અપકમિંગ કાર્યક્રમ ‘નામ રહે જાયેગા’ દ્વારા લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે, જુઓ શોનો પ્રોમો

ગજેન્દ્ર સિંહ દ્વારા લખાયેલા અને દિગ્દર્શિત, સાઈબાબા સ્ટુડિયોના અપકમિંગ પ્રોગ્રામ 'નામ રહે જાયેગા' Star Plus ટેલિવિઝન ચેનલ પર આગામી તા.1મેના રોજ સાંજે 7 વાગ્યે પ્રસારિત કરવામાં આવશે, જેના લાખો લોકો સાક્ષી બનવા જઈ રહ્યા છે.

અપકમિંગ કાર્યક્રમ 'નામ રહે જાયેગા' દ્વારા લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે, જુઓ શોનો પ્રોમો
Lata Mangeshkar (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 29, 2022 | 10:50 PM

પ્રખ્યાત ગાયિકા લતા મંગેશકરના (Lata Mangeshkar) ગીતો અને ભાવપૂર્ણ અવાજ આજે કરોડો લોકોના દિલમાં ખાસ સ્થાન ધરાવે છે. તેમને આપણે ‘સંગીતની સંસ્થા’ કહીએ તો પણ તે ખોટું નહીં હોય. લોકપ્રિય સિંગિંગ રિયાલિટી શો ‘વોઈસ ઓફ ઈન્ડિયા’માં (Voice Of India) આઠમા ભાગની શ્રેણી હવે ‘નામ રેહ જાયેગા’ દ્વારા લતા દીદી અને સંગીત પ્રત્યેના તેમના યોગદાનને શ્રદ્ધાંજલિ (Tribute To Lata Didi) આપશે. આ કાર્યક્રમમાં પ્યારેલાલ, સોનુ નિગમ, અરિજિત સિંહ, શંકર મહાદેવન, નીતિન મુકેશ, નીતિ મોહન, અલકા યાજ્ઞિક, સાધના સરગમ, ઉદિત નારાયણ, સહિત 18 જાણીતા ગાયકો, ‘નાઈટીંગેલ ઓફ ઈન્ડિયા’નું સન્માન કરશે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
View this post on Instagram

A post shared by StarPlus (@starplus)

લતા મંગેશકરને અપાશે ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ

આ વિશે જાવેદ અલી કહે છે, “લતા દીદીએ અમને પ્રસાદ તરીકે જે કંઈ પણ આપ્યું છે, તેને હું આશીર્વાદ માનું છું. મેં અને મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં બધાએ તેમની પાસેથી ઘણું શીખ્યું છે. દરેક વ્યક્તિ જે સંગીતને પ્રેમ કરે છે તે લતા મંગેશકરજીને પ્રેમ કરે છે અને હું તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે સન્માનની લાગણી અનુભવું છું.

આ શોનો પ્રોમો અહીંયા જુઓ

View this post on Instagram

A post shared by StarPlus (@starplus)

નીતિન મુકેશ યાદ કરે છે કે, તેની લતા દીદી સાથે કેવી મુસાફરી રહી હતી અને કેટલીક યાદો શેર કરતા કહ્યું છે કે, “મારી લતા મંગેશકરજી સાથે જીવનભરની યાદો છે અને હું તેમને ખૂબ પ્રેમ કરતો હતો. મારા જન્મ પહેલા તે મારા પિતાને ઓળખતી હતી. મેં તેમની સાથે પ્રવાસ કર્યો છે, તેમની પાસેથી ઘણું શીખ્યું છે. તેમનો અવાજ હંમેશા ભગવાનનો દૈવી આશીર્વાદ બની રહેશે અને ‘નામ રહે જાયેગા’નો ભાગ બનવું મારા માટે સન્માનની વાત છે. સંગીત લતા મંગેશકરથી શરૂ થાય છે અને તેમની સાથે સમાપ્ત થાય છે અને કારણ કે સંગીત અમર છે, તેથી લતાજી પણ અમર છે.”

ગાયિકા સાધના સરગમ તેની લાગણીઓ વ્યક્ત કરતા કહે છે કે, “એવું લાગે છે કે જીવન મારા માટે સંપૂર્ણ વર્તુળમાં આવી ગયું છે. મધ્યપ્રદેશ સરકારે મને ‘લતા મંગેશકર એવોર્ડ’થી સન્માનિત કરી છે અને હવે હું તેમને શ્રદ્ધાંજલિ આપવા અહીંયા આવી રહી છું. તેઓ ભારતના અત્યાર સુધીના સૌથી મહાન ગાયક છે.”

Latest News Updates

આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
g clip-path="url(#clip0_868_265)">