Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : અમદાવાદની કેડિલા ફાર્માસ્યુટીકલ્સમાં દુર્ઘટના બની, ત્રણથી વધુ મહિલાકર્મી વોશરુમમાં થઇ બેભાન, એકનું મોત

અમદાવાદ શહેરમાં આવેલા કેડિલા ફાર્માસ્યુટીકલ્સ કંપનીમાં ચકચારી બનાવ સામે આવ્યો છે, જ્યાં એક મહિલા કર્મચારીનું મોત નિપજ્યું છે અને ત્રણ અન્ય વ્યક્તિઓ હાલ સારવાર હેઠળ છે. કેડિલા ફાર્માસ્યુટીકલ્સ કંપનીમાં ત્રણથી વધુ મહિલા કોઇ કારણોસર બેભાન થઇ ગઇ હતી. જેમાંથી એકનું મોત થયુ છે. 

Breaking News : અમદાવાદની કેડિલા ફાર્માસ્યુટીકલ્સમાં દુર્ઘટના બની, ત્રણથી વધુ મહિલાકર્મી વોશરુમમાં થઇ બેભાન, એકનું મોત
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 18, 2025 | 2:13 PM

અમદાવાદ શહેરમાં આવેલા કેડિલા ફાર્માસ્યુટીકલ્સ કંપનીમાં ચકચારી બનાવ સામે આવ્યો છે, જ્યાં એક મહિલા કર્મચારીનું મોત નિપજ્યું છે અને ત્રણ અન્ય વ્યક્તિઓ હાલ સારવાર હેઠળ છે. કેડિલા ફાર્માસ્યુટીકલ્સ કંપનીમાં ત્રણથી વધુ મહિલા કોઇ કારણોસર બેભાન થઇ ગઇ હતી. જેમાંથી એકનું મોત થયુ છે.

ઘટનાનું વણસતું રુપ

સૂત્રોના જણાવ્યા મુજબ, કેડિલા ફાર્માસ્યુટીકલ્સ કંપનીના વોશરૂમમાં ત્રણ મહિલાઓ અચાનક બેભાન થઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં તાત્કાલિક તેમને નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી. ઈલાજ દરમિયાન વર્ષાબેન રાજપુત નામની એક મહિલાનું દુખદ અવસાન થયું છે, જ્યારે બાકી બે મહિલાઓ અને એક પુરુષની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

મૃતકના પરિવારજનોનો વિરોધ

વર્ષાબેન રાજપુતના પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવા સ્પષ્ટ ઇનકાર કર્યો છે. તેમની માંગ છે કે, જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી થાય ત્યાં સુધી તેઓ મૃતદેહ સ્વીકારશે નહીં. પરિવારજનોએ કંપની પર ગંભીર આરોપ લગાવ્યા છે અને આ સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવાની માગ ઉઠાવી છે.

ભારતીય ક્રિકેટ ટીમના વર્લ્ડ ચેમ્પિયન ખેલાડીઓને હીરા જડિત સોનાની વીંટીથી નવાજવામાં આવ્યા
વિરાટ કોહલીએ IPLમાં 'પ્લેયર ઓફ ધ મેચ' બની કેટલી કમાણી કરી ?
અભિનેતાએ પત્ની સામે કહ્યું મને 4 વખત લગ્ન કરવાની છૂટ છે, જુઓ ફોટો
IPLમાં ચીયરલીડર્સને કેટલો પગાર મળે છે ?
રાત્રે આ લક્ષણો દેખાય તો સમજી જાઓ વધી રહ્યુ છે BP
તુલસી પર અપરાજિતાનું ફૂલ ચઢાવાથી શું થાય છે?

કંપની પર સવાલો – મૌન કેમ?

આ ઘટનાને લઈને ઘણી શંકાઓ ઊભી થઈ છે. મહિલાઓના અચાનક બેભાન થવાનું કારણ હજી અકબંધ છે. પરિવારજનોએ કંપનીની ભૂમિકા પર સવાલ ઉઠાવ્યા છે અને આરોપ લગાવ્યો છે કે કંપની આ મુદ્દે મૌન ધારણ કરી રહી છે. દુર્ઘટના કેવી રીતે ઘટી અને તેના માટે કોણ જવાબદાર છે, તે અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

તપાસ શરૂ – ન્યાયની અપેક્ષા

હાલમાં પોલીસે આ ઘટનાની તપાસ શરૂ કરી છે. સીસીટીવી ફૂટેજ, કંપનીના સુરક્ષાકર્મીઓ અને ત્યાં કામ કરતા અન્ય કર્મચારીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. પરિવારજનો અને કંપની વચ્ચે તણાવજનક સ્થિતિ છે, અને જ્યાં સુધી સત્ય બહાર આવશે નહીં, પરિવારજનોએ આ મુદ્દે લડત ચાલુ રાખવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

પ્રતિબંધિત કેમિકલ વિદેશમાં નિકાસ કરનાર મહિલા સહીત 2 આરોપી રિમાન્ડ પર
પ્રતિબંધિત કેમિકલ વિદેશમાં નિકાસ કરનાર મહિલા સહીત 2 આરોપી રિમાન્ડ પર
વડાલીમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરનાર 2 લોકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
વડાલીમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરનાર 2 લોકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
સુરતમાં પ્રથમવાર આરોપીના ઘર પર ફરી વળ્યું ‘દાદા’નું બુલડોઝર
સુરતમાં પ્રથમવાર આરોપીના ઘર પર ફરી વળ્યું ‘દાદા’નું બુલડોઝર
ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા બનાસકાંઠા પોલીસ એકશનમાં
ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા બનાસકાંઠા પોલીસ એકશનમાં
કારના ચોરખાનામાંથી મળ્યો 30 લાખની ચાંદીનો જથ્થો, 2 લોકોની અટકાયત
કારના ચોરખાનામાંથી મળ્યો 30 લાખની ચાંદીનો જથ્થો, 2 લોકોની અટકાયત
વાઘોડિયામાં સ્ક્રેપના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
વાઘોડિયામાં સ્ક્રેપના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
આ 5 રાશિના જાતકોની વિદેશ જવાની તકો બનશે
આ 5 રાશિના જાતકોની વિદેશ જવાની તકો બનશે
ગુજરાતીઓને મળશે ગરમીથી આંશિક રાહત ! જાણો તમારા જિલ્લાનું તાપમાન
ગુજરાતીઓને મળશે ગરમીથી આંશિક રાહત ! જાણો તમારા જિલ્લાનું તાપમાન
રાજકોટમાં વિધર્મીને મિલકત વેચતા હોવાથી અશાંત ધારો લાગુ પાડવા માંગ
રાજકોટમાં વિધર્મીને મિલકત વેચતા હોવાથી અશાંત ધારો લાગુ પાડવા માંગ
દાદા સરકારની વાતો કરનાર ગૃહમંત્રી હર્ષ સંઘવી રાજીનામુ આપે-કોંગ્રેસ
દાદા સરકારની વાતો કરનાર ગૃહમંત્રી હર્ષ સંઘવી રાજીનામુ આપે-કોંગ્રેસ
g clip-path="url(#clip0_868_265)">