AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સ્વતંત્રતા દિવસ પર સૌથી ‘મોટો ક્લેશ’… દેશભક્તિનો રંગ કે મહોબ્બતનું દર્દ ? આ 15 ઓગસ્ટે તમે કોને પસંદ કરશો?

બોક્સ ઓફિસ પર ફિલ્મોની ટક્કર થવી એ તો સામાન્ય વાત છે પણ જ્યારે બોલિવૂડના બે દિગ્ગજ કલાકારો આમને-સામને હોય ત્યારે રોમાંચ બમણો થઈ જાય છે. આ વર્ષે સ્વતંત્રતા દિવસ (15 ઓગસ્ટ) ના વીકેન્ડ પર સિનેમાઘરોમાં આવો જ એક મોટો ધમાકો થવા જઈ રહ્યો છે.

સ્વતંત્રતા દિવસ પર સૌથી 'મોટો ક્લેશ'... દેશભક્તિનો રંગ કે મહોબ્બતનું દર્દ ? આ 15 ઓગસ્ટે તમે કોને પસંદ કરશો?
| Updated on: Jul 03, 2026 | 3:53 PM
Share

બોક્સ ઓફિસ પર ફિલ્મોની ટક્કર (ક્લેશ) થવી એ સામાન્ય વાત છે. આજકાલ તો અવારનવાર એક-બે નહીં પરંતુ 3-4 ફિલ્મ એકસાથે રિલીઝ થવા લાગી છે. બસ આના કારણે ઘણી વખત મેકર્સને નુકસાન થાય છે, તો ઘણી વખત ફાયદો પણ થઈ જાય છે.

એવામાં આ સ્વતંત્રતા દિવસ 2026 પર બોક્સ ઓફિસ પર ધમાકો થવાનો છે, જેમાં બે મોટી ફિલ્મોની ટક્કર થવી નક્કી છે. આમાં સની દેઓલ અને ઈમરાન હાશ્મી વચ્ચે જોરદાર ટક્કર જોવા મળવાની છે.

ઈમરાન હાશ્મીનો ફરી જોવા મળશે ‘રોમેન્ટિક અંદાજ’

ઈમરાન હાશ્મીની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘Awarapan 2’ આજકાલ ખૂબ જ ચર્ચામાં છે. આ ફિલ્મ ‘Awarapan’ ની સિક્વલ છે, જે વર્ષ 2007માં રિલીઝ થઈ હતી. એવામાં હવે આ સિક્વલે ફેન્સની ઉત્સુકતા વધારી દીધી છે.

આ ફિલ્મ 14 ઓગસ્ટ, 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આમાં ઈમરાન હાશ્મીની સાથે એક્ટ્રેસ દિશા પાટની જોડી જમાવતી જોવા મળશે. આ સાથે જ ‘શબાના આઝમી’ પણ મહત્વની ભૂમિકામાં હશે.

સની દેઓલની ‘Batwara 1947’ નો પણ છે ‘દબદબો’

આ સાથે જ સની દેઓલ એકવાર ફરી ધમાકો કરવા આવી રહ્યા છે. તેઓ ફિલ્મ ‘Batwara 1947’ ની રિલીઝને લઈને ચર્ચામાં છે. ‘ગદર 2’, ‘બોર્ડર 2’ અને ‘જાટ’ પછી સની દેઓલની આ મોસ્ટ અવેટેડ ફિલ્મ છે, જેની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ એક એક્શન ડ્રામા ફિલ્મ છે, જે 14 ઓગસ્ટ, 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવશે.

‘Batwara 1947’  Vs ‘Awarapan 2’ માં ‘ટક્કર’

ટૂંકમાં, આ 15 ઓગસ્ટ 2026ના વીકેન્ડમાં ‘Awarapan 2’ અને ‘Batwara 1947’ આમને-સામને હશે. ઈમરાન હાશ્મીની ફિલ્મ માટે પ્લસ પોઈન્ટ એ માનવામાં આવી રહ્યો છે કે, આ એક સિક્વલ છે અને આ મૂવીને પહેલાથી જ કલ્ટ સ્ટેટસ મળેલું છે. ઉપરથી આ એક મ્યુઝિકલ રોમેન્ટિક ડ્રામા ફિલ્મ છે.

