Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કાયમી શિક્ષક ભરતીની માગ સાથે રાજ્યના 13 હજારથી વધુ જ્ઞાન સહાયકો માલ સીએલ પર ઉતર્યા, આ છે મુખ્ય માગો- જુઓ Video

રાજ્યમાં કાયમી શિક્ષક ભરતીની માગ સાથે રાજ્યના 13 હજાર અને અમદાવાદના 600થી વધુ જ્ઞાન સહાયકો માસ સીએલ પર ઉતર્યા છે. તાજેતરમાં TET-TAT પાસ ઉમેદવારોના આંદોલન બાદ સરકારે રાજ્યમાં 7500 શિક્ષકોની ભરતી ત્રણ મહિનામાં કરવાની જાહેરાત કરી છે. ત્યારે જ્ઞાન સહાયકોની માગ છે કે આ ભરતી મહેકમના 10 ટકા જેટલી પણ નથી.

Follow Us:
Narendra Rathod
| Edited By: | Updated on: Jun 21, 2024 | 4:17 PM

રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી અને ગ્રાન્ટ-ઈન-એઈડ શાળાઓમાં સરકારે કાયમી ભરતી કરવાની જાહેરાત કરી છે. ત્યારે કાયમી શિક્ષક ભરતીની માગ સાથે આજે જ્ઞાન સહાયકો માસ સીએલ પર ઉતર્યા છે. રાજ્યના 13 હજારથી વધુ જ્ઞાન સહાયકો મહેકમ પ્રમાણે ભરતી કરવાની માગ સાથે વિરોધ નોંધાવી રહ્યા છે.

આ શિક્ષકોની માગ છે કે રાજ્યમાં 78 હજાર TET-TAT પાસ ઉમેદવારો છે. જેની સામે સરકારે આગામી ત્રણ મહિનામાં લાયકાતના આધારે 7500 જેટલા શિક્ષકોની કાયમી ભરતી કરવાની જાહેરાત કરી છે. જે મહેકમના પુરા 10 ટકા પણ નથી. જ્ઞાન સહાયકોની માગ છે કે રાજ્યમાં 78 હજાર TET-TAT પાસ ઉમેદવારો છે તો સરકારે ઓછામાં ઓછા 35 હજાર કાયમી શિક્ષકોની ભરતી કરવી જોઈએ.

TET-TAT પાસ ઉમેદવારોની મુખ્ય માગ એવી હતી કે રાજ્યમાં જ્ઞાન સહાયકોની ભરતીની જગ્યાએ શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે. રાજ્યમાં ટેટ-ટાટ પાસ ઉમેદવારોની વયમર્યાદા પૂર્ણતાના આરે છે. રાજ્યમાં અત્યારે 70 હજારથી વધુ શિક્ષકોની ઘટ છે અને 1.38 લાખ ઉમેદવારોએ પરીક્ષા પાસ કરી છે છતા કાયમી ભરતી માટે આંદોલન કરવુ પડી રહ્યુ છે.

તમારો ફોન એક મહિનામાં કેટલી વીજળી વાપરે છે?
Plant in pot : ઘરે કૂંડામાં ઉગાડો કૃષ્ણ કમળ ફૂલનો છોડ
આજનું રાશિફળ તારીખ : 16-03-2025
શુભમન ગિલ 23 વર્ષની અભિનેત્રીને કરી રહ્યો છે ડેટ ?
fenugreek seeds : આ વ્યક્તિએ મેથીના દાણા ભૂલથી ખાધા તો ગયા સમજજો
WPL 2025ની ફાઈનલમાં વરસાદ બનશે વિલન? જાણો કેવું હશે મુંબઈમાં હવામાન

આ અંગે પ્રવક્તા મંત્રીએ સ્પષ્ટતા કરી હતી કે ટેટ-ટાટ પરીક્ષા નોકરી આપવા માટે નહીં પરંતુ લાયકાત માટેની પરીક્ષા છે. પ્રાથમિક શાળાના શિક્ષકોની કાયમી ભરતીના નિયમો બની રહ્યા છે. જે ફાઈનલ થયા પછી ભરતી પ્રક્રિયા જાહેર કરાશે.

