AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: પ્રેમ, પરંપરા અને પાબંદી વચ્ચે પીસાયુ આ પ્રેમી યુગલ, 51 લાખ મુકો અને છોકરીને લઈ જાવ, ગૃહપ્રધાનને જીવ બચાવવા યુગલની કાકલુદી

બન્ને પ્રેમી યુગલ શિક્ષતિ છે. જેમાં અમી દેસાઈ પીએચડીમાં અભ્યાસ કરે છે અને ગાંધીનગર ચિલ્ડ્રન યુનિવર્સિટી સંશોધન મદદનીશ તરીકે ફરજા બજાવે છે.જ્યારે મેરુ કાયદાનો અભ્યાસ કરે છે. બંને ગુજરાત યુનિવર્સિટીમાં સંપર્કમાં આવ્યા અને પ્રેમસંબંધમાં જોડાયા હતા.

Ahmedabad: પ્રેમ, પરંપરા અને પાબંદી વચ્ચે પીસાયુ આ પ્રેમી યુગલ, 51 લાખ મુકો અને છોકરીને લઈ જાવ, ગૃહપ્રધાનને જીવ બચાવવા યુગલની કાકલુદી
Ahmedabad
Mihir Soni
| Edited By: | Updated on: May 26, 2022 | 5:04 PM
Share

અમદાવાદ (Ahmedabad) ના ઘાટલોડિયા વિસ્તારની આશાપુરા સોસાયટીમાં મોડી રાત્રે 25 લોકોના ટોળાએ તોડફોડ કરી હતી. આ તોડફોડનું કારણ હતું અમી અને મેરૂ નામના યુવક-યુવતીના મૈત્રી કરાર. બંને યુગલે સમાજના બંધનો તોડી મૈત્રી કરારમાં સાથે રહેવાનો નિર્ણય કર્યો. જોકે પરિવાર અને સમાજને યુવતીનો આ નિર્ણય મંજૂર નહોતો. બસ પછી શું? સમાજ અને પરિવાર સામે પડેલી યુવતીને પરત લાવવા સામાજીક અગ્રણીઓ મેદાનમાં પડ્યા. યુવતી ટસની મસ ન થતા, કેટલાક લોકોએ યુવકના ઘરે હુમલો કર્યો. શહેરના ઘાટલોડિયા સ્થિત આશાપુરા સોસાયટીમાં યુવકના મકાન પર 25 લોકોનું ટોળુ ત્રાટક્યુ. અને ઘરના બારીબારણા સહિત કાર અને વાહનોમાં તોડફોડ કરી હતી. સાથે જ ધમકી આપી કે, જો યુવતીને પરત નહીં મોકલાય તો 51 લાખ રૂપિયા આપવા પડશે. અન્યથા યુવતીનું અપહરણ કરવામાં આવશે.

સીસીટીવીમાં હથિયારો સાથે દેખાતા અસામાજિક તત્વોએ પ્રેમી યુગલને પ્રેમની સજા આપવા માટે આંતક મચાવી રહ્યા છે..ધટના કઈક એવી છે કે ઘાટલોડિયામાં રહેતા મેરુ દેસાઈ અને અમી દેસાઈ વચ્ચે વર્ષ 2019 પ્રેમ સંબંધમાં જોડાયા હતા. પરતું અમીબેનના પરિવારને આ સંબંધનો સ્વીકાર કરતું ન હતું જેથી પોતાના પ્રેમી સાથે જિંદગી જીવા માટે પિતાનું ઘર છોડ્યું અને પ્રેમી મેરુના ઘરે રહેવા આવી,આ પ્રેમી યુગલ સપનામાં પણ વિચાર્યું ન હતું કે તેમના પરિવાર તમેના જીવનો દુષમન બનશે અને ખાતકી હુમલો કરશે. આ પ્રેમી યુગલ મૈત્રી કરાર કરી આશાપુરી સોસાયટી રહેવા આવ્યા જેની જાણ અમીના પરિવારને થતા તેઓ ટોળું લઈ સમાધાન બહાને 51 લાખ રૂપિયા અને સોના દાગીના માંગણી કરી. પરતું યુવકના પરિવારે માંગણી ન સ્વીકારતા તેમના ઘરે 20 થી25 લોકોના ટોળા ઘર પર તોડફોડ કરી. જે દહેશતથી પ્રેમી પખીડા કાપી રહ્યા છે અને રક્ષણ માંગ કરી રહ્યા છે.

બન્ને પ્રેમી યુગલ શિક્ષતિ છે. જેમાં અમી દેસાઈ પીએચડીમાં અભ્યાસ કરે છે અને ગાંધીનગર ચિલ્ડ્રન યુનિવર્સિટી સંશોધન મદદનીશ તરીકે ફરજા બજાવે છે.જ્યારે મેરુ કાયદાનો અભ્યાસ કરે છે. બંને ગુજરાત યુનિવર્સિટીમાં સંપર્કમાં આવ્યા અને પ્રેમસંબંધમાં જોડાયા હતા. પરંતું અમીબેનના બાળપણમાં લગ્ન કરી લીધા હતા. જે અમીને મંજુર નહતા. એક તરફ પ્રેમ અને બીજી તરફ સામાજિક બંધન વચ્ચે અમીએ પ્રેમનો સાથ આપ્યો અને પ્રેમી મેરુ સાથે મૈત્રી કરાર કરીને જિંદગી ની શરૂઆત કરી. જેની અદાવત રાખીને અમીના પરિવારે અસામાજિક તત્વો સાથે મળીને તોડફોડ કરીને હુમલો કરતા ઘાટલોડિયા પોલીસે રાયોટિંગનો ગુનો નોંધ્યો.

પ્રેમ અને સામાજિક બંધન વચ્ચે પ્રેમી યુગલે કાયદા ની મદદ મેળવીને રક્ષણ ની માંગ કરી છે. સાથે જ ગૃહપ્રધાન હર્ષ સંઘવી પાસે તેમણે પોતાનું જીવન બચાવવા માટે કાકલુદી કરી છે. ટીવી 9 સાથેની વાતચીતમાં તેમણે આ અપીલ કરી હતી કે પરિવાર અને સમાજ દ્વારા તેમને સતત ધમકીઓ આપવામાં આવી રહી છે તે સામે તેમને રક્ષણ પૂરૂ પાડવામાં આવે અને ગૃહપ્રધાન સમગ્ર મામલે મધ્યસ્થી કરે.

51 લાખ રૂપિયા અને સોનાના દાગીના આપવાના ફરજીયાત રિવાજનો આ પ્રેમી યુગલ વિરોધ કરી રહ્યો છે. અને પોતાની જિંદગી પોતાની ઈચ્છા થી જીવવા ની માંગ કરે છે. ત્યારે આ વિવાદો વચ્ચે ઘાટલોડિયા પોલીસે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">