Ahmedabad : AMCએ લીધો મોટો નિર્ણય, BRTSના કેટલાક રુટ સમાંતર સાઇકલ ટ્રેકને કરાશે દૂર

ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે AMCએ આ નિર્ણય લીધો છે. શહેરના ત્રણ રૂટ પર સાઇકલ ટ્રેક તોડવાનો નિર્ણય કરાયો છે. નરોડા, RTO, વસ્ત્રાપુર લેક નજીકના કુલ 26 કિલોમિટર રોડ પર સાઇકલ ટ્રેક દૂર કરીને રોડ પહોળો કરવામાં આવે છે.

Ahmedabad : AMCએ લીધો મોટો નિર્ણય, BRTSના કેટલાક રુટ સમાંતર સાઇકલ ટ્રેકને કરાશે દૂર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 07, 2023 | 11:17 AM

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને, રહી રહીને જ્ઞાન આવ્યું હોય તેવો નિર્ણય લેવાયો છે. અમદાવાદમાં રોજબરોજ વધતી જતી ટ્રાફિકની સમસ્યાને નિવારવા માટે, BRTSના કેટલાક રૂટ ઉપર સમાંતર સાઇકલ ટ્રેકને દૂર કરવામાં આવશે. ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે AMCએ આ નિર્ણય લીધો છે. શહેરના ત્રણ રૂટ પર સાઇકલ ટ્રેક તોડવાનો નિર્ણય કરાયો છે. નરોડા, RTO, વસ્ત્રાપુર લેક નજીકના કુલ 26 કિલોમિટર રોડ પર સાઇકલ ટ્રેક દૂર કરીને રોડ પહોળો કરવામાં આવે છે.

આ પણ વાંચો : Ahmedabad : મહાઠગ કિરણ પટેલને આજે મોડી રાત સુધીમાં લવાશે અમદાવાદ, જમ્મુ-કાશ્મીરથી પોલીસ રવાના

આ અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને કહ્યું કે સાયકલ ટ્રેકનો ઉપયોગ ન થતો હોવાની અને ટ્રેક પર દબાણ ઉભા કરાયા હોવાની વારંવાર ફરિયાદ મળતી હતી. જેને કારણે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આ અંગે નિર્ણય લેવાયો છે. જેથી હવે નારોલ-નરોડા અને વસ્ત્રાપુર સંજીવની હોસ્પિટલ પાસેના ટ્રેક બંધ કરાશે. અને સાયકલ ટ્રેક ઉપરના દબાણ દૂર કરી રોડને સમકક્ષ બનાવવામાં આવે છે.

આજનું રાશિફળ તારીખ : 21-09-2024
તમારા મગજને શાર્પ કરવાની 10 સરળ રીતો
132 કરોડ રૂપિયાનો માલિક છે અશ્વિન, ઘરની કિંમત જાણીને ચોંકી જશો
ડિનર પહેલાં અને ડિનર પછી દારૂ પીવામાં શું તફાવત છે, દરેકે જાણવું જોઈએ
પૂર્વ દિશામાં પગ રાખીને સૂવાથી શું થાય છે ?
ગુજરાતી સિંગર અરવિંદ વેગડાના ગીત વગર ખેલૈયાની નવરાત્રી અધુરી છે, જુઓ ફોટો

મહત્વનું છે કે સાયકલ પર જતા આવતા લોકોને કોઇ તકલીફ ન પડે તે માટે નારોલ, નરોડા, શિવરંજની અને IIM વિસ્તારમાં સાયકલ ટ્રેક બનાવાયા હતો. પરંતુ સાયકલ ટ્રેકનો ઉપયોગ ના થવાના કારણે હવે સાયકલ ટ્રેક દૂર કરાશે.