આ જોનર (Genre)ની ફિલ્મોને દર્શકો તરફથી સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે. ‘આવારાપન 2’ ને લઈને માનવામાં આવી રહ્યું છે કે, તે ‘સૈયારા’ (22 કરોડ ઓપનિંગ ડે) ને પણ પાછળ છોડી શકે છે. ટ્રેડ એક્સપર્ટ્સના મતે, આ ફિલ્મ ઓપનિંગ ડે પર 25 કરોડનો બિઝનેસ કરી શકે છે.

બીજી તરફ, સની દેઓલની ફિલ્મ ‘Batwara 1947’ માટે પણ લોકોમાં ભારે ઉત્સાહ છે. આ ફિલ્મ ભારત-પાકિસ્તાનના ભાગલા સમયની વાર્તા પર આધારિત છે. આ પહેલાં પણ સની દેઓલની આવી જ ભાગલાવાળી મૂવી ‘Gadar’ ને દર્શકોએ ખૂબ પ્રેમ આપ્યો હતો.

Breaking News : સલમાન ખાન ફાયરિંગ કેસમાં સરેન્ડર કરવા માંગે છે આરોપી અનમોલ બિશ્નોઈ

Follow Us
સુરતમાં માછીમાર સમાજે તાપી નદીની વચ્ચોવચ્ચ વિઘ્નહર્તાનું કર્યુ સ્થાપન
સુરતમાં માછીમાર સમાજે તાપી નદીની વચ્ચોવચ્ચ વિઘ્નહર્તાનું કર્યુ સ્થાપન
ગાંધીનગર IIIT કેમ્પસમાં વિદ્યાર્થીઓનો સુરક્ષા મુદ્દે વિરોધ
ગાંધીનગર IIIT કેમ્પસમાં વિદ્યાર્થીઓનો સુરક્ષા મુદ્દે વિરોધ
વડોદરામાં અઢી ઈંચ વરસાદમાં ₹4 કરોડના ખર્ચે રિપેર કરેલો રોડ ધોવાયો
વડોદરામાં અઢી ઈંચ વરસાદમાં ₹4 કરોડના ખર્ચે રિપેર કરેલો રોડ ધોવાયો
રાજકોટમાં છ દિવસનો પાણીકાપ, નર્મદા પાઇપલાઇન મેન્ટેનન્સને કારણે અસર
રાજકોટમાં છ દિવસનો પાણીકાપ, નર્મદા પાઇપલાઇન મેન્ટેનન્સને કારણે અસર
વડનગરથી વારાણસી બાઇક યાત્રા: અમિત શાહ કરાવશે પ્રસ્થાન
વડનગરથી વારાણસી બાઇક યાત્રા: અમિત શાહ કરાવશે પ્રસ્થાન
બનાસકાંઠામાં વાહનચાલકોની મુશ્કેલી વધી, IRM ના 65 CNG પંપ બંધ
બનાસકાંઠામાં વાહનચાલકોની મુશ્કેલી વધી, IRM ના 65 CNG પંપ બંધ
ભુજમાં ચાલુ વરસાદ વચ્ચે ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે ભભૂકી આગ-VIDEO
ભુજમાં ચાલુ વરસાદ વચ્ચે ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે ભભૂકી આગ-VIDEO
ગીર સોમનાથના ઉનામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, ઘરોમાં ઘૂસ્યા પાણી
ગીર સોમનાથના ઉનામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Breaking News : 19 સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા
Breaking News : 19 સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા
ઈસ્કોન બ્રિજ પર એવો અકસ્માત સર્જાયો કે કારની એરબેગ ખુલી ગઇ, જુઓ Video
ઈસ્કોન બ્રિજ પર એવો અકસ્માત સર્જાયો કે કારની એરબેગ ખુલી ગઇ, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">