AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બ્રેકિંગ ન્યૂઝ : લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો, ધારાસભ્ય સી જે ચાવડાએ આપ્યું રાજીનામુ

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં કોંગ્રેસમાંથી 17 ધારાસભ્ય ચૂંટાયા હતા. જે પૈકી દિગ્ગજ નેતા સી જે ચાવડા એક છે.તેઓ સરકાર સામે વિપક્ષ તરીકે મકક્મતાથી પોતાની વાત મુકતા આવ્યા છે, જો કે હવે તેમણે પણ કોંગ્રેસમાંથી છેડો ફાડી દીધો છે.

બ્રેકિંગ ન્યૂઝ : લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો, ધારાસભ્ય સી જે ચાવડાએ આપ્યું રાજીનામુ
Sachin Kolte
| Edited By: | Updated on: Jan 19, 2024 | 11:10 AM
Share

લોકસભાની આગામી ચૂંટણી પૂર્વે કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો મળ્યો છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા અને ધારાસભ્ય સી જે ચાવડાએ રાજીનામું આપી દીધુ છે.અગાઉ કોંગ્રેસના એક ધારાસભ્યએ કોંગ્રસમાંથી છેડો ફાડ્યા બાદ હવે વધુ એક કોંગ્રેસ ધારાસભ્ય કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યુ છે.

લોકસભાની આગામી ચૂંટણી પૂર્વે ગુજરાતના રાજકારણમાં ઉથલ પાથલ શરુ થઇ ગઇ છે. અગાઉ કોંગ્રેસના એક ધારાસભ્યએ કોંગ્રસમાંથી છેડો ફાડ્યા બાદ હવે વધુ એક કોંગ્રેસ ધારાસભ્ય કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યુ છે. આ પહેલા આમ આદમી પાર્ટીમાંથી ધારાસભ્ય ભૂપત ભાયાણીએ રાજીનામું આપ્યુ હતુ, જે પછી કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલે રાજીનામું આપ્યુ હતુ.હવે કોંગ્રેસના દિગ્ગજ નેતા સી જે ચાવડાએ પણ ધારાસભ્ય પદેથી રાજીનામું ધરી દીધુ છે.

કોણ છે સી જે ચાવડા ?

સી જે ચાવડા કોંગ્રેસના દિગ્ગજ નેતા છે. તેઓ જરાત વિધાનસભા ચૂંટણી 2022માં વિજાપુર બેઠક ઉપરથી ધારાસભ્ય તરીકે ચૂંટાઇ આવ્યા હતા. તેઓ ગુજરાત સરકારમાં અધિકારી પણ રહી ચૂક્યા છે. તેમણે જયરાજસિંહ પરમાર, બળદેવજી ઠાકોર સાથે મળી કોંગ્રેસને મજબૂત કરી હતી. ઉત્તર ગુજરાતમાંથી જયરાજસિંહ બાદ પક્ષ છોડનારા સી જે ચાવડા કોંગ્રેસના બીજા મોટા નેતા છે.

ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસને મોટો ઝટકો

સી જે ચાવડા વર્ષ 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં સી જે ચાવડા વિજાપુરથી કોંગ્રેસના ધારાસભ્ય તરીકે ચૂંટાઇ આવ્યા હતા. સી જે ચાવડાએ હંમેશા વિપક્ષમાં રહીને સરકાર ઉપર સવાલો ઊભા કરેલા છે અને પોતાની વાત મક્કમતાથી મુકેલી છે. આ વિધાનસભા ચૂંટણીમાં તેમણે પહેલી વાર પોતાની બેઠક બદલી હતી. અત્યાર સુધી તેઓ ગાંધીનગરથી ચૂંટણી લડતા આવ્યા છે. આ વખતે તેઓ વીજાપુર બેઠક પરથી કોંગ્રેસમાંથી વિધાનસભા ચૂંટણી લડ્યા હતા.

