AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: ચોમાસાની શરૂઆત સાથે શહેરમાં મચ્છર જન્ય અને પાણી જન્ય રોગચાળો શરૂ, જુઓ આંકડાઓ

દર વર્ષની જેમ આ વર્ષે પણ AMCએ પાણી ભરાઈ ન રહે તે માટે લોકોને ધ્યાન આપવા અપીલ કરી છે. જેથી મચ્છરનો ઉપદ્રવ ન થાય અને તેમાંથી રોગચાળો પણ ન ફેલાય. ત્યારે સાથે જ AMCના હેલ્થ ઓફિસરે લોકો 104 હેલ્પ લાઈનનો સંપર્ક કરી મદદ મેળવી શકશે તેવું પણ જણાવ્યું છે.

Ahmedabad: ચોમાસાની શરૂઆત સાથે શહેરમાં મચ્છર જન્ય અને પાણી જન્ય રોગચાળો શરૂ, જુઓ આંકડાઓ
File Image
Darshal Raval
| Edited By: | Updated on: Jul 19, 2021 | 6:01 PM
Share

ચોમાસુ (Monsoon) આવે કે તરત રોગચાળો ફાટી નીકળે છે, કારણ કે શહેરમાં અનેક સાઈટ પર પાણી ભરાતા મચ્છરોનો ઉપદ્રવ થવા લાગે છે અને તેના કારણે મચ્છરજન્ય અને પાણી જન્ય રોગચાળો શરૂ થઈ જાય છે. જેની સામે AMC દ્વારા કન્સ્ટ્રકશન સાઈટ પર ચેકીંગ પણ કરાય છે. તેમજ નોટિસ અને દંડ કરવાની કામગીરી પણ કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ ચોમાસાની શરૂઆત થતાં અને રોગચાળો શરૂ થતાં AMC દર વર્ષની જેમ હરકતમાં આવ્યું છે.

રોગચાળામાં ચાલુ મહિનામાં17 જુલાઈ સુધી મેલેરીયાના 40 કેસ, ડેન્ગ્યુના 24 કેસ જ્યારે ઝેરી મેલેરિયાના 3 અને ચિકન ગુનિયાના 7 કેસ નોંધાયા છે તો પાણી જન્ય રોગચાળામાં ઝાડા ઉલ્ટીના 391 કેસ, કમળાના 86 અને ટાઈફોઈડના 80 કેસ નોંધાયા છે. AMC દ્વારા જે કામગીરી કરાય છે, તેમ બંધ ઈમારતો તેમજ એકમો કે જ્યાં પાણી ભરાઈ રહે કે મચ્છરોનો ઉપદ્રવ થાય તેવા એકમોમાં ચેકીંગ કરાય છે.

ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ AMCએ પાણી ભરાઈ ન રહે તે માટે લોકોને ધ્યાન આપવા અપીલ કરી છે. જેથી મચ્છરનો ઉપદ્રવ ન થાય અને તેમાંથી રોગચાળો પણ ન ફેલાય. ત્યારે સાથે જ AMCના હેલ્થ ઓફિસરે લોકો 104 હેલ્પ લાઈનનો સંપર્ક કરી મદદ મેળવી શકશે તેવું પણ જણાવ્યું છે.

વર્ષ 2020માં મચ્છર જન્ય રોગચાળાના કેસ જોઈએ તો

1- સાદા મલેરિયાના 618 અને ચાલુ માસમાં 17 જુલાઈ સુધી 44 કેસ તો 17 જુલાઈ 2021 સુધી 122 કેસ

2- ઝેરી મલેરિયાના 64 અને ચાલુ માસમાં 17 જુલાઈ સુધી 1 કેસ તો 17 જુલાઈ 2021 સુધી 6 કેસ

3- ડેન્ગ્યુના 432 અને ચાલુ માસમાં 17 જુલાઈ સુધી 22 કેસ તો 17 જુલાઈ 2021 સુધી 92 કેસ

4- ચિકનગુનિયા 923 અને ચાલુ માસમાં 17 જુલાઈ સુધી 3 કેસ તો 17 જુલાઈ 2021 સુધી 135 કેસ

પાણી જન્ય રોગચાળામાં 2020માં નોંધાયેલ કેસ જોઈએ તો

1- ઝાડા ઉલટીના 2,072 કેસ અને ચાલુ માસમાં 17 જુલાઈ સુધી 63 કેસ તો 17 જુલાઈ 2021 સુધી 1,687 કેસ 2- કમળાના 664 અને ચાલુ માસમાં 17 જુલાઈ સુધી 25 કેસ તો 17 જુલાઈ 2021 સુધી 510 કેસ

3- ટાઈફોઈડના 1,338 અને ચાલુ માસમાં 17 જુલાઈ સુધી 64 કેસ તો 17 જુલાઈ 2021 સુધી 882 કેસ

4- કોલેરાના કુલ 59 કેસ નોંધાયા

જેની સામે આ વર્ષે મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં ઘટાડો થયાનું AMCનું માનવું છે. એટલુ જ નહીં પણ 2020 દરમિયાન 50 હજાર લોહીના સેમ્પલ લીધા હતા, જેની સામે 2021માં 17 જુલાઈ સુધી 53 હજાર સેમ્પલ લેવાયા તો 2020 દરમિયાન 1 હજાર સીરમ સેમ્પલ સામે 2021માં 17 જુલાઈ સુધી 846 સેમ્પલ લેવામાં આવ્યા છે.

જે એ વસ્તુ બતાવે છે કે AMC દર વર્ષે કામગીરી કરે છે પણ સામે રોગચાળા પર જેટલું નિયંત્રણ આવવું જોઈએ તે નથી આવી રહ્યું અને તેમાં પણ ગત વર્ષથી શહેર અને રાજ્યમાં કોરોનાએ માથું ઉચક્યું છે. ત્યારે સામે એ પણ જોવું જરૂરી છે કે રોગચાળાના કારણે કોરોના કેસમાં કોઈ અસર ન આવે અને લોકોને સુરક્ષિત પણ કરી શકાય.

આ પણ વાંચો: Jamnagar : ભુમાફિયા જયેશ પટેલ વિરુદ્ધ ગુજસીટોકનો કેસ દાખલ, 30 દિવસમાં હાજર થવા આદેશ

25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">