AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ટીવી પર પરત ફરશે રામ, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો ‘રામાયણ’

રામાનંદ સાગરની 'રામાયણ'ને હંમેશા દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો છે. હવે ફરી એકવાર તે ટેલિવિઝન પર ટેલિકાસ્ટ થવા જઈ રહી છે. આ સમાચારની ઓફિશિયલ જાહેરાત થતાં જ દર્શકોમાં ઉત્સુકતા ઘણી વધી ગઈ છે.

ટીવી પર પરત ફરશે રામ, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો 'રામાયણ'
Ramayan
Nancy Nayak
| Edited By: | Updated on: Feb 11, 2024 | 1:42 PM
Share

રામાનંદ સાગરનો ટીવી શો ‘રામાયણ’ જ્યારે 1987માં ટીવી પર પહેલીવાર ટેલિકાસ્ટ કરવામાં આવ્યો ત્યારે એવું લાગતું હતું કે જાણે ભગવાન શ્રી રામ સ્વયં દરેક ઘરમાં આવ્યા હોય. આ શો જોવા માટે દર્શકો ચપ્પલ ઉતારીને માથું ઢાંકીને ટીવી સામે હાથ જોડીને બેસી જતા હતા. આ પછી પણ ભારતીય ટેલિવિઝન પર ઘણી વખત રામાયણને રજૂ કરવામાં આવી હતી, પરંતુ અન્ય કોઈ શો તેટલો પ્રેમ મેળવી શક્યો ન હતો. કદાચ રામાનંદ સાગર અને શોની ટીમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય કે વર્ષો પછી પણ લોકો તેને આટલો પ્રેમ કરશે. આ પ્રેમનું પરિણામ છે કે હવે ફરી એકવાર આ ‘રામાયણ’ ટીવી પર ટેલિકાસ્ટ થવા જઈ રહ્યો છે.

દૂરદર્શને કરી જાહેરાત

‘રામાયણ’ દૂરદર્શન ચેનલ પર રજૂ થવા જઈ રહી છે. ઓફિશિયલ રીતે આ જાણકારી આપતા ટીવી ચેનલે તેના સોશિયલ મીડિયા પેજ પર આની જાહેરાત કરી છે.

દૂરદર્શને તેના ઈન્સ્ટાગ્રામ પેજ પર શોના પોસ્ટરની સાથે કેપ્શનમાં લખ્યું છે, ‘ધર્મ, પ્રેમ અને સમર્પણની અદ્વિતિય ગાથા… ફરી એકવાર સમગ્ર ભારતનો સૌથી લોકપ્રિય શો ‘રામાયણ’ આવી રહ્યો છે, તેને ટૂંક સમયમાં જુઓ. ડીડી નેશનલ પર.’હાલમાં તેના ટેલિકાસ્ટની ડેટ જાહેર કરવામાં આવી નથી.

આજે પણ મળે છે કલાકારોને પ્રેમ

રામાનંદ સાગરની ‘રામાયણ’માં અરુણ ગોવિલે ભગવાન શ્રી રામનો રોલ કર્યો હતો, દીપિકા ચિખલિયાએ માતા સીતાનો રોલ કર્યો હતો, સુનિલ લહેરીએ લક્ષ્મણનો રોલ કર્યો હતો અને દારા સિંહે હનુમાનનો રોલ કર્યો હતો. દરેક ઘરમાં દર્શકોએ તેમને એટલો પ્રેમ આપ્યો કે આજે પણ લોકો આ કલાકારોને રામાયણના પાત્રોના નામથી જ ઓળખે છે. અરુણ ગોવિલ અને દીપિકા ચિખલિયાની ઈમેજ આજ સુધી શ્રી રામ અને માતા સીતાની છે. આ પૌરાણિક શોની વાતો આજે પણ ઘણીવાર સાંભળવા મળે છે.

દર્શકો માટે ભેટ છે આ શો

અયોધ્યામાં રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે. આવામાં આખો દેશ આ સમયે ઘણો ખુશ જોવા મળી રહ્યો છે. આ સમયમાં રામાનંદ સાગરની ‘રામાયણ’નું ટેલિકાસ્ટ દર્શકો માટે કોઈ ભેટથી ઓછું નથી. આ જ કારણ છે કે આ શો માટે દર્શકોમાં જોરદાર ઉત્સુકતા છે.

આ પણ વાંચો: અક્ષય કુમાર નહીં, બોની કપૂરની કંપની બનાવશે ઉત્તર પ્રદેશમાં ફિલ્મ સિટી, જીતી બિડ

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
અમરેલી: સિંહોના સંવર્ધન કેન્દ્રમાં માઈનિંગનો વિરોધ
અમરેલી: સિંહોના સંવર્ધન કેન્દ્રમાં માઈનિંગનો વિરોધ
રાજકોટમાં બુલડોઝર એક્શન: ભીમનગરમાં 33 ગેરકાયદે બાંધકામો જમીનદોસ્ત
રાજકોટમાં બુલડોઝર એક્શન: ભીમનગરમાં 33 ગેરકાયદે બાંધકામો જમીનદોસ્ત
ગુજરાતમાં ચોમાસુ 8 દિવસ મોડું, સામાન્ય કરતાં ઓછો વરસાદ રહેશે
ગુજરાતમાં ચોમાસુ 8 દિવસ મોડું, સામાન્ય કરતાં ઓછો વરસાદ રહેશે
ગુજરાત કોંગ્રેસમાં મોટા ફેરફારના સંકેત: હાર બાદ પ્રદેશ નેતાઓ દિલ્હી...
ગુજરાત કોંગ્રેસમાં મોટા ફેરફારના સંકેત: હાર બાદ પ્રદેશ નેતાઓ દિલ્હી...
હજુ ત્રણ દિવસ રહેશે તાપનુ ટોર્ચર, 41 થી 45 ડિગ્રી તાપમાન રહેવાની વકી
હજુ ત્રણ દિવસ રહેશે તાપનુ ટોર્ચર, 41 થી 45 ડિગ્રી તાપમાન રહેવાની વકી
વેરાવળ ડમ્પિંગ સાઈટ પર ત્રણ દિવસથી લાગેલી આગને કારણે ચારે તરફ ધુમાડો
વેરાવળ ડમ્પિંગ સાઈટ પર ત્રણ દિવસથી લાગેલી આગને કારણે ચારે તરફ ધુમાડો
PM મોદીની અપીલ બાદ મુંબઈના પરિવારે છોડી લક્ઝરી કાર! જુઓ Video
PM મોદીની અપીલ બાદ મુંબઈના પરિવારે છોડી લક્ઝરી કાર! જુઓ Video
Breaking News: કાકરાપાર ડેમમાં દુર્ઘટના, 4 યુવકો પાણીમાં ગરકાવ
Breaking News: કાકરાપાર ડેમમાં દુર્ઘટના, 4 યુવકો પાણીમાં ગરકાવ
NEET 2026 પરીક્ષા રદ 23 લાખ વિદ્યાર્થીઓને ફરી આપવી પડશે એક્ઝામ
NEET 2026 પરીક્ષા રદ 23 લાખ વિદ્યાર્થીઓને ફરી આપવી પડશે એક્ઝામ
બહેન દીકરીઓની સુરક્ષા માટે DJ બંધ કરવું ખૂબ જરૂરી છે
બહેન દીકરીઓની સુરક્ષા માટે DJ બંધ કરવું ખૂબ જરૂરી છે
g clip-path="url(#clip0_868_265)">