વિરમગામના અંધાપાકાંડમાં સરકાર એક્શનમાં, આરોગ્ય પ્રધાને દર્દીઓની મુલાકાત લીધી, હાઇકોર્ટની ફટકાર બાદ દોડતું થયું તંત્ર

વિરમગામના માંડલમાં મોતિયાના ઓપરેશન મુદ્દે હાઇકોર્ટની સુઓમોટો પિટિશન દાખલ કરવામાં આવી છે. હાઇકોર્ટે હેલ્થ સેક્રેટરી અને અમદાવાદ ગ્રામ્ય SPને નોટિસ પાઠવી છે. ન્યાયાધીશ એ.એસ. સુપેહિયા અને ન્યાયધીશ વિમલ વ્યાસની બેન્ચ ન્યૂઝ સંસ્થાઓના અહેવાલને આધારે સુઓમોટો સંજ્ઞાન લીધું છે. 7 ફેબ્રુઆરીએ આ સુઓમોટો ચીફ ન્યાયધીશની કોર્ટમાં રજૂ થશે. પ્રાથમિક તપાસ રિપોર્ટ સોંપવા હાઇકોર્ટે સરકારને આદેશ કર્યો છે.

વિરમગામના અંધાપાકાંડમાં સરકાર એક્શનમાં, આરોગ્ય પ્રધાને દર્દીઓની મુલાકાત લીધી, હાઇકોર્ટની ફટકાર બાદ દોડતું થયું તંત્ર
Follow Us:
Jignesh Patel
| Edited By: | Updated on: Jan 18, 2024 | 9:41 AM

અમદાવાદના માંડલની રામાનંદ આંખની હોસ્પિટલમાં 10 જાન્યુઆરીના રોજ 28 દર્દીના મોતિયાના ઓપરેશન કરાયા હતા.જો કે બાદમાં 17 દર્દીઓ તરફથી દેખાતુ ન હોવાની ફરિયાદ ઉઠી હતી, ત્યારે 17 જિંદગીઓની આંખની રોશની જતી રહ્યા બાદ આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઇ છે. આ વચ્ચે હાઇકોર્ટે પણ આ ઘટના પર નારાજગી દર્શાવી સુઓમોટો પિટિશન દાખલ કરી છે.

વિરમગામના માંડલમાં મોતિયાના ઓપરેશન મુદ્દે હાઇકોર્ટની સુઓમોટો પિટિશન દાખલ કરવામાં આવી છે. હાઇકોર્ટે હેલ્થ સેક્રેટરી અને અમદાવાદ ગ્રામ્ય SPને નોટિસ પાઠવી છે. ન્યાયાધીશ એ.એસ. સુપેહિયા અને ન્યાયધીશ વિમલ વ્યાસની બેન્ચ ન્યૂઝ સંસ્થાઓના અહેવાલને આધારે સુઓમોટો સંજ્ઞાન લીધું છે. 7 ફેબ્રુઆરીએ આ સુઓમોટો ચીફ ન્યાયધીશની કોર્ટમાં રજૂ થશે. પ્રાથમિક તપાસ રિપોર્ટ સોંપવા હાઇકોર્ટે સરકારને આદેશ કર્યો છે.

કથિત અંધાપાકાંડમાં હાઇકોર્ટના સવાલ

કથિત અંધાપાકાંડમાં હાઇકોર્ટે સવાલ કર્યા છે કે શું ખરેખર ઓપરેશન સમયે કોઇ બેદરકારી દાખવવામાં આવી છે. મેડિકલ પ્રોટોકોલનું પાલન થયું છે કે કેમ, દર્દીઓને હોસ્પિટલમાં પુરતી સારવાર મળી કે નહીં, આ તમામ મામલે તપાસ રિપોર્ટ રજૂ કરવામાં આવે.

એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
SBI પાસેથી 3 વર્ષ માટે 3 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

આરોગ્ય પ્રધાને દર્દીઓની મુલાકાત લીધી

હાઇકોર્ટની ગંભીર નોંધ લીધા બાદ સરકારે પણ આ ઘટનાને ખુબ જ ગંભીરતાથી લીધી છે. તપાસના આદેશ તો ગઇકાલે જ આપવામાં આવ્યા હતા, ત્યારે આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે અમદાવાદની સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. જ્યાં હાલ 17 દર્દીઓની સારવાર ચાલી રહી છે. આરોગ્ય પ્રધાને દર્દીઓની મુલાકાત લીધી અને તેઓએ પોતે સમગ્ર ઘટનાની દર્દીઓ સાથે ચર્ચા કરી હતી. આરોગ્ય પ્રધાને કહ્યું છે કે તપાસનો રિપોર્ટ આવ્યા બાદ જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે.

ઘટના પર રાજનીતિ શરુ

સરકારનો ભલે ગમે તે દાવો હોય પરંતુ કોંગ્રેસનો આરોપ છે કે સરકારે ભૂતકાળમાં પણ આવી ઘટનાઓ મુદ્દે કોઇ કડક કાર્યવાહી કરી નથી. જેથી આવા કિસ્સાઓ સતત સામે આવી રહ્યા અને ગરીબ દર્દીઓ પોતાની આંખો ગુમાવી રહ્યા છે. ઘટના પર રાજનીતિ ચોક્કસ થઇ રહી છે, પરંતુ 5 દર્દીઓ હજૂ પણ પોતાની આંખની રોશનીને લઇને મુશ્કેલીમાં મુકાયા છે. હજૂ પણ આંખમાં પીડા થઇ રહી છે. આંખની રોશની પરત આવશે કે નહીં તે મુદ્દે ડૉક્ટર્સ પણ દાવો કરવા માટે તૈયાર નથી.

શું હતો સમગ્ર બનાવ ?

મહત્વનું છે કે અમદાવાદના માંડલની રામાનંદ આંખની હોસ્પિટલમાં 10 જાન્યુઆરીના રોજ 28 દર્દીના મોતિયાના ઓપરેશન કરાયા હતા. 17 જેટલા દર્દીએ પોતાની આંખની અંદર ઝાંખપ આવી ગઈ હોવાનું તેમજ ઓપરેશન બાદ આંખમાંથી પાણી નીકળી રહ્યું હોવાની સાથે આંખો સૂજી ગઈ હતી.

હોસ્પિટલના ડોક્ટર સહિત સંચાલક ટીમે 28 પૈકી 17 દર્દીને હોસ્પિટલમાં તાત્કાલિક ધોરણે દાખલ થવાની સૂચના આપી હતી. સ્થાનિક ડૉક્ટરે ફરીવાર તમામ દર્દીની તપાસ કરતા 17માંથી પાંચેક જેટલા દર્દીને આંખમાં વધારે અસર હોવાનું જણાતા તેમને અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. જ્યારે 12 દર્દીને માંડલની હોસ્પિટલમાં જ ઓબ્ઝર્વેશન હેઠળ રખાયા છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
મહેસાણાઃ વિસનગરના કડામાં ભાજપના ઉમેદવારની સભા સામે હોબાળો, જુઓ
મહેસાણાઃ વિસનગરના કડામાં ભાજપના ઉમેદવારની સભા સામે હોબાળો, જુઓ
g clip-path="url(#clip0_868_265)">