અમદાવાદ શહેરનું પોલીસ સ્ટેશન અનોખી રીતે સુધારશે ગુનેગારોને, અપનાવ્યો આ નવો અભિગમ
સરદારનગર પોલીસ સ્ટેશનમાં પેઇન્ટર દ્ધારા અલગ અલગ ચિત્રો બનાવી ગુનાખોરી છોડવા અને ગુનાખોરીથી શું થાય છે તે ઉદ્દેશ્યને સંબોધી પેઇન્ટિંગ બનાવવામાં આવ્યા છે. રીઢા ગુનેગારોની માનસિકતા બદલાઈ તે માટે અમદાવાદ શહેરના પોલીસ સ્ટેશનના લોકઅપમાં તેમજ પોલીસ સ્ટેશનની દીવાલો પર સારા વિચારો આપતા ચિત્રો દોરવામાં આવ્યા છે. Web Stories View more Bank Of Baroda માંથી 50 […]
સરદારનગર પોલીસ સ્ટેશનમાં પેઇન્ટર દ્ધારા અલગ અલગ ચિત્રો બનાવી ગુનાખોરી છોડવા અને ગુનાખોરીથી શું થાય છે તે ઉદ્દેશ્યને સંબોધી પેઇન્ટિંગ બનાવવામાં આવ્યા છે. રીઢા ગુનેગારોની માનસિકતા બદલાઈ તે માટે અમદાવાદ શહેરના પોલીસ સ્ટેશનના લોકઅપમાં તેમજ પોલીસ સ્ટેશનની દીવાલો પર સારા વિચારો આપતા ચિત્રો દોરવામાં આવ્યા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: અમૂલ આવ્યું આગળ, જમ્મુ-કાશ્મીરમાં ડેરી ઉદ્યોગમાં રોકાણ કરીને સ્થાનિકોને આપશે રોજગારી
રીઢા ગુનેગારોની માનસિક્તા બદલવા માટે અમદાવાદ શહેરના સરદારનગર પોલીસ સ્ટેશનના લોકઅપમાં તેમજ પોલીસ સ્ટેશનની દીવાલો પર ગુનાખોરીને વિચારો દૂર કરતાં અને બોધપાઠ આપતા સુવિચારો સાથે પેઇન્ટિંગ બનાવવામાં આવ્યા છે. જેને લઇ સરદારનગર પોલીસ સ્ટેશનના PI સી.આર.જાદવનું કહેવું છે કે આરોપીઓ પોલીસ સ્ટેશનમાં આવે ત્યારે આ ચિત્રો જુએ અને તેમનામાં બદલાવ આવે તે ભાવનાથી આ ચિત્રો દોરવામાં આવ્યા છે.
પોલીસ સ્ટેશનના લોકઅપમાં જ દીવાલો ઉપર અપરાધ છોડો પરિવાર બચાવો, સેવ ગર્લ, નશાકારક પદાર્થોથી દૂર રહો, આવા ગુનાના અંધકારને છોડી પ્રગતિના પંથ તરફ આગળ વધેે તેવા સુવિચારો તેમજ ચિત્રો દ્વારા સંદેશો આપવામાં આવી રહ્યો છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
જે સમાજમાં રહેલા દૂષણો દૂર કરવા પણ સુવિચારો લખવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ચોરી, લૂંટફાટ, બળાત્કાર, છેડતી, શારીરિક-માનસિક ત્રાસ, દારૂ-જુગાર જેવા ગુનાઓ વધી રહ્યા છે. જેના માટે પોલીસ સ્ટેશનમાં એક નવો અભિગમ લાવવામાં આવ્યો છે.
[yop_poll id=”1″]
સરદારનગર પોલીસ સ્ટેશનમાં વધી રહેલા ગુનાઓ કારણે PI દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે. જે આવા ગુનાના કારણે ગુના કરનાર વ્યક્તિનો પરિવાર પણ દુઃખી રહેતો હોય છે. પરિવારને પણ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. ગુના કરવાના કારણે એક પરિવાર વેરવિખેર પણ થતો હોય છે ગુનેગારોના માનસપર ફરીથી આ પ્રકારનો ગુનો ન કરે અને તેનામાં સારા વિચારોનું સિંચન થાય તે માટે આ પહેલ કરવામાં આવી છે. નોધનીય છે કે આ પ્રકારની પહેલ માત્ર અમદાવાદમાં નહીં પરંતુ ગુજરાતમાં પ્રથમ વખત કરવામાં આવી છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]