે. બે દિવસ પહેલા ભરતસિંહ સોલંકીનો રેશમા પટેલે વીડિયો પણ વાયરલ કર્યો હતો. વાયરલ વીડિયો અંગે ભરતસિંહે ખુલાસો પણ કર્યો છે. ત્યારે ભરતસિંહ પર આરોપ લગાવનાર તેમની પત્નીને મળવા માટે કેટલાક મીડિયા કર્મીઓ આણંદના (Anand) બોરસદ સ્થિત ભરતસિંહના બંગલે પહોંચ્યા હતા. પરંતુ બેવર્લી હિલ્સમાં રેશ્મા પટેલને મળવા પહોંચેલા મીડિયા કર્મી સાથે ગરવર્તન થયું. બેવર્લી હિલ્સના સેક્રેટરી બિપિન પટેલે મીડિયા કર્મીઓ સાથે અસભ્ય વર્તન કર્યું હતું અને ભરતસિંહ સોલંકીના પત્નીને રેશ્મા પટેલને મળવાથી રોક્યા હતા. એટલું જ નહીં બેવર્લી હિલ્સમાં મીડિયા કર્મીઓ પ્રવેશતા સોસાયટીના રહીશોએ હોબાળો મચાવ્યો હતો.

આણંદના બોરસદમાં બેવર્લી હિલ્સ સોસાયટીમાં ભરતસિંહ સોલંકીનો બંગ્લો આવેલો છે. જેમાં હાલમાં રેશમા પટેલ રહે છે. ભરતસિંહને લઈને હાલમાં ચાલતા વિવાદોને લઈને મીડિયાકર્મીઓએ રેશમા પટેલ સાથે મળવા દેવામાં આવ્યા ન હતા. સેક્રેટરી અને ચેરમેન કે જે સોસાયટીનું સંચાલન કરે છે તેમના દ્વારા મીડિયા કર્મીઓ સાથે ગેરવર્તણુક કરવામાં આવી. સાથે જ મીડિયા કર્મીઓના સોસાયટીમાં પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે.

કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકી પત્ની સાથેના સંબંધોને લઇને છેલ્લા થોડા દિવસથી ચર્ચામાં છે. ભરતસિંહ સોલંકી પોતાના વ્યક્તિગત જીવનને લઈ હાલ વિવાદોમાં છે. બે દિવસ પહેલા ભરતસિંહ સોલંકીનો અન્ય યુવતી સાથેનો વીડિયો વાયરલ થયો હતો. જેને લઇને ભરતસિંહ સોલંકીએ પ્રેસ કોન્ફરન્સ કરીને ખુલાસો કર્યો છે. ભરતસિંહ સોલંકીએ ગુજરાતમાં ચૂંટણી નજીક આવતા વાતને તોડી મરોડીને રજુ કરાતી હોવાનું જણાવ્યુ છે.

ભરતસિંહ સોલંકીએ જણાવ્યુ કે કોંગ્રેસમાં જોડાયો ત્યાંરથી મારા 30 વર્ષના જાહેર જીવનમાં ભ્રષ્ટાચાર અને તકરાર કે અન્ય કોઈ વિવાદો થયા નથી. પણ ચૂંટણી આવતા જ હવે ક્યારેક રામ મંદિરના મુદ્દે તો ક્યારેક આવા વાયરલ વીડિયો દ્વારા વાતને તોડી મરોડીને વિવાદો ઉભા કરવામાં આવે છે. તેમણે કહ્યુ કે મારુ માનવુ હતુ કે ઘરની વાત ઘરમાં જ રહે તો સારુ છે. બહાર વાત ન જાય એનો મારો આગ્રહ હતો, પણ આ રીતે વાત સામે આવી. મારે કોઈ પર્સનલ એસોસીનેશન કરવું નથી એના પુરાવા મારે કોર્ટમાં રજૂ કરવા છે.

Follow Us
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
રજાઓમાં સાપુતારા ફરવા જવાનું છે? તો ગાડીની સ્પીડ ઓછી રાખજો
રજાઓમાં સાપુતારા ફરવા જવાનું છે? તો ગાડીની સ્પીડ ઓછી રાખજો
g clip-path="url(#clip0_868_265)">