AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: વસ્ત્રાપુરમાં આવેલા રેસ્ટોરન્ટમાં બે કર્મચારી વચ્ચે થયેલી મારામારીમાં યુવકનું મોત નીપજાવનાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો

વસ્ત્રાપુરમાં રેસ્ટોરન્ટમાં કર્મચારીની હત્યા કરનાર આરોપીની પોલીસે કરી ધરપકડ. જમવાના ઓર્ડર લેવા બાબતે થયેલો ઝઘડો જીવલેણ બન્યો હોવાની ઘટના બની હતી. વસ્ત્રાપુર પોલીસે હત્યાના CCTVના આધારે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી લીધો. 

Ahmedabad: વસ્ત્રાપુરમાં આવેલા રેસ્ટોરન્ટમાં બે કર્મચારી વચ્ચે થયેલી મારામારીમાં યુવકનું મોત નીપજાવનાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો
Mihir Soni
| Edited By: | Updated on: May 09, 2023 | 11:00 PM
Share

વસ્ત્રાપુરમાં રેસ્ટોરન્ટમાં હત્યા કરનાર આરોપી પવનકુમાર સુરી જેણે જમવાના ઓર્ડર બાબતે થયેલી તકરારમાં એક યુવકની હત્યા કરી હતી. ઘટના એવી છે કે વસ્ત્રાપુર તળાવ પાસે આવેલ ચારકોલ રેસ્ટોરન્ટમાં કામ કરતા બે કર્મચારી પવનકુમાર સુરી અને સતીશ પાસવાન વચ્ચે ઝઘડો થયો હતો. રેસ્ટોરન્ટ માં ઓર્ડર લેવા બાબતે બન્ને કર્મચારીઓ બાખડયા હતા. અન્ય કર્મચારિઓ છોડાવવા માટે આવ્યા પરંતુ આચાનક સતીશ પાસવાન બેભાન થઈને ઢળી પડ્યો હતો. યુવકને સારવાર માટે લઈ જતા ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.

આરોપી પવનકુમારની મેમનગરથી ધરપકડ કરી

પોલીસે CCTV ફૂટેજના આધારે હત્યાનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મૃતક યુવકને ફેફસામાં ઈજા થતાં મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. જ્યારે હત્યા કરીને ફરાર થઈ ગયેલા આરોપી પવનકુમારની મેમનગરથી ધરપકડ કરવામાં આવી છે.

મૃતક સતિષ પાસવાન છેલ્લા પાંચ વર્ષથી રેસ્ટોરન્ટમાં રસોયા તરીકે નોકરી કરતો હતો

પકડાયેલ આરોપી પવનકુમાર સુરી મૂળ બિહારનો રહેવાસી છે. ડિસેમ્બરમાં અમદાવાદ આવ્યો હતો અને છેલ્લા પાંચ માસથી ચારકોલ રેસ્ટોરન્ટમાં નોકરી કરે છે. જ્યારે મૃતક સતિષ પાસવાન છેલ્લા પાંચ વર્ષથી રેસ્ટોરન્ટમાં રસોઈયા તરીકે નોકરી કરે છે. ઘટનાના દિવસે આ રેસ્ટોરન્ટમાં સાફ-સફાઈ નું કામ કરતા પવન કુમાર સુરીએ મેનેજર તરફથી આપવામાં આવેલ ગ્રાહક ના ઓર્ડર ની ચીઠ્ઠી મૃતક સતિષને નહીં આપીને પોતાની પાસે રાખી મુકતા બંને વચ્ચે ઝઘડો અને છુટા હાથની મારામારી થઈ હતી.

આ પણ વાંચો : વસ્ત્રાપુરમાં આવેલા રેસ્ટોરન્ટમાં બે કર્મચારી વચ્ચે થયેલી મારામારીમાં રસોઈયાનું થયુ મોત, બંને કર્મચારીઓ બિહારનો હોવાનો ખૂલાસો

બંને યુવકો વચ્ચે થયેલી છૂટા હાથની મારા મારી દરમિયાન સતીષ નીચે પડી જતા બેભાન થઈ ગયો હતો. અને તેનું મોત નીપજ્યું હતું. મોતનું હજુ સુધી ચોક્કસ કારણ સ્પષ્ટ થયું નથી. પરંતુ પોલીસે પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે તપાસ શરૂ કરી છે. વસ્ત્રાપુર માં હત્યા કેસમાં પકડાયેલ આરોપી પવનકુમાર સુરીની આંખએ ઓછું દેખાય છે. જોકે સામાન્ય બોલાચાલીમાં હત્યા કરી હોવાની આરોપીએ કબૂલાત કરી છે. ત્યારે હાલ તો આરોપી પવનકુમારની ધરપકડ કરી છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">