Shraddha murder Case: શું સિનેમા આપી રહ્યું છે ક્રાઈમનો આઈડિયા? આ ફિલ્મોને જોઈને લોકોએ આપ્યા મર્ડરને અંજામ

|

Nov 21, 2022 | 1:36 PM

Shraddha murder Case : આપણા દેશમાં ગુના પર આધારિત ઘણી ફિલ્મો બની છે. તેમાં હિન્દી ફિલ્મ દ્રશ્યમનો પણ સમાવેશ થાય છે, જેની સિક્વલ તાજેતરમાં રિલીઝ થઈ છે.

Shraddha murder Case: શું સિનેમા આપી રહ્યું છે ક્રાઈમનો આઈડિયા? આ ફિલ્મોને જોઈને લોકોએ આપ્યા મર્ડરને અંજામ
Shraddha Murder Case

Follow us on

સિનેમાની સમાજ પર ઊંડી અસર પડે છે, ક્યારેક આ અસર સારી હોય છે તો ક્યારેક ખરાબ. દિલ્હીમાં એક વ્યક્તિએ તેના લિવ-ઈન પાર્ટનરની હત્યા કરીને તેના શરીરના ટુકડા કરી નાખ્યાનો કિસ્સો ગયા અઠવાડિયે પ્રકાશમાં આવ્યો છે. 27 વર્ષીય શ્રદ્ધા વોકરની હત્યાના આરોપી આફતાબ પૂનાવાલા (29)એ દાવો કર્યો છે કે, તેણે અમેરિકન ટેલીવિઝન શ્રેણી ‘ડેક્સટર’ જોઈને હત્યા કરીને મૃતદેહના ટુકડા કરવાનું શીખ્યો હતો.

ભારતમાં ક્રાઈમ આધારિત ફિલ્મો પણ બની છે. તેમાં હિન્દી ફિલ્મ દ્રશ્યમનો પણ સમાવેશ થાય છે, જેની સિક્વલ તાજેતરમાં રિલીઝ થઈ છે. બીજી તરફ ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં પોલીસે ચાર વર્ષ જૂની ગુનાહિત ઘટનાનો પર્દાફાશ કર્યો છે. એક યુવતીએ જણાવ્યું કે, કેવી રીતે તેની માતાએ તેના પિતાની હત્યા કરી લાશને ઘરમાં જ દાટી દીધી. આવી જ એક ઘટના દ્રશ્યમ ફિલ્મમાં પણ બતાવવામાં આવી છે.

આવા લોકો ફિલ્મોથી હોય છે પ્રભાવિત

લોક નાયક જયપ્રકાશ નારાયણ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ક્રિમિનોલોજી એન્ડ ફોરેન્સિક સાયન્સ ખાતે ક્રિમિનોલોજીના પ્રોફેસર બી. શેખરે કહ્યું કે, સંશોધન મુજબ જે લોકો હિંસા પ્રત્યે સંવેદનશીલ હોય છે, તેઓ ફિલ્મોથી પ્રભાવિત થાય છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

પૂનાવાલાની કથિત રીતે ફાંસીની ઘટના સામે આવી ત્યારે આખો દેશ ચોંકી ગયો હતો. પૂનાવાલાએ છ મહિના સુધી ધરપકડથી બચતો રહ્યો, પરંતુ ગયા શનિવારે તેની ધરપકડ કરવામાં આવી હતી. દિલ્હી પોલીસના અધિકારીઓના જણાવ્યા અનુસાર, પૂનાવાલાને તેના લગ્નના વિષય પર વોકર સાથે ઝઘડો થયો હતો અને તેના શરીરના ટુકડા કરવાનો વિચાર આરોપીને ડેક્સટર તરફથી આવ્યો હતો. આ સીરીઝ સીરીયલ કિલર પર ફોકસ કરે છે.

ગુનાહિત ઘટનાઓને અંજામ આપવા માટે લોકો ફિલ્મોમાંથી આઈડિયા લેવાનો વિચાર નવો નથી, પરંતુ જે ક્રૂરતા અને ષડયંત્ર દ્વારા હત્યા કરવામાં આવી હતી તેણે સમગ્ર દેશને ચોંકાવી દીધો છે. વોકરની હત્યા તાજેતરની ઘટના છે, પરંતુ આ પહેલા પણ આવી ઘણી ઘટનાઓ બની છે, જેના માટે લોકોએ ફિલ્મોમાંથી આઈડિયા લીધા હતા.

શું હત્યારો આ અમિતાભ બચ્ચનની ફિલ્મથી પ્રેરિત હતો?

ફિલ્મ ઇતિસકાર એસએમએમ ઔસજા કહે છે કે, 1971માં અમિતાભ બચ્ચન સ્ટારર ફિલ્મ પરવાના આવી હતી. જેમાં બચ્ચન દ્વારા ભજવાયેલું પાત્ર પહેલા પ્રેમી જ રહે છે, પરંતુ બાદમાં ખૂની બની જાય છે. તેણે કહ્યું કે, આ ફિલ્મમાં આ પાત્ર ઓમ પ્રકાશને ચાલતી ટ્રેનમાં મારી નાખે છે અને આ આખો સીન વાસ્તવિક જીવનમાં એક વ્યક્તિએ અંજામ આપ્યો હતો.

