Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વિશ્વ ટીબી દિવસ :​​​​​​​ ગુજરાતમાં દર વર્ષે 1.70 લાખ કેસ અને 1000 દર્દીના મોત

આજે 24 માર્ચના રોજ વર્લ્ડ ટીબી દિવસની ઉજવણી કરવામાં આવે છે. અમદાવાદમાં પાલડીમાં ટાગોર હોલ ખાતે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની હાજરીમાં ટીબીના રોગ અંગેનો કાર્યક્રમનું આયોજન કરાયું છે.

વિશ્વ ટીબી દિવસ :​​​​​​​ ગુજરાતમાં દર વર્ષે 1.70 લાખ કેસ અને 1000 દર્દીના મોત
World TB Day: 1.70 lakh cases and 1000 deaths per year in Gujarat
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 24, 2022 | 12:42 PM

24 માર્ચના રોજ વર્લ્ડ TB ડેની ઉજવણી કરવામાં આવે છે. TBનો રોગ હવે સાધ્ય છે. ભારત અને ગુજરાત સરકાર ટીબી રોગના નાબૂદી માટે પ્રયત્નો કરી રહી છે. દર્દીઓની દવા, ટ્રેકિંગ, સહાય જેવી ઘણી બધી બાબતોનું ધ્યાન રાખવામાં આવે છે. આજે ભારતમાં પણ ટીબીને લગતા આ નેશનલ પ્રોગ્રામને ખાસ્સી સફળતા મળી છે.

TBના ગુજરાતમાં દર વર્ષે 1.70 લાખ કેસ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જણાવ્યા મુજબ, ગુજરાતમાં દર વર્ષે 1.70 લાખ અને અમદાવાદ શહેરમાં દર વર્ષે ટીબીના 18000 કેસ નોંધાય છે, જ્યારે 900થી 1000 લોકો મૃત્યુ પામે છે. ટીબીનાં લક્ષણો ધરાવતો દર્દી જો યોગ્ય સમયે યોગ્ય સારવાર ન લે અથવા જો એનું નિદાન ન થાય તો વર્ષે 10 લોકોને ચેપ લગાવી શકે છે.

Mosquitoes Bite: કયા લોકોને મચ્છર સૌથી વધારે કરડે છે અને કેમ? જાણો કારણ
ટીમ ઈન્ડિયાનો આ ખેલાડી ઉમરાહ માટે મક્કા પહોંચ્યો
પાકિસ્તાનના બધા ખેલાડીઓની મળીને પણ નથી કરી શકતા ભારતના કેપ્ટન રોહિત શર્માની બરાબરી
Jioનો 56 દિવસનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
સ્મૃતિ મંધાનાએ બોયફ્રેન્ડ સામે રમી ધમાકેદાર ઈનિંગ
પઠાણના ઘરમાં બ્રાહ્મણ પેદા થયો- બોલિવુડમાં આવુ કોના માટે કહેવાયુ?

અમદાવાદમાં 2021માં સાદા TBના 17,439 દર્દી

એક મીડિયાને આપેલી માહિતીમાં ડો. તેજસ શાહે જણાવ્યું કે વર્ષ 2020 અને 2021માં સાદા TB અને હઠીલા TBના દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. સાદા ટીબીના દર્દીઓમાં મૃત્યુનું પ્રમાણ વધારે જોવા મળ્યું છે. અમદાવાદ શહેરમાં વર્ષ 2021માં સાદા TBના કુલ 17,439 દર્દી નોંધાયા છે અને સાદા TBમાં 965 મૃત્યુ કેસ નોંધાયા છે. જ્યારે હઠીલા TBની વાત કરીએ તો કુલ 801 દર્દી અને 78 મોત થયા છે. અમદાવાદમાં સૌથી વધુ TBના દર્દીઓ અસારવા, રખિયાલ, અમરાઈવાડી, ઘાટલોડિયા, નવાવાડજ અને વેજલપુર-વાસણામાં નોંધાયા છે.

