AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Karan Joharએ તેમની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘તખ્ત’ વિશે કર્યો મોટો ખુલાસો, જાણો ક્યારે થશે રિલીઝ

આ ફિલ્મ વિશે એવી અફવાઓ પણ હતી કે આ ફિલ્મ હવે મુલતવી રાખવામાં આવી છે, પરંતુ હવે કરણ જોહરે (Karan Johar) તેની ફિલ્મ વિશે મોટી જાહેરાત કરી છે. કરણ જોહરે ખુલાસો કર્યો છે કે આ ફિલ્મ તેના દિલની ખૂબ નજીક છે.

Karan Joharએ તેમની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'તખ્ત' વિશે કર્યો મોટો ખુલાસો, જાણો ક્યારે થશે રિલીઝ
Karan Johar
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 21, 2021 | 11:53 PM
Share

બોલિવૂડના પ્રખ્યાત નિર્માતા-દિગ્દર્શક કરણ જોહર (Karan Johar)ની બહુપ્રતિક્ષિત ફિલ્મ તખ્ત (Takht)ની જાહેરાત થયાને બે વર્ષ થઈ ગયા છે. પહેલા એવું કહેવામાં આવી રહ્યું હતું કે આ ફિલ્મ માર્ચ 2020માં ફ્લોર પર જશે, પરંતુ કોરોનાના કારણે કરણ જોહરનો આ પ્રોજેક્ટ અટકી ગયો.

આ ફિલ્મ કરણના દિલની ખૂબ નજીક છે

આ ફિલ્મ વિશે એવી અફવાઓ પણ હતી કે આ ફિલ્મ હવે મુલતવી રાખવામાં આવી છે, પરંતુ હવે કરણ જોહરે તેની ફિલ્મ વિશે મોટી જાહેરાત કરી છે. કરણ જોહરે ખુલાસો કર્યો કે આ ફિલ્મ તેમના દિલની ખૂબ જ નજીક છે અને તે તેને જલ્દી પૂર્ણ કરશે. તેમણે ફિલ્મ ‘તખ્ત’ની તુલના તેમની પ્રખ્યાત ફિલ્મ ‘કભી ખુશી કભી ગમ’ સાથે કરી.

આ પરથી અંદાજ લગાવી શકાય છે કે કરણ જોહર માટે આ ફિલ્મનો અર્થ શું છે. એક ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું કે અમે શુટિંગ 24મી એપ્રિલથી શરુઆત કરવાના હતા, પરંતુ આપણા દેશમાં કોરોના મહામારીએ દસ્તક આપી હતી, જેના કારણે આ ફિલ્મ બનાવવામાં વિલંબ થયો. તેમણે કહ્યું કે આ એક ખૂબ જ મોટા બજેટની ફિલ્મ છે અને તેના સેટ પર હજારો લોકોની જરૂર પડશે.

પીરિયડ ફિલ્મ હૈ તખ્ત

ફિલ્મ પર વાત કરતા કરણ જોહરે કહ્યું કે તે એક પીરિયડ ફિલ્મ છે જે મુઘલ કાળ પર આધારિત હશે. આ એક પારિવારિક ફિલ્મ હશે જે મુઘલ કાળ દરમિયાન એક પરિવારના સંબંધો પર આધારિત હશે. તેણે કહ્યું કે હું રોકી ઔર રાની બનાવવા માટે ખૂબ જ ઉત્સાહિત હતો, પરંતુ ‘તખ્ત’નું નિર્માણ તેમના માટે એક જુનૂન જેવું છે. તેમણે કહ્યું કે તમે તમારા જુનૂનથી ભાગી શકતા નથી.

રોકી ઔર રાની તરીકેનો તેમનો ઉત્સાહ પૂર્ણ કર્યા બાદ તેઓ પોતાના જુનૂન તરફ પાછા આવશે. આ ફિલ્મ મુઘલ કાળ દરમિયાન સિંહાસન પર ઔરંગઝેબ અને તેના ભાઈ દારાશિકોહ વચ્ચેના સંબંધ પર આધારિત હશે. આ ફિલ્મે તેની સ્ટારકાસ્ટને કારણે ઘણી ચર્ચાઓ મેળવી છે. આ ફિલ્મમાં અનિલ કપૂર (Anil Kapoor), કરીના કપૂર (Kareena Kapoor), રણવીર સિંહ (Ranveer Singh), વિક્કી કૌશલ (Vicky Kaushal), આલિયા ભટ્ટ (Alia Bhatt) અને જ્હાનવી કપૂર (Janhvi Kapoor) મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

આ પણ વાંચો :- Shraddha Kapoorએ ડૂબતા સૂર્ય સાથે શેર કરી સુંદર તસ્વીરો, ઉંઘ ઉડાવી દે તેવી છે અભિનેત્રીની સ્ટાઈલ

આ પણ વાંચો :- તહેવાર પર મીઠાઈનો ભાવ જણાવવો Riteish Deshmukhને પડ્યો મોંઘો, સોશિયલ મીડિયા પર થયા ટ્રોલ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">