ફેને કાજોલને પૂછ્યું: ‘અજય ન હોત તો શાહરૂખ સાથે લગ્ન કરી લેત?’, અભિનેત્રીએ આપ્યો રસપ્રદ જવાબ

કાજોલે તેના ઇન્સ્ટામાં એક સ્ટોરી પોસ્ટ કરી હતી. જેમાં લખ્યું હતું "આસ્ક મી સમથિંગ". જેમાં એક ફેને કાજોલને શાહરૂખ સાથે ના લગ્નને લઈને સવાલ કર્યો હતો. જાણો વિગતવાર.

ફેને કાજોલને પૂછ્યું: 'અજય ન હોત તો શાહરૂખ સાથે લગ્ન કરી લેત?', અભિનેત્રીએ આપ્યો રસપ્રદ જવાબ
કાજોલ-શાહરુખ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 22, 2021 | 1:37 PM

બોલીવુડમાં ફિલ્મો સાથે ઘણી જોડીઓ પણ હીટ થઇ જતી હોય છે. ઘણી વાર જોવામાં આવ્યું છે કે ફિલ્મી જોડીના કલાકારોની હકીકતની જોડી કરતા પણ દર્શકોને વધુ પસંદ આવતી હોય છે. મહાનાયક અમિતાભ-રેખા, ઋષિ – નીતૂ, ધર્મેન્દ્ર અને હેમા માલિનીની જોડી પણ એવી પ્રખ્યાત હતી. જોકે આ જોડીઓમાં કેટલાકે રિયલ લાઈફમાં પણ સબંધ બાંધ્ય તો કેટલાકના સબંધ માત્ર પરદા પર રહી ગયા. આવી જ એક જોડી છે કાજોલ શાહરૂખની.

ફિલ્મોમાં સુપર હીટ આ જોડી વિશે ઘણી ચર્ચાઓ થતી હોય છે. ફિલ્મ ‘દિલ વાલે દુલ્હનિયા લે જાયેંગે’ હોય કે ‘ફિલ્મ કુછ કુછ હોતા હૈ’ જ્યારે પણ આ બંને સાથે આવ્યા છે ત્યારે ત્યારે દર્શકોએ તેમને વધાવી લીધા છે. તેમજ રિયલ લાઈફમાં શાહરૂખે ગૌરી સાથે લગ્ન કર્યા છે તો કાજોલે અભિનેતા અજય દેવગણ સાથે લગ્ન કર્યા છે. બંને કપલ રિયલ લાઈફમાં ઘણું ખુશ છે.

તાજેતરમાં કાજોલે તેના ઇન્સ્ટામાં એક સ્ટોરી પોસ્ટ કરી હતી. જેમાં લખ્યું હતું “આસ્ક મી સમથિંગ”. આ બાદ લોકોએ તેમને ખુબ સવાલ પૂછ્યા હતા. આ સવાલોની વચ્ચે અમુક એવા સવાલ હતા જેને લઈને ચર્ચાઓ જન્મી. જીહાં એક ફેનએ પૂછ્યું કે જો અજય દેવગણના હોત તો શું તેઓ શાહરૂખ સાથે લગ્ન કરી લેત? આ સવાલ પર કાજોલે એવો જવાબ આપ્યો કે લોકોએ જવાબ વાયરલ કરી દીધો.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

આ પ્રશ્નના જવાબમાં અભિનેત્રીએ કહ્યું, ‘શું તે માણસે પ્રપોઝ ન કરવું જોઈએ?’ હવે કાજોલના આ જવાબ સાથે સોશિયલ મીડિયા પર હલચલ શરૂ થઈ ગઈ છે. કાજોલના આ જવાબ પર બધા ચાહકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. કાજોલ ખુબ રમુજી સ્વભાવની છે અને તેને આ સવાલમાં કહ્યું કે જો અજય ના હોત તો પણ શાહરૂખે પ્રપોઝ તો કરવું જ પડે.

કાજોલ હંમેશાં તેના આવા જવાબોથી લોકોને આશ્ચર્યચકિત કરે છે. તમને જણાવી દઈએ કે ઘણા ઇન્ટરવ્યુમાં, કાજોલે કહ્યું છે કે શાહરૂખ ખાન તેનો શ્રેષ્ઠ મિત્ર છે અને શાહરૂખ એકમાત્ર એવી વ્યક્તિ છે કે જેને તેના ગાલ ખેંચવાનો અધિકાર છે.

આ પણ વાંચો: Amrish Puri Birth Anniversary: બે દાયકા સુધી વીમા એજન્ટ તરીકે નોકરી કરવી પડી હતી ‘મોગેમ્બો’ને

આ પણ વાંચો: દરજીની એક ભૂલ બની ગઈ ફેશન, અમિતાભ બચ્ચને જણાવ્યો ફિલ્મ દીવારનો રોચક કિસ્સો

Latest News Updates

મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
g clip-path="url(#clip0_868_265)">