ઉમેદવારોનો સરકાર સામે સીધો આક્ષેપ છે કે સરકાર કાયમી શિક્ષકોની ભરતી ન કરીને ગ્રાન્ટેડ શાળાઓને બંધ કરવા ઈચ્છે છે. શિક્ષકો જ્યારે રજૂઆત કરવા જાય છે ત્યારે તેમની સાથે આરોપીઓ જેવો વ્યવહાર કરવામાં આવે છે. તેમને ડિટેન કરવામાં આવે છે. જ્ઞાન સહાયકોની માગ છે કે જો તેમની કાયમી ભરતી કરવામાં નહીં આવે તો આગામી સમયમાં વધુ જલદ આંદોલન કરવામાં આવશે. ઉમેદવારોનો આક્ષેપ છે કે જ્યારે જ્ઞાન સહાયક યોજના લાવવામાં આવી હતી ત્યારે જ કાયમી ભરતીની બાંહેધરી આપવામાં આવી હતી, પરંતુ આજ સુધી ભરતી ન કરાતા જ્ઞાન સહાયકોએ હવે સરકાર સામે માસ સીએલનું શસ્ત્ર ઉગામ્યુ છે.

આ પણ વાંચો:  ગોધરામાં NEETની પરીક્ષામાં ચોરી કરાવવાના કૌભાંડમાં NTAની ભૂમિકા શંકાના ઘેરામાં, ખાનગી શાળાને જાણી-જોઈને કેન્દ્ર ફાળવાતા ઉઠ્યા સવાલ – Video

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

આ 4 રાશિના જાતકોને લાંબા અંતરની યાત્રા કે પ્રવાસ પર જવાના સંકેત બનશે
આ 4 રાશિના જાતકોને લાંબા અંતરની યાત્રા કે પ્રવાસ પર જવાના સંકેત બનશે
અગનભઠ્ઠી બનશે ગુજરાતના આ વિસ્તાર !
અગનભઠ્ઠી બનશે ગુજરાતના આ વિસ્તાર !
અમદાવાદના નરોડામાં પાડોશીઓ વચ્ચે મારામારી, છરી વડે હુમલામાં 2 ગંભીર
અમદાવાદના નરોડામાં પાડોશીઓ વચ્ચે મારામારી, છરી વડે હુમલામાં 2 ગંભીર
અમદાવાદ : નિકોલમાં ટાઉન પ્લાઝા કોમ્પલેક્ષમાં બોમ્બ હોવાની અફવા
અમદાવાદ : નિકોલમાં ટાઉન પ્લાઝા કોમ્પલેક્ષમાં બોમ્બ હોવાની અફવા
Breaking News : કચ્છના અંજારમાં તળાવમાં ન્હાવા ગયેલા 5 બાળકો ડૂબ્યા
Breaking News : કચ્છના અંજારમાં તળાવમાં ન્હાવા ગયેલા 5 બાળકો ડૂબ્યા
Vadodara : નશાકારક કફ સિરપ વેચવાનું કૌભાંડ ઝડપાયું, 2 આરોપીની ધરપકડ
Vadodara : નશાકારક કફ સિરપ વેચવાનું કૌભાંડ ઝડપાયું, 2 આરોપીની ધરપકડ
Surat : બાળકી પર ગેટ પડ્યા બાદ પણ ચાલક કાર હંકારી ગયો
Surat : બાળકી પર ગેટ પડ્યા બાદ પણ ચાલક કાર હંકારી ગયો
Vadodara : નશામાં ધૂત કારચાલકે સર્જોય અકસ્માત
Vadodara : નશામાં ધૂત કારચાલકે સર્જોય અકસ્માત
TV9 ગુજરાતીના કોન્કલેવમાં સ્પોર્ટ પર ભાર મુકવા મનસુખ માંડવિયાએ જણાવ્યુ
TV9 ગુજરાતીના કોન્કલેવમાં સ્પોર્ટ પર ભાર મુકવા મનસુખ માંડવિયાએ જણાવ્યુ
આરોપીઓના ગેરકાયદેસર બનાવેલા મકાનના ડિમોલિશન કાર્યવાહી હાથ ધરી
આરોપીઓના ગેરકાયદેસર બનાવેલા મકાનના ડિમોલિશન કાર્યવાહી હાથ ધરી
g clip-path="url(#clip0_868_265)">