વિશ્વ ટીબી દિવસ :​​​​​​​ ગુજરાતમાં દર વર્ષે 1.70 લાખ કેસ અને 1000 દર્દીના મોત

આજે 24 માર્ચના રોજ વર્લ્ડ ટીબી દિવસની ઉજવણી કરવામાં આવે છે. અમદાવાદમાં પાલડીમાં ટાગોર હોલ ખાતે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની હાજરીમાં ટીબીના રોગ અંગેનો કાર્યક્રમનું આયોજન કરાયું છે.

વિશ્વ ટીબી દિવસ :​​​​​​​ ગુજરાતમાં દર વર્ષે 1.70 લાખ કેસ અને 1000 દર્દીના મોત
World TB Day: 1.70 lakh cases and 1000 deaths per year in Gujarat
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 24, 2022 | 12:42 PM

24 માર્ચના રોજ વર્લ્ડ TB ડેની ઉજવણી કરવામાં આવે છે. TBનો રોગ હવે સાધ્ય છે. ભારત અને ગુજરાત સરકાર ટીબી રોગના નાબૂદી માટે પ્રયત્નો કરી રહી છે. દર્દીઓની દવા, ટ્રેકિંગ, સહાય જેવી ઘણી બધી બાબતોનું ધ્યાન રાખવામાં આવે છે. આજે ભારતમાં પણ ટીબીને લગતા આ નેશનલ પ્રોગ્રામને ખાસ્સી સફળતા મળી છે.

TBના ગુજરાતમાં દર વર્ષે 1.70 લાખ કેસ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જણાવ્યા મુજબ, ગુજરાતમાં દર વર્ષે 1.70 લાખ અને અમદાવાદ શહેરમાં દર વર્ષે ટીબીના 18000 કેસ નોંધાય છે, જ્યારે 900થી 1000 લોકો મૃત્યુ પામે છે. ટીબીનાં લક્ષણો ધરાવતો દર્દી જો યોગ્ય સમયે યોગ્ય સારવાર ન લે અથવા જો એનું નિદાન ન થાય તો વર્ષે 10 લોકોને ચેપ લગાવી શકે છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

અમદાવાદમાં 2021માં સાદા TBના 17,439 દર્દી

એક મીડિયાને આપેલી માહિતીમાં ડો. તેજસ શાહે જણાવ્યું કે વર્ષ 2020 અને 2021માં સાદા TB અને હઠીલા TBના દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. સાદા ટીબીના દર્દીઓમાં મૃત્યુનું પ્રમાણ વધારે જોવા મળ્યું છે. અમદાવાદ શહેરમાં વર્ષ 2021માં સાદા TBના કુલ 17,439 દર્દી નોંધાયા છે અને સાદા TBમાં 965 મૃત્યુ કેસ નોંધાયા છે. જ્યારે હઠીલા TBની વાત કરીએ તો કુલ 801 દર્દી અને 78 મોત થયા છે. અમદાવાદમાં સૌથી વધુ TBના દર્દીઓ અસારવા, રખિયાલ, અમરાઈવાડી, ઘાટલોડિયા, નવાવાડજ અને વેજલપુર-વાસણામાં નોંધાયા છે.

ગત વર્ષે TBના 943 બાળદર્દી, 18નાં મોત

TB હવે બાળકોમાં પણ જોવા મળે છે. વર્ષ 2021માં TBના 943 બાળદર્દી હતા અને 18 બાળદર્દીનાં મોત થયા છે, TBના લક્ષણો અને ટીબીના દર્દીઓ વચ્ચે ફેર છે. મોટા ભાગના લોકોમાં ટીબીનું ઇન્ફેક્શન જોવા મળે છે. અમદાવાદના રાયપુરમાં 800 લોકોનો TB અંગે સર્વે કરાયો હતો, જેમાં 48 ટકા લોકોમાં TBનું ઇન્ફેક્શન જોવા મળ્યું છે.

TBના લક્ષણો

વજનમાં સતત ઘટાડો થવો,શ્વાસ લેવામાં મુશ્કેલી થવી, સમયસર ભૂખ ન લાગવી, લાંબા સમય સુધી ખાંસી આવવી, ખાંસતી વખતે વધારે દુખાવો થવો, ગળફામાં લોહી આવવું, રાત્રે સતત તાવ આવવો, પેટમાં દુખાવો થવો, થૂંકનો રંગ બદલાઇ જવો, હાડકામાં સતત દુખાવો રહેવો.

આ પણ વાંચો : Gold Price Today : દુબઈ અને અમદાવાદમાં 1 તોલા સોનાનો ભાવ શું છે, આજે સોનુ સસ્તું થયું કે મોંઘુ? જાણો અહેવાલ દ્વારા

Latest News Updates

સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">