AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘The Kashmir Files’ને લઈને નવાઝુદ્દીન સિદ્દીકીએ વિવેક અગ્નિહોત્રી માટે કહી મોટી વાત

ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ' (The Kashmir Files) કાશ્મીરી પંડિતોની પીડા, વેદના, સંઘર્ષ અને આઘાતની હૃદયસ્પર્શી વાર્તા છે. અભિનેત્રી પ્રીતિ ઝિંટાએ (Preity Zinta) પણ આ ફિલ્મ જોયા બાદ વિવેક અગ્નિહોત્રીના વખાણ કર્યા હતા અને એક પોસ્ટ દ્વારા લોકોને અપીલ કરી હતી કે "મિત્રો આ ફિલ્મને ચૂકશો નહીં. 'ધ કાશ્મીર ફાઇલ્સ' અવશ્ય જોવી જોઈએ."

'The Kashmir Files'ને લઈને નવાઝુદ્દીન સિદ્દીકીએ વિવેક અગ્નિહોત્રી માટે કહી મોટી વાત
the kashmir files Image Credit source: instagram photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 28, 2022 | 12:53 PM
Share

11 માર્ચે રિલીઝ થયેલી ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ (The Kashmir Files) દેશભરમાં ભારે ચર્ચાનો વિષય બની છે. વિવેક અગ્નિહોત્રી (Vivek Agnihotri) દ્વારા નિર્દેશિત આ ફિલ્મ જોવા માટે લોકો થિયેટરોમાં ઉમટી રહ્યા છે. આ ફિલ્મે ઘણા રેકોર્ડ તોડ્યા છે અને તેણે 200 કરોડનો આંકડો પાર કર્યો છે. આ ફિલ્મમાં કાશ્મીરી પંડિતોની પીડા અને અત્યાચારને પડદા પર લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ફિલ્મ જોયા પછી લોકો પોતાના આંસુ પર કાબુ રાખી શકતા નથી.

ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ને લઈને દર્શકો બે ભાગમાં વહેંચાયેલા જોવા મળે છે. પ્રેક્ષકોનો એક વર્ગ આ ફિલ્મને સંપૂર્ણ સમર્થન આપી રહ્યો છે, જ્યારે અન્ય વર્ગ આ ફિલ્મના નિર્માણ પર હંગામો મચાવી રહ્યો છે અને ફિલ્મ નિર્દેશક વિવેક અગ્નિહોત્રીના વિરોધમાં બહાર આવ્યો છે. આ ફિલ્મને લઈને ઘણી જાણીતી હસ્તીઓએ પણ પોતાના મંતવ્યો આપ્યા છે. હવે નવાઝુદ્દીન સિદ્દીકીએ (Nawazuddin Siddiqui) આ મામલે વિવેક અગ્નિહોત્રીનું સમર્થન કર્યું છે.

બોલિવૂડના અમુક વર્ગ તરફથી ફિલ્મના વિરોધનો જવાબ આપતાં નવાઝુદ્દીને કહ્યું, “દરેક ફિલ્મ નિર્માતાને તેમની ફિલ્મની સત્ય ઘટનાઓ પર આધારિત વાર્તાઓ પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવાનો અધિકાર છે. ફિલ્મ બનાવવા માટે દરેક દિગ્દર્શકની પોતાની શૈલી અને અભિગમ હોય છે. વિવેકે જે રીતે આ ફિલ્મ બનાવી છે તે સારી છે. નવાઝુદ્દીને એમ પણ કહ્યું છે કે, તેણે હજી સુધી ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ જોઈ નથી, પરંતુ તે ચોક્કસ જોશે. કારણ કે લોકો તેને જોઈ રહ્યા છે.

પ્રીતિ ઝિંટાએ પણ લોકોને કરી અપીલ

આ પહેલા અભિનેત્રી પ્રીતિ ઝિંટાએ (Preity Zinta) પણ આ ફિલ્મ જોયા બાદ વિવેક અગ્નિહોત્રીના વખાણ કર્યા હતા અને એક પોસ્ટ દ્વારા લોકોને અપીલ કરી હતી કે “મિત્રો આ ફિલ્મને મિસ ન કરો. ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ અવશ્ય જોવી.” આ ફિલ્મમાં અનુપમ ખેર, મિથુન ચક્રવર્તી, દર્શન કુમાર, પલ્લવી જોશી વગેરે મહત્વની ભૂમિકામાં છે. ગુજરાત, ઉત્તર પ્રદેશ, ત્રિપુરા, ગોવા, હરિયાણા અને ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ને કરમુક્ત જાહેર કરવામાં આવી છે.

ફિલ્મને લઈને પલ્લવી જોશીએ કહી આ વાત

ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ કાશ્મીરી પંડિતોની પીડા, વેદના, સંઘર્ષ અને આઘાતની હૃદયસ્પર્શી વાર્તા છે. આ ફિલ્મ વિશે, દિગ્દર્શકની પત્ની પલ્લવી જોશીએ તાજેતરમાં કહ્યું હતું કે, “આ સત્ય આપણા બધાથી એવી રીતે છુપાયેલું હતું કે, જ્યારે અમે આ વાર્તા પહેલીવાર સાંભળી ત્યારે અમને વિશ્વાસ ન હતો કે આઝાદી પછી આપણા પોતાના જ દેશમાં પણ આવું કંઈક થઈ શકે છે. અમે રિસર્ચ કર્યું તો ખબર પડી કે આ બધું સાચું છે અને પછી અમને ખબર પડી કે કેટલા મોટા નરસંહારની વાર્તા આપણા બધાથી છુપાયેલી છે.

આ પણ વાંચો: The Kashmir Files Box Office Collection Day 16: વિવેક અગ્નિહોત્રીની ફિલ્મે આટલા કરોડની કરી કમાણી, વીકએન્ડમાં ફરી પૈસાનો વરસાદ થઈ શકે

આ પણ વાંચો: The Kashmir Files: તાપસી પન્નુએ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ના દિલથી વખાણ કર્યા, કહ્યું ફિલ્મ સારી હશે તો લોકો ચોક્કસ જોશે

Follow Us
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">