ગત વર્ષે TBના 943 બાળદર્દી, 18નાં મોત

TB હવે બાળકોમાં પણ જોવા મળે છે. વર્ષ 2021માં TBના 943 બાળદર્દી હતા અને 18 બાળદર્દીનાં મોત થયા છે, TBના લક્ષણો અને ટીબીના દર્દીઓ વચ્ચે ફેર છે. મોટા ભાગના લોકોમાં ટીબીનું ઇન્ફેક્શન જોવા મળે છે. અમદાવાદના રાયપુરમાં 800 લોકોનો TB અંગે સર્વે કરાયો હતો, જેમાં 48 ટકા લોકોમાં TBનું ઇન્ફેક્શન જોવા મળ્યું છે.

TBના લક્ષણો

વજનમાં સતત ઘટાડો થવો,શ્વાસ લેવામાં મુશ્કેલી થવી, સમયસર ભૂખ ન લાગવી, લાંબા સમય સુધી ખાંસી આવવી, ખાંસતી વખતે વધારે દુખાવો થવો, ગળફામાં લોહી આવવું, રાત્રે સતત તાવ આવવો, પેટમાં દુખાવો થવો, થૂંકનો રંગ બદલાઇ જવો, હાડકામાં સતત દુખાવો રહેવો.

આ પણ વાંચો : Gold Price Today : દુબઈ અને અમદાવાદમાં 1 તોલા સોનાનો ભાવ શું છે, આજે સોનુ સસ્તું થયું કે મોંઘુ? જાણો અહેવાલ દ્વારા

1 થી 10ના આંકડા કેમ બનાવાયા તેનું લોજિક આ Videoથી સમજાયુ
1 થી 10ના આંકડા કેમ બનાવાયા તેનું લોજિક આ Videoથી સમજાયુ
પલાણા ગ્રામ પંચાયતનો તલાટી લાંચ લેતા ઝડપાયો, જુઓ Video
પલાણા ગ્રામ પંચાયતનો તલાટી લાંચ લેતા ઝડપાયો, જુઓ Video
ગુજરાતમાં બેવડી ઋતુની આગાહી, જાણો તમારા વિસ્તારમાં કેવું રહેશે વાતાવરણ
ગુજરાતમાં બેવડી ઋતુની આગાહી, જાણો તમારા વિસ્તારમાં કેવું રહેશે વાતાવરણ
ઘરમાં છુપાયેલા ખૂંખાર આરોપીઓને ઠાર કરવા પોલીસનુ Live એન્કાઉન્ટર
ઘરમાં છુપાયેલા ખૂંખાર આરોપીઓને ઠાર કરવા પોલીસનુ Live એન્કાઉન્ટર
મનપાની ચૂંટણીના પરિણામો બાદ મારામારીની ઘટના
મનપાની ચૂંટણીના પરિણામો બાદ મારામારીની ઘટના
મહેમદાવાદમાં લોરેન્સ બિશ્નોઈના પોસ્ટર સાથે ઉજવણી કરનાર 2 લોકોની અટકાયત
મહેમદાવાદમાં લોરેન્સ બિશ્નોઈના પોસ્ટર સાથે ઉજવણી કરનાર 2 લોકોની અટકાયત
હાલોલ નગરપાલિકામાં ભાજપને ક્લીન સ્વીપ, 36 બેઠક પર મળી જીત
હાલોલ નગરપાલિકામાં ભાજપને ક્લીન સ્વીપ, 36 બેઠક પર મળી જીત
અમિત શાહના મતવિસ્તાર માણસામાં ભાજપનો ભવ્ય વિજય
અમિત શાહના મતવિસ્તાર માણસામાં ભાજપનો ભવ્ય વિજય
પાટણની ચાણસ્મા બેઠક પર ભાજપના સસ્પેન્ડ ઉમેદવાર અપક્ષમાંથી જીત્યા
પાટણની ચાણસ્મા બેઠક પર ભાજપના સસ્પેન્ડ ઉમેદવાર અપક્ષમાંથી જીત્યા
જૂનાગઢમાં ભાજપને મોટો ઝટકો, મનપાની ચૂંટણીમાં અપક્ષના ઉમેદવારની જીત
જૂનાગઢમાં ભાજપને મોટો ઝટકો, મનપાની ચૂંટણીમાં અપક્ષના ઉમેદવારની જીત
g clip-path="url(#clip0_868_265)">