Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat માં પાટીદાર બાદ કરણી સેનાએ ક્ષત્રિય યુવાનો પર થયેલા કેસ પરત ખેંચવાની માંગ કરી

સંજય લીલા ભણશાલીની ફિલ્મ પદમાવત ફિલ્મની સ્ટોરીને લઇને ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળ્યો હતો.આ ફિલ્મના રિલીઝ ન થવા દેવા માટે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં આંદોલનો થયા હતા.આ આંદોલન સમયે કેટલાક યુવાનો દ્રારા કાયદો હાથમાં લેવાયો હતો જેને લઇને ક્ષત્રિય યુવાનો પર કેસ નોંધાયા હતા.રાજપૂત કરણી સેના દ્રારા આ કેસ પરત ખેંચવાની માંગ કરવામાં આવી છે.

Gujarat માં પાટીદાર બાદ કરણી સેનાએ ક્ષત્રિય યુવાનો પર થયેલા કેસ પરત ખેંચવાની માંગ કરી
Gujarat Karni Sena Protest Against Film Padmavat Release (File Image)
Follow Us:
Mohit Bhatt
| Edited By: | Updated on: Mar 24, 2022 | 4:44 PM

ગુજરાત(Gujarat) સરકાર દ્રારા પાટીદાર (Patidar) અનામત આંદોલન સમયે પાટીદાર યુવાનો પર થયેલા કેસો પરત ખેંચવાની પ્રક્રિયા હાથ ધરી રહી છે અને આ પૈકી કેટલાક કેસો પરત ખેંચાયા પણ છે ત્યારે ક્ષત્રિય સમાજના સામાજિક સંગઠન રાજપૂત કરણી સેના(Karni Sena)દ્રારા પદમાવત ફિલ્મના વિરોધ માટે થયેલા આદોલન સમયે ક્ષત્રિય યુવાનો પર થયેલા કેસો પરત ખેંચવાની માંગ કરી છે,આ માટે કરણીસેનાના ગુજરાતના પ્રદેશ પ્રમુખ જે.પી જાડેજાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરી છે.આ અંગે જે.પી જાડેજાએ કહ્યું હતું કે ક્ષત્રિય યુવાનો પર થયેલા કેસો પરત ખેંચવા અંગે ઘણાં સમયથી રજૂઆત કરવામાં આવી છે આ અંગે તત્કાલિન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કેસો પરત ખેંચવા અંગે બાંહેધરી પણ આપી હતી અને કેટલાક કેસો પરત ખેંચવામાં પણ આવ્યા પરંતુ હજુ કેટલાક યુવાનો પણ થયેલા કેસ પેન્ડીંગ છે જે સત્વરે પાછા ખેંચાય તેવી રાજપૂત કરણી સેના દ્રારા માંગ કરવામાં આવી છે.

પદમાવત ફિલ્મનો ઠેર ઠેર થયો હતો વિરોધ

સંજય લીલા ભણશાલીની ફિલ્મ પદમાવત ફિલ્મની સ્ટોરીને લઇને ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળ્યો હતો.આ ફિલ્મના રિલીઝ ન થવા દેવા માટે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં આંદોલનો થયા હતા.આ આંદોલન સમયે કેટલાક યુવાનો દ્રારા કાયદો હાથમાં લેવાયો હતો જેને લઇને ક્ષત્રિય યુવાનો પર કેસ નોંધાયા હતા.રાજપૂત કરણી સેના દ્રારા આ કેસ પરત ખેંચવાની માંગ કરવામાં આવી છે.

રાજકોટ જિલ્લામાં પાટીદાર યુવાનો પરના બે કેસ પરત ખેંચાશે

રાજ્ય સરકાર દ્રારા પાટીદાર સમાજ પર થયેલા કેસો પરત ખેંચવાની પ્રક્રિયા હાથ ધરાઇ રહી છે ત્યારે રાજકોટ જિલ્લામાં નોંધાયેલા બે કેસો પરત ખેંચવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે આ માટે જિલ્લા કલેક્ટર તંત્ર દ્રારા વહીવટી પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે અને આ વહીવટી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કોર્ટ આખરી નિર્ણય લેશે અને આ કેસો પરત ખેંચવામાં આવશે.

Mobile Rules : કયા સમયે મોબાઈલને ન અડવો જોઈએ? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
Jioનો સ્પેશ્યિલ પ્લાન, માત્ર 100 રૂપિયામાં 3 મહિના TV પર ચાલશે JioHotstar
Holi Ash Remedies: હોલિકા દહનની રાખ સાથે કરો આ એક કામ, રાહુ-કેતુના સંકટ ટળી જશે
ખિસકોલીનું રોજ તમારા ઘરે આવવું કઈ વાતનો સંકેત આપે છે? જાણો અહીં
IPLની એક મેચની કિંમત 119 કરોડ રૂપિયા
51 વર્ષની ઉંમરે પણ કેમ કુંવારી છે ગીતામા? હવે લગ્ન કરવાને લઈને કહી મોટી વાત

આ પણ વાંચોઃ  Surat: અઠવાડિયામાં 2 કલાકથી વધુના વીજ કાપથી ખેડુતો પરેશાન, શેરડી-ડાંગર સહિતના પાકને નુકસાન

આ પણ વાંચોઃ  વિશ્વ ટીબી દિવસ :​​​​​​​ ગુજરાતમાં દર વર્ષે 1.70 લાખ કેસ અને 1000 દર્દીના મોત

g clip-path="url(#clip0_868_265)">