AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાજયભરમાં ઉનાળા દરમિયાન લાખો લીટર પાણીનો વેડફાટ, તંત્રના કારણે વ્યવસ્થા પર પાણી ફેરવાયું

ઉનાળામાં રાજ્યભરમાં પાણીને લઈ લોકો પરેશાન છે. ત્યારે એક તરફ પાણીની અછત છે અને બીજી તરફ લાખો લીટર પાણીનો વેડફાટ જોવા મળી રહ્યો છે. રાજકોટમાં ગૌરીદળ પાસે આવેલી નર્મદાની લાઇન લીકેજ થતાં પાણીની જાણે નદી ચાલી છે. પાઈપમાં લીકેજનું સમારકામ કરવા 24 કલાકનો સમય લાગી શકે છે. જેના કારણે કોઠારીયા વિસ્તારનું પાણી વિતરણ ખોરવાયુ છે. […]

રાજયભરમાં ઉનાળા દરમિયાન લાખો લીટર પાણીનો વેડફાટ, તંત્રના કારણે વ્યવસ્થા પર પાણી ફેરવાયું
Jayraj Vala
| Edited By: | Updated on: May 17, 2019 | 7:56 AM
Share

ઉનાળામાં રાજ્યભરમાં પાણીને લઈ લોકો પરેશાન છે. ત્યારે એક તરફ પાણીની અછત છે અને બીજી તરફ લાખો લીટર પાણીનો વેડફાટ જોવા મળી રહ્યો છે. રાજકોટમાં ગૌરીદળ પાસે આવેલી નર્મદાની લાઇન લીકેજ થતાં પાણીની જાણે નદી ચાલી છે.

પાઈપમાં લીકેજનું સમારકામ કરવા 24 કલાકનો સમય લાગી શકે છે. જેના કારણે કોઠારીયા વિસ્તારનું પાણી વિતરણ ખોરવાયુ છે. અગાઉ ધોરાજીને પીવાનું પાણી પૂરું પાડતા ફોફળ ડેમની પાઇપ લાઈનનો વાલ્વ લીકેજ થતાં હજારો લીટર પાણી વેડફાયુ હતું. છતાં તંત્રની આંખ ઉઘડી ન હતી.

વડોદરામાં પણ સયાજી હોસ્પિટલની પાણીની ટાંકી ઓવરફ્લો થતા હજારો લીટર પાણી વેડફાતું જોવા મળ્યું હતું. ત્યારે છોટાઉદેપુરના નસવાડીમાં આવેલી પોચંબા પાણી પુરવઠા યોજનામાં ભંગાણ થતાં હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો. ત્યારે એક તરફ લોકો પાણીના પોકારનો સામનો કરી રહ્યાં છે. બીજી તરફ તંત્રની ભુલના કારણે લાખો લીટર પાણીનો બગાડ થઈ રહ્યો છે.

આ પણ વાંચો: વલ્ડૅકપ 2019માં હશે 24 કમેન્ટેટર્સ, જાણો તેમાં ભારતના કેટલા નામ?

Follow Us
g clip-path="url(#clip0_868_265)">