ક્ષત્રિયોએ રૂપાલાને આપેલ અલ્ટીમેટમ પૂર્ણ થતા હવે ભાજપને ઘેરવાની ઘડાશે રણનીતિ, ઓપરેશન પાર્ટ-2 અંગે શરૂ થઈ કવાયત

ક્ષત્રિયોએ પરશોત્તમ રૂપાલાને 19 તારીખ સુધીમાં ફોર્મ પરત ખેંચવા અંગે અલ્ટીમેટમ આપ્યુ હતુ. જો કે રૂપાલાએ ફોર્મ પરત ન લેતા હવે આગળ આંદોલનને ક્યા મોડ પર લઈ જવુ ત અંગે ગોતા ખાતે રાજપૂત કોર કમિટીની બેઠક મળી છે. આ બેઠકમાં ઓપરેશન પાર્ટ ટુ અંગે રણનીતિ ઘડવામાં આવનાર છે.

Follow Us:
Narendra Rathod
| Edited By: | Updated on: Apr 19, 2024 | 6:32 PM

પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલ નિવેદન બાદ વિવાદ વકર્યો છે. ક્ષત્રિય આગેવાનો સાથેની સરકારની બેઠકો પણ નિષ્ફળ રહી છે. ક્ષત્રિયોને મનાવવામાં ભાજપના ક્ષત્રિય નેતાઓના હાથ પણ ટૂંકા પડ્યા છે. ખુદ સી.આર. પાટીલ પણ આ મુદ્દે બે હાથ જોડીને ક્ષત્રિયોને વિનંતિ કરી ચુક્યા છે. રૂપાલાએ પણ રાજકોટથી નામાંકન દાખલ કરતી વખતે ક્ષત્રિયોને મોટુ મન રાખી સહકાર આપવા અપીલ કરી હતી અને ગઈકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ સ્પષ્ટ કરી ચુક્યા છે કે રૂપાલાએ દિલથી માફી માગી લીધી છે, તેમણે સ્પષ્ટ સંકેત આપ્યા છે કે કોઈ બદલાવ નહીં થાય. તેમ છતા ક્ષત્રિયો તેમની માગ પર અડગ છે અને હવે આંદોલન પાર્ટ ટુ શરૂ કરવાની રણનીતિ ઘડવા માટે ક્ષત્રિય સંકલન સમિતિની ગોતા રાજપૂત ભવન ખાતે બેઠક મળી છે.

ટિકિટ રદ કરવાની માગ પર ક્ષત્રિયો હજુ પણ અડગ

આ અંગે સંકલન સમિતિના કરણસિંહ ચાવડા સાથે અમારા સંવાદદાતાએ વાતચીત કરી હતી. જેમા તેમણે સ્પષ્ટ કર્યુ કે રાજકોટથી શરૂ થયેલુ આ આંદોલન સમગ્ર રાજ્યમાં પહોંચશે. પાર્ટ-1 ઓપરેશન રૂપાલા હતું, હવે પાર્ટ-2 ઓપરેશન ભાજપ અંગે રણનીતિ ઘડવામાં આવશે. કરણસિંહે જણાવ્યુ કે પરશોત્તમ રૂપાલાએ દિલથી માફી નથી માગી અને તેમની ટિકિટ રદ કરવાની માગ પર ક્ષત્રિયો હજુ પણ અડગ છે.

ગોતા રાજપૂત ભવન ખાતે ક્ષત્રિય કોર કમિટીની બેઠક

રાજપૂત સમાજ ભવન ગોતા ખાતે સમગ્ર ગુજરાતની સંકલન સમિતિ સાથે જોડાયેલી 100 જેટલી સંસ્થાઓ, ક્ષત્રિય સમાજના આગેવાનો અને કોર કમિટીની બેઠક મળી છે. રૂપાલાને આપવામાં આવેલી 19 તારીખનું અલ્ટીમેટમ પૂર્ણ થતા આ બેઠક બોલાવવામાં આવી છે. જેમા ક્ષત્રિય સમાજની 92 સંસ્થાના પ્રતિનિધિઓ હાજર છે. આંદોલન પાર્ટ ટુના એજન્ડા અંગે સમિતિના આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરવામાં આવનાર છે.

આજનું રાશિફળ તારીખ : 27-07-2024
રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે
પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ
સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા
સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો
શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય

બેઠકમાં 92 સંસ્થાના પ્રતિનિધિઓ હાજર

કરણસિંહે અમિત શાહના નિવેદન અંગે જણાવ્યુ કે રાજકોટમાં મળેલા મહાસંમેલનમાં લાખોની સંખ્યામાં ક્ષત્રિય સમાજના સ્ત્રી પુરુષો એકત્ર થયા હતા. એ જ દર્શાવે છે કે રૂપાલા સામેનો રોષ યથાવત છે અને ક્ષત્રિય સમાજનો વિરોધ જારી રહેશે.

ઓપરેશન ભાજપ અંગે બેઠકમાં ઘડાશે રણનીતિ, 26 લોકોસભા બેઠક પર ડેમેજ કરવા કવાયત

22 એપ્રિલ સુધીમાં રૂપાલા ફોર્મ પરત નહીં ખેંચે તો હવે અમારી રણનીતિ ઓપરેશન ભાજપ રહેશે, પાર્ટ 1 ઓપરેશન રૂપાલા હતુ, હવે પાર્ટુ ટુ ઓપરેશન ભાજપ રહેશે. જેના ભાગરૂપે ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો પર ભાજપને ડેમેજ કરવામાં આવશે. ભાજપ દ્વારા રૂપાલાને સંપૂર્ણપણે મેન્ડેટ આપી દેવાયુ છે આથી ફોર્મ પરત લેવાની વાત પર પૂર્ણવિરામ મુકાયુ છે, ત્યારે હવે ક્ષત્રિયો આંદોલન થકી ભાજપ સામે શું લડતના મંડાણ કરે છે તે જોવુ રહ્યુ.

આ પણ વાંચો: કાયદો વ્યવસ્થાના ધજાગરા : અમદાવાદમાં ધોળા દિવસે ફાયરીંગની વધુ એક ઘટના આવી સામે, પૈસાની લેતીદેતીમાં બિલ્ડરે જમીન દલાલ પર ચલાવી ધડાધડ ગોળીઓ

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">