વિશ્વ ટીબી દિવસ :​​​​​​​ ગુજરાતમાં દર વર્ષે 1.70 લાખ કેસ અને 1000 દર્દીના મોત

આજે 24 માર્ચના રોજ વર્લ્ડ ટીબી દિવસની ઉજવણી કરવામાં આવે છે. અમદાવાદમાં પાલડીમાં ટાગોર હોલ ખાતે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની હાજરીમાં ટીબીના રોગ અંગેનો કાર્યક્રમનું આયોજન કરાયું છે.

વિશ્વ ટીબી દિવસ :​​​​​​​ ગુજરાતમાં દર વર્ષે 1.70 લાખ કેસ અને 1000 દર્દીના મોત
World TB Day: 1.70 lakh cases and 1000 deaths per year in Gujarat
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 24, 2022 | 12:42 PM

24 માર્ચના રોજ વર્લ્ડ TB ડેની ઉજવણી કરવામાં આવે છે. TBનો રોગ હવે સાધ્ય છે. ભારત અને ગુજરાત સરકાર ટીબી રોગના નાબૂદી માટે પ્રયત્નો કરી રહી છે. દર્દીઓની દવા, ટ્રેકિંગ, સહાય જેવી ઘણી બધી બાબતોનું ધ્યાન રાખવામાં આવે છે. આજે ભારતમાં પણ ટીબીને લગતા આ નેશનલ પ્રોગ્રામને ખાસ્સી સફળતા મળી છે.

TBના ગુજરાતમાં દર વર્ષે 1.70 લાખ કેસ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જણાવ્યા મુજબ, ગુજરાતમાં દર વર્ષે 1.70 લાખ અને અમદાવાદ શહેરમાં દર વર્ષે ટીબીના 18000 કેસ નોંધાય છે, જ્યારે 900થી 1000 લોકો મૃત્યુ પામે છે. ટીબીનાં લક્ષણો ધરાવતો દર્દી જો યોગ્ય સમયે યોગ્ય સારવાર ન લે અથવા જો એનું નિદાન ન થાય તો વર્ષે 10 લોકોને ચેપ લગાવી શકે છે.

આજનું રાશિફળ તારીખ : 27-07-2024
રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે
પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ
સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા
સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો
શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય

અમદાવાદમાં 2021માં સાદા TBના 17,439 દર્દી

એક મીડિયાને આપેલી માહિતીમાં ડો. તેજસ શાહે જણાવ્યું કે વર્ષ 2020 અને 2021માં સાદા TB અને હઠીલા TBના દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. સાદા ટીબીના દર્દીઓમાં મૃત્યુનું પ્રમાણ વધારે જોવા મળ્યું છે. અમદાવાદ શહેરમાં વર્ષ 2021માં સાદા TBના કુલ 17,439 દર્દી નોંધાયા છે અને સાદા TBમાં 965 મૃત્યુ કેસ નોંધાયા છે. જ્યારે હઠીલા TBની વાત કરીએ તો કુલ 801 દર્દી અને 78 મોત થયા છે. અમદાવાદમાં સૌથી વધુ TBના દર્દીઓ અસારવા, રખિયાલ, અમરાઈવાડી, ઘાટલોડિયા, નવાવાડજ અને વેજલપુર-વાસણામાં નોંધાયા છે.

ગત વર્ષે TBના 943 બાળદર્દી, 18નાં મોત

TB હવે બાળકોમાં પણ જોવા મળે છે. વર્ષ 2021માં TBના 943 બાળદર્દી હતા અને 18 બાળદર્દીનાં મોત થયા છે, TBના લક્ષણો અને ટીબીના દર્દીઓ વચ્ચે ફેર છે. મોટા ભાગના લોકોમાં ટીબીનું ઇન્ફેક્શન જોવા મળે છે. અમદાવાદના રાયપુરમાં 800 લોકોનો TB અંગે સર્વે કરાયો હતો, જેમાં 48 ટકા લોકોમાં TBનું ઇન્ફેક્શન જોવા મળ્યું છે.

TBના લક્ષણો

વજનમાં સતત ઘટાડો થવો,શ્વાસ લેવામાં મુશ્કેલી થવી, સમયસર ભૂખ ન લાગવી, લાંબા સમય સુધી ખાંસી આવવી, ખાંસતી વખતે વધારે દુખાવો થવો, ગળફામાં લોહી આવવું, રાત્રે સતત તાવ આવવો, પેટમાં દુખાવો થવો, થૂંકનો રંગ બદલાઇ જવો, હાડકામાં સતત દુખાવો રહેવો.

આ પણ વાંચો : Gold Price Today : દુબઈ અને અમદાવાદમાં 1 તોલા સોનાનો ભાવ શું છે, આજે સોનુ સસ્તું થયું કે મોંઘુ? જાણો અહેવાલ દ્વારા

Latest News Updates

વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">