Ahmedabad: વસ્ત્રાપુરમાં આવેલા અમદાવાદ વન મોલમાં રમઝાન ઈદના દિવસે બે યુવકો વચ્ચે દે ધનાધન ! જુઓ Video
અમદાવાદના (Ahmedabad) વસ્ત્રાપુરમાં આવેલા અમદાવાદ વન મોલમાં બની છે. નજીવી બાબતે બે યુવકોએ મોલમાં જ મારામારી કરી ભયનો માહોલ પેદા કર્યો હતો. પરિવાર સાથે મોલમાં ફરવા આવતા લોકોની ચિંતા કર્યા વગર મારામારી શરુ કરી હતી.
જવાનીના જોશમાં યુવકો પોતાની ધીરજ ગુમાવી દેતા હોય છે. આવી જ એક ઘટના અમદાવાદના વસ્ત્રાપુરમાં આવેલા અમદાવાદ વન મોલમાં બની છે. નજીવી બાબતે બે યુવકોએ મોલમાં જ મારામારી કરી ભયનો માહોલ પેદા કર્યો હતો. પરિવાર સાથે મોલમાં ફરવા આવતા લોકોની ચિંતા કર્યા વગર યુવકોએ જાહેરમાં મોટેથી બિભત્સ શબ્દોનો ઉચ્ચાર કરી વાતાવરણ ડહોળી દીધુ હતુ.
બે યુવકોએ મારામારી શરુ કરી ત્યારે મોલમાં મોટી સંખ્યામાં લોકો હાજર હતા. રમઝાન ઈદના દિવસે આ ઘટના બની હોવાની માહિતી મળી છે. યુવકોની મારામારીનો વીડિયો બનાવી કોઇ શખ્સે વાયરલ કરી દીધો છે. મળતી માહિતી મુજબ યુવાનોની મારામારી અંગે હજુ સુધી કોઇ પોલીસ ફરિયાદ નોંધાઇ નથી. પરંતુ વાયરલ વીડિયોને લઇને પોલીસે તપાસ શરૂ કરી છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
દેશ ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
₹18,518 કરોડનું બજેટ પણ કામગીરી 'ઝીરો', અમદાવાદીઓના હાલ 'બેહાલ' થયા
ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિમાં 5,500થી વધુ લોકોનું 'રેસ્ક્યુ'
આકાશી આફત સામે એક્શન મોડમાં AMC, 79 સ્થળોએથી પાણી ઓસર્યા
સૌરાષ્ટ્ર પર મેઘરાજાએ વરસાવ્યુ હેત, સાર્વત્રિક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ
