AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આથિયા શેટ્ટીની પ્રેગ્નેન્સી પર નજીકના મિત્રએ કર્યો ખુલાસો, સુનીલ શેટ્ટીની કોમેન્ટ બાદ સામે આવ્યું સત્ય

ડાન્સ દીવાનેમાં સુનીલ શેટ્ટીના એક સ્ટેટમેન્ટે ધૂમ મચાવી દીધી હતી. તેના શબ્દો વિશે એવી ચર્ચા હતી કે તે ટૂંક સમયમાં જ નાના બનવાના છે પરંતુ હવે એક નજીકના મિત્રએ સત્ય જાહેર કર્યું છે.

આથિયા શેટ્ટીની પ્રેગ્નેન્સી પર નજીકના મિત્રએ કર્યો ખુલાસો, સુનીલ શેટ્ટીની કોમેન્ટ બાદ સામે આવ્યું સત્ય
KL Rahul - athiya shetty
| Updated on: Apr 01, 2024 | 8:08 PM
Share

સુનીલ શેટ્ટી ડાન્સ રિયાલિટી શો ‘ડાન્સ દીવાને’માં જજ બન્યો છે. તેને શોમાં કંઈક એવું કહ્યું કે ત્યારપછી એવી અટકળો શરૂ થઈ ગઈ કે તેની દીકરી આથિયા શેટ્ટી જલ્દી જ માતા બનવા જઈ રહી છે. સુનીલ શેટ્ટીએ કહ્યું હતું કે જ્યારે તેઓ આવતા વર્ષે જજ તરીકે આવશે ત્યારે નાનાની જેમ સ્ટેજ પર આવશે. તેમના નિવેદન બાદ માનવામાં આવી રહ્યું હતું કે આથિયા અને કેએલ રાહુલ માતા-પિતા બનવાના છે. પરંતુ હાલના રિપોર્ટ મુજબ આ રિપોર્ટમાં કોઈ સત્ય નથી.

પ્રેગ્નેન્સીના સમાચાર સાચા નથી

આથિયા અને કેએલ રાહુલના લગ્નને એક વર્ષ થઈ ગયું છે. આવામાં સુનીલ શેટ્ટીના જવાબ પછી, ચર્ચાઓ શરૂ થઈ કે તેમના ઘરમાં કિલકારી ગુંજશે. અત્યાર સુધી કપલે આ વિશે મૌન જાળવી રાખ્યું છે અને કોઈ પુષ્ટિ મળી નથી. મીડિયા રિપોર્ટ મુજબ આ માત્ર અફવાઓ છે અને સાચી નથી.

હેરાન છે સુનીલ શેટ્ટી

એક નજીકના સૂત્રએ કહ્યું કે ‘આ ચર્ચામાં કોઈ સત્ય નથી. નાના બનવા વિશે સુનીલની કોમેન્ટનો અર્થ મજાક સમાન હતો. તેમના શબ્દોનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું હતું. સૂત્રએ વધુમાં કહ્યું, ‘તે માત્ર મજાકમાં વાતચીત હતી. સુનિલે આ વાત મજાકમાં કહી હતી. હવે તે પણ હેરાન છે કે બધાએ તેની કોમેન્ટ કેવી રીતે લીધી. તે આ ચર્ચા બિલકુલ ઈચ્છતો ન હતા. આ અજાણતા થયું. ઘણા લોકોએ આખી ક્લિપ જોઈ નથી અને માત્ર સોશિયલ મીડિયા યુઝર્સની પ્રતિક્રિયાઓના આધારે જ તેઓને ખાતરી થઈ છે. આ વાતથી તે હેરાન છે.

લાઈફ એન્જોય કરી રહ્યાં છે આથિયા અને કેએલ રાહુલ

સૂત્રએ ખુલાસો કર્યો છે કે ‘તે બંને સુખી લગ્ન જીવનનો આનંદ માણી રહ્યાં છે. તેઓ તેમના પરિવારને આગળ લઈ જવા માંગે છે પરંતુ હાલમાં તેઓ માત્ર જીવનનો આનંદ માણી રહ્યા છે. હાલમાં પ્રેગ્નેન્સીની અટકળોમાં કોઈ સત્ય નથી. જ્યારે પણ આવું થશે ત્યારે તેઓ તેની જાહેરાત કરશે અને પોતાની ખુશી દરેક સાથે શેર કરશે. પરિવાર આગળ આવશે અને શેર કરશે કારણ કે તે શેટ્ટી પરિવારનો સ્વભાવ છે. અત્યારે તેઓ ઈચ્છે છે કે આ મજાકને માત્ર મજાક તરીકે જ લેવામાં આવે.

આ પણ વાંચો: હું ધન્ય છું કે.. પિતા બોની કપૂરને કેવો લાગે છે જાહ્નવી કપૂરનો બોયફ્રેન્ડ શિખર પહાડિયા? જાણો શું કહ્યું

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">