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં કોંગ્રેસમાંથી 17 ધારાસભ્ય ચૂંટાયા હતા.  જે પૈકી દિગ્ગજ નેતા સી જે ચાવડા એક છે.તેઓ સરકાર સામે વિપક્ષ તરીકે મકક્મતાથી પોતાની વાત મુકતા આવ્યા છે, જો કે હવે તેઓ પણ કોંગ્રેસમાંથી છેડો ફાડે તેવી સંભાવના જોવા મળી રહી છે. બપોરે 12 કલાકની આસપાસ સી જે ચાવડા ગુજરાત વિધાનસભા પહોંચીને વિધાનસભા સ્પીકરને પોતાનું રાજીનામું આપી શકે તેમ છે. લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાંથી બે ધારાસભ્ય ઓછા થઇ જશે.આગામી સમયમાં હજુ પણ બીજા કોંગ્રેસના ધારાસભ્ય રાજીનામું આપે તેવી શક્યતા જોવા મળી રહી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
સુરત VNSGU ગર્લ્સ હોસ્ટેલમાં વિરોધ ! ભોજન, પાણી, સ્વચ્છતાની માંગ
સુરત VNSGU ગર્લ્સ હોસ્ટેલમાં વિરોધ ! ભોજન, પાણી, સ્વચ્છતાની માંગ
ગેરકાયદે ધરપકડ, પરેડ સહિતના મુદ્દે પાયલ ગોટીને 7.5 લાખ ચૂકવવા આદેશ
ગેરકાયદે ધરપકડ, પરેડ સહિતના મુદ્દે પાયલ ગોટીને 7.5 લાખ ચૂકવવા આદેશ
આજથી રાજકોટના લોકમેળાનો પ્રારંભ, હજુ સુધી રાઇડ્સને મંજૂરી નહીં
આજથી રાજકોટના લોકમેળાનો પ્રારંભ, હજુ સુધી રાઇડ્સને મંજૂરી નહીં
સાઇકલ ફેરવો અને કપડાં ધોવો, સોશિયલ મીડિયા પર વાયરલ થયો 'દેશી જુગાડ'
સાઇકલ ફેરવો અને કપડાં ધોવો, સોશિયલ મીડિયા પર વાયરલ થયો 'દેશી જુગાડ'
સુપ્રીમ કોર્ટ તરફથી OBC ક્રીમીલેયર કેસમાં કેન્દ્ર સરકારને કોઈ રાહત નહી
સુપ્રીમ કોર્ટ તરફથી OBC ક્રીમીલેયર કેસમાં કેન્દ્ર સરકારને કોઈ રાહત નહી
જૂનાગઢમાં આખલાએ રૌદ્ર રૂપ ધારણ કરતાં સિંહનો દાવ પાડ્યો ઊંધો ! Video
જૂનાગઢમાં આખલાએ રૌદ્ર રૂપ ધારણ કરતાં સિંહનો દાવ પાડ્યો ઊંધો ! Video
વડોદરામાં બિનઆરોગ્યપ્રદ પાણીપુરી સામે મનપાની લાલ આંખ
વડોદરામાં બિનઆરોગ્યપ્રદ પાણીપુરી સામે મનપાની લાલ આંખ
ભરૂચમાં મુખ્ય સરકારી વકીલ અને એપીપીના રાજીનામા પડ્યાં
ભરૂચમાં મુખ્ય સરકારી વકીલ અને એપીપીના રાજીનામા પડ્યાં
અમરેલીના રાજુલા પંથકમાં લાંબા વિરામ બાદ વરસાદી ઝાપટું
અમરેલીના રાજુલા પંથકમાં લાંબા વિરામ બાદ વરસાદી ઝાપટું
આજનું રાશિફળ : કોને મળશે ધનલાભ અને કોને કરિયરનો ફાયદો?
આજનું રાશિફળ : કોને મળશે ધનલાભ અને કોને કરિયરનો ફાયદો?
g clip-path="url(#clip0_868_265)">