સાયકલ ટ્રેક ગાયબ

આ અગાઉ ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ચાર વર્ષ પહેલા ત્રણ કરોડ રૂપિયાના ખર્ચે બનાવેલા સાયકલ ટ્રેકનું નામો નિશાન પણ ખતમ થઈ ગયું હતુ. કોઈ આયોજન વગર બનાવવામાં આવેલા સાયકલ ટ્રેકમાં પ્રજાના કરોડો રૂપિયાનું આંધણ થયુ છે. થોડા અંશે સાઇકલ ટ્રેક બચ્યો હતો એને પણ ખુદ મહાનગરપાલિકાએ જ તોડી પાડ્યો હતો. રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી 2019-20માં શહેરીજનો અને વિદ્યાર્થીઓના હિતમાં અને સેફટી માટે સાયકલ ટ્રેક બનાવાયો હતો. શહેરના નીલમબાગ સર્કલથી કાળીયાબીડ સુધી તેમજ વિરાણી સર્કલ થી સરદાર પટેલ સ્કૂલ સુધી નવ કિલોમીટરનો સાયકલ ટ્રેક બનાવાયો હતો. જેનો ખર્ચ અંદાજે 3 કરોડ રૂપિયા જેટલો થયો હતો.

3 કરોડના ખર્ચે બનાવ્સાયો હતો સાઇકલ ટ્રેક

ચાર વર્ષ પહેલા સાઇકલ ટ્રેક 3 કરોડના ખર્ચે બનાવ્યો હતો. શહેરીજનો ખુશ હતા કે તેઓ મોર્નિગ અને ઇવનિંગના ટાઇમે સાઇકલ ચલાવી શકશે. પરંતુ થયું એવું કે 3 કરોડના ખર્ચે બનાવેલો સાઇકલ ટ્રેક મનપાએ ગાયબ કરી દીધો છે. અને હવે દાવો કર્યો છે કે ભાવનગરમાં સિક્સ લેન રોડ બન્યા બાદ નવો સાઇકલ ટ્રેક બનાવવામાં આવશે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

સુરતમાં ટ્રેન ઉથલાવવાના ષડયંત્રનો પર્દાફાશ- જુઓ-Video
સુરતમાં ટ્રેન ઉથલાવવાના ષડયંત્રનો પર્દાફાશ- જુઓ-Video
આગામી દિવસોમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી
આગામી દિવસોમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી
આ 5 રાશિના જાતકો ગુસ્સા પર રાખે નિયંત્રણ, નહીં તો બનતુ કામ બગડશે
આ 5 રાશિના જાતકો ગુસ્સા પર રાખે નિયંત્રણ, નહીં તો બનતુ કામ બગડશે
તરણેતરના મેળામાં ભોજપૂરી ડાન્સરના ડાન્સથી લજવાઈ સંસ્કૃતિ- Video
તરણેતરના મેળામાં ભોજપૂરી ડાન્સરના ડાન્સથી લજવાઈ સંસ્કૃતિ- Video
iPhone 16 ખરીદવા પડાપડી, શો રૂમ બહાર ખરીદારોની લાગી લાંબી લાઈનો
iPhone 16 ખરીદવા પડાપડી, શો રૂમ બહાર ખરીદારોની લાગી લાંબી લાઈનો
ક્ષત્રિય સંમેલનમાં કૃષ્ણકુમારસિંહજીના વારસદારની પ્રમુખ તરીકે વરણી
ક્ષત્રિય સંમેલનમાં કૃષ્ણકુમારસિંહજીના વારસદારની પ્રમુખ તરીકે વરણી
વુુડામાં 11 જેટલી સોસાયટીમાં 9 મહિનાથી પાણી ન આવતા લોકોને હાલાકી
વુુડામાં 11 જેટલી સોસાયટીમાં 9 મહિનાથી પાણી ન આવતા લોકોને હાલાકી
કડીના રાજપુરમાં બોરમાંથી લાલ પાણી આવતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ
કડીના રાજપુરમાં બોરમાંથી લાલ પાણી આવતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ
રેસિડેન્શિયલ ઝોનમાં ઈન્ડસ્ટ્રીયલ પ્લોટની ફાળવણી કરાતા લોકોમાં રોષ
રેસિડેન્શિયલ ઝોનમાં ઈન્ડસ્ટ્રીયલ પ્લોટની ફાળવણી કરાતા લોકોમાં રોષ
જનતા પર ઝીંકાયો મોંઘવારીનો વધુ એક માર, ખાદ્યતેલના ભાવમાં ધરખમ વધારો
જનતા પર ઝીંકાયો મોંઘવારીનો વધુ એક માર, ખાદ્યતેલના ભાવમાં ધરખમ વધારો
g clip-path="url(#clip0_868_265)">