અમદાવાદ 6 ઈંચ વરસાદમાં જળમગ્ન, યલો એલર્ટમાંથી 3 દિવસ રેડ એલર્ટની સ્થિતિઃ મ્યુ કમિશનર બંછાનિધી પાની
મ્યુનિસિપલ કમિશનરે, એ વાતની કબૂલાત કરી હતી કે, પશ્ચિમ અમદાવાદમાં એસ જી હાઈવે, સાયન્સ સિટી, થલતેજ, બોડકદેવ જેવા વિસ્તારમાં સૌથી વધુ વરસાદ વરસ્યો છે. અમદાવાદમાં 12 વાગ્યા સુધીમાં જ 6 ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે અને હજુ પણ વરસાદ ચાલુ છે તેથી બીજો વધારાનો વરસાદ પણ નોંધાશે.

અમદાવાદમાં આજે સવારથી વરસી રહેલા ધોધમાર વરસાદને કારણે સમગ્ર પશ્ચિમ અમદાવાદ જળબંબાકાર થઈ ગયું છે. પશ્ચિમ અમદાવાદમાં એવો કોઈ વિસ્તાર નહીં હોય કે જ્યાં વરસાદી પાણી ના ભરાયા હોય. શહેરની આવી સ્થિતિ માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર બંછાનિધી પાની વધુ વરસેલા વરસાદને જવાબદાર ગણે છે. જો કે, તેમણે કહ્યું કે, અમદાવાદમાં વરસાદને યલો એલર્ટ હતું. જે હવે રેડ એલર્ટમાં ફેરવાયું છે. આ રેડ એર્લટ પણ આગામી 3 દિવસ સુધી રહેશે.
મ્યુનિસિપલ કમિશનરે, એ વાતની કબૂલાત કરી હતી કે, પશ્ચિમ અમદાવાદમાં એસ જી હાઈવે, સાયન્સ સિટી, થલતેજ, બોડકદેવ જેવા વિસ્તારમાં સૌથી વધુ વરસાદ વરસ્યો છે. અમદાવાદમાં 12 વાગ્યા સુધીમાં જ 6 ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે અને હજુ પણ વરસાદ ચાલુ છે તેથી બીજો વધારાનો વરસાદ પણ નોંધાશે.
બોપલ વિસ્તારની બે સોસાયટીમાં વરસાદી પાણી ઘૂસ્યા હોવાની વિગતો મળી છે. આ સ્થિતિ નિવારવા માટે, પંપીગની કાર્યવાહી કરવામાં આવી રહી છે. વાસણા બેરેજની જળ સપાટી 130 ફૂટ છે, પરંતુ શહેરમાં ભરાયેલા વરસાદી પાણીનો નિકાલ ઝડપથી થાય તે માટે વાસણા બેરેજ ખાતે જળસપાટી ઘટાડીને 125 ફુટની કરાશે.
અમદાવાદમાં એક તબક્કે વિવિધ વિસ્તારમાં આવેલા 9 અન્ડર બ્રિજ બંધ કરવામાં આવ્યા હતા. આ અન્ડરપાસમાં વરસાદ બંધ થતા પાણી ઓસરતા ફરી વાહન વ્યવહાર માટે ખુલ્લા મુકશે. તકેદરાની પગલા રૂપે, નદીનું પાણી ખાલી કરવામાં આવી રહ્યું છે. સ્ટોર્મ વોટરનું પાણી સાબરમતીમાં આવે છે. આથી તેનુ જળસ્તર ઓછુ કરી લેવામાં આવે છે. એસટીપી, સ્ટ્રોમ વોટર માટેના પંપ ચલાવી રહ્યાં છીએ.
મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું કે, રેડ એલર્ટને લઈને મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર સંપૂર્ણ એલર્ટ છે. વોટર લોગિંગ માટે ડિવોટરીગ પંપ કામે લગાડવામાં આવ્યા છે. પાણી ઓસરવા માટે મેન્યઅલી, પંપીગ બન્ને પ્રકારની કામગીરી કરવામાં આવી રહ્યું છે.
સાબરમતી નદીમાં આવતીકાલ 24મી જુલાઈ અને પરમદિવસ 25 મી જુલાઈના રોજ વધુ પાણી આવવાની સંભાવના છે. જેને ધ્યાને લઈને વાસણા બેરેજના તમામ ગેટ ખોલી નાખવામાં આવ્યા છે. વાસણા બેરેજ ખાતે સાબરમતી નદીના લોએસ્ટ લેવલ સુધી પાણી ઘટાડવામાં આવી રહ્યું છે.
