ગુજરાતથી વૈષ્ણોદેવી જવા માંગતા શ્રદ્ધાળુઓ માટે ખુશખબર, રેલ્વેએ કરી મોટી જાહેરાત
ગુજરાતથી વૈષ્ણોદેવી જવા માંગતા યાત્રાળુઓ માટે રેલ્વે વિભાગ ખુશખબર લઈને આવ્યું છે. જી હા રેલ્વેએ અમદાવાદથી નવી દિલ્હી અને ડો.આંબેડકર નગરથી માતા વૈષ્ણોદેવી જતી ટ્રેન દૈનિક ધોરણે કરી છે.
કોરોના વાયરસની બીજી લહેર બાદ, ભારતીય રેલ્વે ફરી એકવાર ટ્રેનોનું સંચાલન વધારી રહી છે. રેલ્વેએ ઘણી નવી ટ્રેનોનું સંચાલન શરૂ કર્યું છે અને કેટલીક ટ્રેનોનું આવર્તન પણ વધાર્યું છે. આવા સમયે ગુજરાતથી વૈષ્ણોદેવી જવા માંગતા યાત્રાળુઓ માટે રેલ્વે વિભાગ ખુશખબર લઈને આવ્યું છે. જી હા રેલ્વેએ ઘણી ટ્રેનોમાં વધારો કર્યો છે અને ટૂંક સમયમાં વધુ નવી ટ્રેનો દોડાવવાની યોજના છે. આ દરમિયાન રેલવેએ અમદાવાદથી નવી દિલ્હી અને આંબેડકર નગરથી માતા વૈષ્ણોદેવી (કટરા) જતી ટ્રેનોની સંખ્યામાં વધારો કર્યો છે.
કેન્દ્રીય રેલ્વે મંત્રી પિયુષ ગોયલે આ વિશે માહિતી આપી છે. પિયુષ ગોયલ ટ્વિટર પર જણાવ્યું કે કોવિડના ઘટતા કેસોને ધ્યાનમાં રાખીને, ટ્રેન સેવાઓ શરૂ કરવા સાથે ઘણી ટ્રેનોનું અંતર વધારવામાં આવ્યું છે. પિયુષ ગોયલે કહ્યું કે ઘણી ટ્રેનોનું આવર્તન વધાર્યું છે. ચાલો જણાવીએ વિગતવાર.
પિયુષ ગોયલે માહિતી આપી છે, ‘કોવિડના ઘટતા ચેપને ધ્યાનમાં રાખીને, ટ્રેન સેવાઓ શરૂ કરવાની સાથે સાથે હાલમાં ચલાવવામાં આવતી ટ્રેનોનું આવર્તન પણ વધારવામાં આવી રહ્યું છે. જેમાં ડો.આંબેડકર નગરથી માતા વૈષ્ણોદેવી, કટરા અને અમદાવાદથી નવી દિલ્હી જતી ટ્રેનો હવે દૈનિક સેવાઓ પૂરી પાડશે.’
શ્રદ્ધાળુઓ માટે ખુશખબર
તમને જણાવી દઈએ કે અમદાવાદથી નવી દિલ્હી જતી ટ્રેનની ફ્રિકવન્સી વધારવામાં આવી છે. 28 જૂનથી આ ટ્રેન દૈનિક દોડશે. આ સિવાય ડો.આંબેડકર નગરથી વૈષ્ણોદેવી જનારી ટ્રેન 1 જુલાઈથી રોજીંદી રીતે પાટા પર દોડશે. તમને જણાવી દઈએ કે હાલમાં આ ટ્રેનની સેવાઓ દૈનિક નથી. કેટલીક ટ્રેન અઠવાડિયાના અમુક જ દિવસોમાં ચાલે છે. હેવ બંને ટ્રેન દૈનિક થવાથી શ્રદ્ધાળુઓને લાભ મળશે. તેઓ અમદાવાદથી દિલ્હી અને ત્યાંથી વૈષ્ણોદેવી સરળતાથી જઈ શકશે.
कोविड के घटते संक्रमण को देखते हुए ट्रेन सेवाओं के शुरु करने के साथ ही, वर्तमान में चल रही ट्रेनों की फ्रीक्वेंसी भी बढ़ाई जा रही है।
इसी क्रम में डॉ. अंबेडकर नगर से माता वैष्णो देवी, कटरा तथा अहमदाबाद से नई दिल्ली जाने वाली ट्रेनें अब रोज़ाना अपनी सेवायें प्रदान करेंगी। pic.twitter.com/XSIcMESwYE
— Piyush Goyal (@PiyushGoyal) June 22, 2021
600 ટ્રેનો શરુ થઇ
દેશના વિવિધ માર્ગો પર દર મહિને ટ્રેનો શરૂ કરવામાં આવી રહી છે. જોકે હાલમાં તમામ ટ્રેનો વિશેષ કેટેગરીમાં છે, પરંતુ તેની સેવાઓ પણ સામાન્ય ટ્રેનો જેવી છે. ભારતીય રેલ્વેએ જણાવ્યું છે કે મુસાફરોની ભારે માંગને ધ્યાનમાં રાખીને માત્ર જૂન મહિનામાં 660 ટ્રેનો શરૂ કરવામાં આવી છે. આ ટ્રેનો વિશેષ સેવા આપી રહી છે.
આ પણ વાંચો: Delta Plus Variant: દેશમાં ચિંતાજનક 40 કેસો આવ્યા સામે, મહારાષ્ટ્ર-કેરળમાં સૌથી વધુ કેસ નોંધાયા