AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lata Mangeshkar Award: પ્રથમ લતા મંગેશકર સન્માન વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નામે, મંગેશકર પરિવારે કરી જાહેરાત

મંગેશકર પરિવાર માટે આવનારી 24 એપ્રિલ ખૂબ જ ખાસ બનવાની છે કારણ કે આ વખતે તેઓએ એક ખાસ એવોર્ડ શરૂ કર્યો છે. આ એવોર્ડ સ્વર્ગસ્થ ગાયિકા લતા મંગેશકરના(Lata Mangeshkar ) નામે આપવામાં આવશે.

Lata Mangeshkar Award: પ્રથમ લતા મંગેશકર સન્માન વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નામે, મંગેશકર પરિવારે કરી જાહેરાત
PM modi will get lata mangeshkar award
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 12, 2022 | 7:06 AM
Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને (PM Narendra Modi) પ્રથમ લતા દીનાનાથ મંગેશકર એવોર્ડથી (Lata Mangeshkar)સન્માનિત કરવામાં આવશે. મંગેશકર પરિવારે સોમવારે આ જાહેરાત કરી હતી. તમને જણાવી દઈએ કે, લતા મંગેશકરના પિતા માસ્ટર દીનાનાથ મંગેશકરની 80મી પુણ્યતિથિ પર 24 એપ્રિલે વડાપ્રધાનને લતા દીનાનાથ મંગેશકર એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. મંગેશકર પરિવાર અને માસ્ટર દીનાનાથ મંગેશકર સ્મૃતિ પ્રતિષ્ઠાન ચેરીટેબલ ટ્રસ્ટે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેઓએ ફેબ્રુઆરીમાં 92 વર્ષની વયે અવસાન પામેલા લતા મંગેશકરના સન્માન અને સ્મૃતિમાં (Lata Mangeshkar Award) આ વર્ષથી આ પુરસ્કાર આપવાનું નક્કી કર્યું છે.

લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ

મંગેશકર પરિવાર કહ્યું કે,આ વર્ષે ગુરુ દીનાનાથ જીનો 80મો સ્મૃતિ દિવસ છે અને તે અવસર પર અમે પ્રથમ વખત “લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ” એનાયત કરીશું. આ પુરસ્કાર દર વર્ષે ફક્ત એક જ વ્યક્તિને આપવામાં આવશે જેણે આપણા રાષ્ટ્ર, લોકો અને આપણા સમાજ માટે અગ્રણી, પ્રસિદ્ધ અને અનુકરણીય યોગદાન આપ્યું હોય.

જાણો મંગેશકર પરિવારનું શું કહેવું છે ?

મંગેશકર પરિવારે (Mangeshkar Family)જણાવ્યું હતું કે અમને એ જાહેર કરતાં આનંદ થાય છે કે આ એવોર્ડના પ્રથમ વિજેતા અન્ય કોઈ નહીં પણ ભારતના માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે. તે આપણા સૌથી માનનીય નેતા છે; તેઓ એક આંતરરાષ્ટ્રીય રાજકારણી છે જેમણે ભારતને વૈશ્વિક નેતૃત્વના માર્ગ પર મૂક્યું છે. આપણા પ્રિય રાષ્ટ્રમાં દરેક પાસાઓ અને પરિમાણમાં જે અદ્ભુત પ્રગતિ થઈ રહી છે તે તેમનાથી પ્રેરિત છે. આ એવોર્ડ સ્વીકારવા બદલ અમારો પરિવાર અને ટ્રસ્ટ વડાપ્રધાન મોદીનો આભાર માને છે.

24 એપ્રિલે એવોર્ડ સમારોહ યોજાશે

ઉલ્લેખનીય છે કે, માસ્ટર દીનાનાથ મંગેશકર સ્મૃતિ પ્રતિષ્ઠાન, એક સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ છે, જે છેલ્લા બત્રીસ (32) વર્ષથી મંગેશકર પરિવાર દ્વારા ચલાવવામાં આવે છે. આ અંતર્ગત સંગીત, નાટક, કલા, તબીબી વ્યાવસાયિકો અને સામાજિક કાર્ય ક્ષેત્રના દિગ્ગજોનું સન્માન કરવામાં આવે છે. આ કાર્યક્રમ દર વર્ષે 24 એપ્રિલ એટલે કે માસ્ટર દીનાનાથજીના સ્મૃતિ દિવસના રોજ આયોજિત કરવામાં આવે છે. સુશ્રી ઉષા મંગેશકર સમારોહની અધ્યક્ષતા કરશે અને એવોર્ડ વિજેતાઓને તેમના હસ્તે એવોર્ડ આપવામાં આવશે.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો : Mahatma Phule Biopic First Look : કોણ હતા મહાત્મા ફુલે, જેની બાયોપિકમાં પ્રતિક ગાંધી અને પત્રલેખા જોવા મળશે

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">