Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : અમદાવાદની કેડિલા ફાર્માસ્યુટીકલ્સમાં દુર્ઘટના બની, ત્રણથી વધુ મહિલાકર્મી વોશરુમમાં થઇ બેભાન, એકનું મોત

અમદાવાદ શહેરમાં આવેલા કેડિલા ફાર્માસ્યુટીકલ્સ કંપનીમાં ચકચારી બનાવ સામે આવ્યો છે, જ્યાં એક મહિલા કર્મચારીનું મોત નિપજ્યું છે અને ત્રણ અન્ય વ્યક્તિઓ હાલ સારવાર હેઠળ છે. કેડિલા ફાર્માસ્યુટીકલ્સ કંપનીમાં ત્રણથી વધુ મહિલા કોઇ કારણોસર બેભાન થઇ ગઇ હતી. જેમાંથી એકનું મોત થયુ છે. 

Breaking News : અમદાવાદની કેડિલા ફાર્માસ્યુટીકલ્સમાં દુર્ઘટના બની, ત્રણથી વધુ મહિલાકર્મી વોશરુમમાં થઇ બેભાન, એકનું મોત
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 18, 2025 | 2:13 PM

અમદાવાદ શહેરમાં આવેલા કેડિલા ફાર્માસ્યુટીકલ્સ કંપનીમાં ચકચારી બનાવ સામે આવ્યો છે, જ્યાં એક મહિલા કર્મચારીનું મોત નિપજ્યું છે અને ત્રણ અન્ય વ્યક્તિઓ હાલ સારવાર હેઠળ છે. કેડિલા ફાર્માસ્યુટીકલ્સ કંપનીમાં ત્રણથી વધુ મહિલા કોઇ કારણોસર બેભાન થઇ ગઇ હતી. જેમાંથી એકનું મોત થયુ છે.

ઘટનાનું વણસતું રુપ

સૂત્રોના જણાવ્યા મુજબ, કેડિલા ફાર્માસ્યુટીકલ્સ કંપનીના વોશરૂમમાં ત્રણ મહિલાઓ અચાનક બેભાન થઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં તાત્કાલિક તેમને નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી. ઈલાજ દરમિયાન વર્ષાબેન રાજપુત નામની એક મહિલાનું દુખદ અવસાન થયું છે, જ્યારે બાકી બે મહિલાઓ અને એક પુરુષની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

મૃતકના પરિવારજનોનો વિરોધ

વર્ષાબેન રાજપુતના પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવા સ્પષ્ટ ઇનકાર કર્યો છે. તેમની માંગ છે કે, જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી થાય ત્યાં સુધી તેઓ મૃતદેહ સ્વીકારશે નહીં. પરિવારજનોએ કંપની પર ગંભીર આરોપ લગાવ્યા છે અને આ સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવાની માગ ઉઠાવી છે.

Health Tips : રાત્રિની આ આદત ઘટાડી શકે છે તમારી ઉંમર, થઈ જાઓ સાવધાન
કયા સમયે મોબાઈલને સ્પર્શ ન કરવો જોઈએ? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
અહીં થી કરી લો MBA, મળી શકે છે 72 લાખ રૂપિયાનું પેકેજ !
TMKOC ના બબીતા ​​જી કોને ડેટ પર લઈ જવા માંગે છે ?
શું જાંબુના બીજ ડાયાબિટીસ કંન્ટ્રોલ કરવામાં મદદ કરે છે?
Marriage Guide : લગ્ન માટે માની જશે સાસુ-સસરા, જમાઈ એ કરવા પડશે આ 5 કામ

કંપની પર સવાલો – મૌન કેમ?

આ ઘટનાને લઈને ઘણી શંકાઓ ઊભી થઈ છે. મહિલાઓના અચાનક બેભાન થવાનું કારણ હજી અકબંધ છે. પરિવારજનોએ કંપનીની ભૂમિકા પર સવાલ ઉઠાવ્યા છે અને આરોપ લગાવ્યો છે કે કંપની આ મુદ્દે મૌન ધારણ કરી રહી છે. દુર્ઘટના કેવી રીતે ઘટી અને તેના માટે કોણ જવાબદાર છે, તે અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

તપાસ શરૂ – ન્યાયની અપેક્ષા

હાલમાં પોલીસે આ ઘટનાની તપાસ શરૂ કરી છે. સીસીટીવી ફૂટેજ, કંપનીના સુરક્ષાકર્મીઓ અને ત્યાં કામ કરતા અન્ય કર્મચારીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. પરિવારજનો અને કંપની વચ્ચે તણાવજનક સ્થિતિ છે, અને જ્યાં સુધી સત્ય બહાર આવશે નહીં, પરિવારજનોએ આ મુદ્દે લડત ચાલુ રાખવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

કલોલ મહેસાણા હાઈવે સ્થિત પેટ્રોલ પંપ નજીક અચાનક ભભુકી ઉઠી ભીષણ આગ
કલોલ મહેસાણા હાઈવે સ્થિત પેટ્રોલ પંપ નજીક અચાનક ભભુકી ઉઠી ભીષણ આગ
VHPએ ઉગ્ર પ્રદર્શન કરી બંગાળમાં હિંદુઓ પર થતા અત્યાચાર રોકવા કરી માગ
VHPએ ઉગ્ર પ્રદર્શન કરી બંગાળમાં હિંદુઓ પર થતા અત્યાચાર રોકવા કરી માગ
વિદેશ જવા માટે બોગસ એફિડેવિટ કરવાનું રેકેટ ઝડપાયું
વિદેશ જવા માટે બોગસ એફિડેવિટ કરવાનું રેકેટ ઝડપાયું
ડીસા અગ્નિકાંડમાં SITની રચનાના 15 દિવસ બાદ પણ રિપોર્ટ નથી કરાયો સબમિટ
ડીસા અગ્નિકાંડમાં SITની રચનાના 15 દિવસ બાદ પણ રિપોર્ટ નથી કરાયો સબમિટ
JEE મેઇન્સ સેશન 2 નું પરિણામ જાહેર, ગુજરાતના 2 વિદ્યાર્થીઓએ બાજી મારી
JEE મેઇન્સ સેશન 2 નું પરિણામ જાહેર, ગુજરાતના 2 વિદ્યાર્થીઓએ બાજી મારી
આ રાશિના જાતકો જાતકોને આજે વિદેશ પ્રવાસ પર જવાના ચાન્સ બનશે
આ રાશિના જાતકો જાતકોને આજે વિદેશ પ્રવાસ પર જવાના ચાન્સ બનશે
ગુજરાતમાં ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડવાની આગાહી
ગુજરાતમાં ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડવાની આગાહી
ઈ-વ્હીકલ ખરીદનારાઓ આનંદો, ઈ-વ્હીકલની ખરીદી પર હવે લાગશે માત્ર 1% ટેક્સ
ઈ-વ્હીકલ ખરીદનારાઓ આનંદો, ઈ-વ્હીકલની ખરીદી પર હવે લાગશે માત્ર 1% ટેક્સ
વિસાવદર અને કડીની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ- AAP નહીં કરે ગઠબંધન
વિસાવદર અને કડીની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ- AAP નહીં કરે ગઠબંધન
ગુજરાતની પારખુ જનતા નબળું નેતૃત્વ ક્યારેય નહીં સ્વીકારે- પાટીલ
ગુજરાતની પારખુ જનતા નબળું નેતૃત્વ ક્યારેય નહીં સ્વીકારે- પાટીલ
g clip-path="url(#clip0_868_265)">