Ahmedabad: વસ્ત્રાપુરમાં આવેલા અમદાવાદ વન મોલમાં રમઝાન ઈદના દિવસે બે યુવકો વચ્ચે દે ધનાધન ! જુઓ Video
અમદાવાદના (Ahmedabad) વસ્ત્રાપુરમાં આવેલા અમદાવાદ વન મોલમાં બની છે. નજીવી બાબતે બે યુવકોએ મોલમાં જ મારામારી કરી ભયનો માહોલ પેદા કર્યો હતો. પરિવાર સાથે મોલમાં ફરવા આવતા લોકોની ચિંતા કર્યા વગર મારામારી શરુ કરી હતી.
જવાનીના જોશમાં યુવકો પોતાની ધીરજ ગુમાવી દેતા હોય છે. આવી જ એક ઘટના અમદાવાદના વસ્ત્રાપુરમાં આવેલા અમદાવાદ વન મોલમાં બની છે. નજીવી બાબતે બે યુવકોએ મોલમાં જ મારામારી કરી ભયનો માહોલ પેદા કર્યો હતો. પરિવાર સાથે મોલમાં ફરવા આવતા લોકોની ચિંતા કર્યા વગર યુવકોએ જાહેરમાં મોટેથી બિભત્સ શબ્દોનો ઉચ્ચાર કરી વાતાવરણ ડહોળી દીધુ હતુ.
બે યુવકોએ મારામારી શરુ કરી ત્યારે મોલમાં મોટી સંખ્યામાં લોકો હાજર હતા. રમઝાન ઈદના દિવસે આ ઘટના બની હોવાની માહિતી મળી છે. યુવકોની મારામારીનો વીડિયો બનાવી કોઇ શખ્સે વાયરલ કરી દીધો છે. મળતી માહિતી મુજબ યુવાનોની મારામારી અંગે હજુ સુધી કોઇ પોલીસ ફરિયાદ નોંધાઇ નથી. પરંતુ વાયરલ વીડિયોને લઇને પોલીસે તપાસ શરૂ કરી છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
દેશ ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
પરિવારમાં બધાને ધ્યાનથી સાંભળો, યોગ ફાયદાકારક સાબિત થશે
વિવાદમાં ‘લાલો’ ફેમ કરણ જોશી: યુવતીના આરોપ પર અભિનેતાએ આપી સ્પષ્ટતા
જૂનાગઢ: પ્રી-મોન્સૂન કામગીરી વિવાદમાં, મનપાના દાવા સામે લોકો નારાજ
અમદાવાદ મેયર-સ્ટેન્ડિંગ ચેરમેનને લઈને 26 તારીખે થઈ શકે છે 'જાહેરાત'