ઔસજાએ કહ્યું કે, તે સમયે ફિલ્મ જોયા બાદ આ જ રીતે હત્યા કરવામાં આવી હતી. આને લઈને ઘણો વિવાદ થયો હતો અને ઘણા લોકોએ ફિલ્મ પર પ્રતિબંધની માંગ કરી હતી.

ડિસેમ્બર 2010માં ઉત્તરાખંડના દેહરાદૂનમાં, એક વ્યક્તિએ તેની પત્નીની હત્યા કરી અને તેના શરીરના 70થી વધુ ટુકડા કરી નાખ્યા. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી ઓસ્કાર વિજેતા ફિલ્મ ધ સાયલન્સ ઓફ ધ લેમ્બ્સથી પ્રભાવિત હતો. ફિલ્મમાં અભિનેતા એન્થોની હોપકિન્સને નરભક્ષી સીરીયલ કિલરની ભૂમિકામાં બતાવવામાં આવ્યો છે.

“સિનેમાને દોષ આપવાનું ખોટું છે”

ક્રિમિનોલોજિસ્ટ શેખરે જણાવ્યું હતું કે, ટીવી કાર્યક્રમો અને ફિલ્મોમાં હત્યા અને અંગછેદનના ભાગને ખૂબ જ હળવા અને સરળ રીતે બતાવવામાં આવે છે. લૂંટની ઘટનાઓ પર આધારિત ઘણી ફિલ્મો છે. ICICI બેંકના અધિકારીએ ગયા મહિને પુણેની એક બેંકમાંથી 34 કરોડ રૂપિયાની લૂંટ કરી હતી. એવો આરોપ છે કે તે સ્પેનિશ શ્રેણી મની હેઇસ્ટથી પ્રભાવિત હતો.

જો કે, ઔસજાએ કહ્યું કે, સમાજમાં બનતી ગુનાહિત ઘટનાઓ માટે સિનેમાને જવાબદાર ઠેરવવું ખોટું છે. તેમણે કહ્યું, તમારે સિનેમા, સાહિત્ય અને કલામાંથી સકારાત્મક બાબતો શીખવી જોઈએ. તેમના મતે, ફક્ત એક બીમાર અને અસામાન્ય વ્યક્તિ જ નકારાત્મક વસ્તુઓ શીખી શકે છે અને તેને વાસ્તવિક જીવનમાં અજમાવી શકે છે અને આ માટે ફિલ્મોને દોષ આપવો યોગ્ય નથી.

દ્રશ્યમ મૂળ મલયાલમમાં 2013માં બનાવવામાં આવી હતી. એક કરતાં વધુ ઘટનાઓને અંજામ આપવા માટે લોકોને પ્રભાવિત કર્યા હોવાનું જણાય છે. વર્ષ 2013માં કેરળમાં એક વ્યક્તિએ ઝઘડા પછી તેના ભાઈની હત્યા કરી અને પછી તેની માતા અને પત્નીની મદદથી તેના મૃતદેહને ઘરના પાછળના ભાગમાં દાટી દીધો. દ્રશ્યમ બોક્સ ઓફિસ પર સફળ ફિલ્મ સાબિત થઈ અને તેની તેલુગુ, તમિલ અને હિન્દીમાં રિમેક બનાવવામાં આવી છે.

ફિલ્મમાં પોઝિટિવ પાત્રો પણ હોય છે, તેમાંથી શીખો-અભિષેક પાઠક

હિન્દીમાં દ્રશ્યમ 2 આ શુક્રવારે રિલીઝ થઈ રહી છે. આમાં એક્ટર અજય દેવગન લીડ રોલમાં છે. તેના દિગ્દર્શક અભિષેક પાઠકે કહ્યું કે, તે દુર્ભાગ્યપૂર્ણ છે કે લોકો ગુનાહિત ઘટનાઓ પર આધારિત આવી ફિલ્મોથી પ્રભાવિત થાય છે અને ભયાનક ઘટનાઓને અંજામ આપે છે.

પાઠકે કહ્યું કે, ગુનાહિત ઘટનાઓ પર આધારિત ફિલ્મો તમને સાહસિક અનુભવ કરાવે છે. ફિલ્મમાં જે કંઈ પણ હોય તેનાથી પ્રભાવિત ન થવું જોઈએ. બીજી ફિલ્મો પણ છે, જેને આપણે પ્રેરણા આપવા માટે બનાવીએ છીએ અને તેને ઉદાહરણ તરીકે લેવી જોઈએ.

આગળ તેણે કહ્યું કે, આવી હિંસક ઘટનાઓ માટે મનોરંજન જગતને દોષી ઠેરવવું યોગ્ય નથી અને ગુનેગાર પોતાની રીતે વસ્તુઓ અપનાવી લે છે. વધુમાં કહ્યું કે, ફિલ્મમાં સીબીઆઈ ઓફિસર પણ છે. શા માટે લોકો તેમની પાસેથી શીખ્યા નહીં કે તે વસ્તુઓ કેવી રીતે શોધે છે? તમારે પસંદગીયુક્ત વલણ ન રાખવું જોઈએ.

(PTI ઇનપુટ સાથે)
Next Article