AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: નર્મદા કેનાલના બ્રિજ પર પડેલા ગાબડા અંગે TV9ના અહેવાલ બાદ અધિકારીઓ થયા દોડતા, નર્મદા વિભાગની ટીમે મેળવ્યા NDT રિપોર્ટ

Ahmedabad: દહેગામથી નરોડાને જોડતા નર્મદા કેનાલ બ્રિજ પર પડેલા ગાબડા અંગે Tv9 ગુજરાતી દ્વારા લોકોની સમસ્યાને વાચા આપતો ધારદાર અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. જે બાદ નર્મદા વિભાગના અધિકારીઓને પગતળે રેલો આવ્યો અને દોડતા થયા હતા. tv9ના અહેવાલ બાદ નર્મદા વિભાગના અધિકારીઓએ ઘટનાસ્થળે જઈ બ્રિજનો NDT રિપોર્ટ મેળવ્યો હતો.

Ahmedabad: નર્મદા કેનાલના બ્રિજ પર પડેલા ગાબડા અંગે TV9ના અહેવાલ બાદ અધિકારીઓ થયા દોડતા, નર્મદા વિભાગની ટીમે મેળવ્યા NDT રિપોર્ટ
Narendra Rathod
| Edited By: | Updated on: Jul 31, 2023 | 10:33 PM
Share

Ahmedabad: અમદાવાદના નરોડાથી દહેગામ રોડ પર રાયપુર ગામ નજીક આવેલ નર્મદા કેનાલના બ્રિજ પર ગાબડું પડ્યું હતું. એક અઠવાડિયા પહેલા પડેલ ગાબડાને રીપેર કરવામાં આવ્યું ના હતું. જો કે આ સમાચાર tv9 એ પ્રસારિત કર્યા બાદ નર્મદા વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને તુરંત બ્રિજની મજબૂતાઈ અંગેનો NDT રિપોર્ટ લેવામાં આવ્યો.

સતત બીજીવાર એક જ જગ્યાએથી પીલરને જોડતો ભાગ તૂટ્યો

નરોડા દહેગામ હાઈવે પર આવતી નર્મદા કેનાલના બ્રિજ પર રોડ અને પીલર સાથે જોડતો ભાગ તૂટ્યો હતો. થોડા વર્ષો પૂર્વે જે જગ્યાનું સમારકામ કરવામાં આવ્યું હતું. એજ જગ્યાએ નીચેનો ભાગ તૂટ્યો હતો. 10 ફૂટથી વધારેનો ભાગ તૂટી ગયો હોવા છતાં આ બાબત તંત્રને ધ્યાને આવી ના હતી. લોકો બેરોકટોક એ બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા. જો કે એ બાબત તંત્રના ધ્યાને આવી ના હતી. જો કે tv9ના અહેવાલ બાદ નર્મદા વિભાગની ટીમ તુરંત બનાવ સ્થળ પર પહોંચી હતી.

બ્રિજ વાપરવા યોગ્ય છે કે કેમ તેને લઈને સપ્તાહમાં અધિકારીઓ સોંપશે રિપોર્ટ

નર્મદા વિભાગની ટીમ નર્મદા કેનાલ બ્રિજ પર પહોંચી હતી અને બ્રિજનું નિરીક્ષણ કર્યા બાદ NDTરિપોર્ટ લેવામાં આવ્યો. જેમાં બ્રિજની સ્થિતિ શું છે? બ્રિજ પુનઃ વપરાશને લાયક છે કે નહીં એ અંગેનો રિપોર્ટ આવશે. આ સિવાય ક્રેન બોલાવી જે પોપડું બ્રિજથી તૂટી લટકી રહ્યું હતું એને તોડવાની કામગીરી હાથ ધરાઈ હતી.

સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ પોપડું પડ્યું એના થોડા દિવસ પૂર્વ જ નર્મદા કેનાલ પરના બ્રિજનું નિરીક્ષણ અને અભ્યાસ કરવામાં આવ્યો હતો. જો કે એમાં બ્રિજની કોઈ ખામી સામે આવી ના હતી અને થોડા જ દિવસોમાં બ્રિજનું પોપડું ખરી પડ્યું હતું. ઘટના બાદ લેવામાં આવેલ રિપોર્ટ એક અઠવાડિયામાં આવી જશે. જેમાં સ્પષ્ટ થશે કે બ્રિજ વાપરવા યોગ્ય છે કે સમારકામ માંગે છે.

આ પણ વાંચો : Breaking News : અમદાવાદની સાબરમતીમાં કાયાકિંગ બોટ પલટી, યુવતીનો જીવ માંડ માંડ બચ્યો, જૂઓ Video

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">