AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Assembly Election Results: મણિપુરમાં JDUએ 6 બેઠકો જીતી, નીતિશ કુમારે જનતાનો આભાર વ્યક્ત કર્યો

મણિપુરમાં ભાજપે 32 બેઠકો જીતી છે. અહીં બહુમતનો આંકડો 31 છે. મણિપુરમાં કોંગ્રેસને 5 બેઠકો મળી છે જ્યારે NPFને 5 બેઠકો મળી છે. એનપીપીએ સાત બેઠકો જીતી છે. જ્યારે જેડીયુ 6 સીટો જીતવામાં સફળ રહી છે.

Assembly Election Results: મણિપુરમાં JDUએ 6 બેઠકો જીતી, નીતિશ કુમારે જનતાનો આભાર વ્યક્ત કર્યો
Bhiar CM Nitish Kumar - File Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 11, 2022 | 7:07 PM
Share

મણિપુર વિધાનસભા ચૂંટણીમાં (Manipur Assembly Elections) JDUએ 6 સીટો જીતી છે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે (Bhiar CM Nitish Kumar) આ માટે મણિપુરની જનતાને અભિનંદન પાઠવ્યા છે. મણિપુરના લોકોનો આભાર પણ વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે જેડીયુના વિજેતા ઉમેદવારો અને સમર્પિત કાર્યકરોને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ. મને ખાતરી છે કે વિજેતા ઉમેદવારો સંપૂર્ણ સમર્પણ અને સખત મહેનત સાથે મણિપુરના લોકોની સેવા કરશે. પાર્ટીએ અહીં 60 બેઠકોમાંથી કુલ 36 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા, JDUના તમામ ઉમેદવારોએ ભાજપના ઉમેદવારોને હરાવ્યા છે.

પાર્ટીની જીત પર JDU નેતા અને કેન્દ્રીય મંત્રી આરસીપી સિંહે ટ્વિટ કરીને મુખ્યમંત્રીના વખાણ કર્યા છે. આરસીપી સિંહે ટ્વીટ કર્યું કે, સીએમ નીતિશના સક્ષમ નેતૃત્વ હેઠળ જેડીયુએ સારું પ્રદર્શન કરીને મણિપુરમાં કુલ 6 બેઠકો જીતી છે. તેમણે વિજેતા ઉમેદવારોને પણ અભિનંદન પાઠવ્યા હતા.

મણિપુરમાં જેડીયુએ આ બેઠકો જીતી છે

મણિપુરમાં, જેડીયુએ જે બેઠકો જીતી છે તેમાં, ચર્ચાપુરથી અલ ખૌટેએ ભાજપના ઉમેદવારને 624 મતોથી હરાવ્યા છે. જીરીબામમાં મો. અચબુદ્દીને ભાજપના ઉમેદવારને 416 મતોથી હરાવ્યા હતા. લિલોંગમાં મો. અબ્દુલ નાસિરે ભાજપના ઉમેદવારને 570 મતોથી હરાવ્યા હતા. થંગમેઇબંદમાં ખુમકચમ જોઈકિસન સિંહે ભાજપના ઉમેદવારને 3773 મતોથી હરાવ્યા અને તિપૈમુખના નગુરસંગલુર સનાટેએ ભાજપના ઉમેદવારને 1249 મતોથી હરાવ્યા હતા.

ભાજપે 32 સીટો જીતી છે

મણિપુરમાં 28 ફેબ્રુઆરી અને 5 માર્ચે બે તબક્કામાં મતદાન થયું હતું. પહેલા તબક્કામાં 38 અને બીજા તબક્કામાં 22 બેઠકો પર મતદાન થયું હતું. મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહની હિંગાંગ બેઠક પરથી ચૂંટણી મેદાનમાં હતા. બીરેન સિંહ મણિપુરમાં ભાજપના પ્રથમ મુખ્યમંત્રી છે. મણિપુરમાં ભાજપે 32 બેઠકો જીતી છે. અહીં બહુમતનો આંકડો 31 છે. મણિપુરમાં કોંગ્રેસને 5 બેઠકો મળી છે જ્યારે NPFને 5 બેઠકો મળી છે. એનપીપીએ સાત બેઠકો જીતી છે. જ્યારે જેડીયુ 6 સીટો જીતવામાં સફળ રહી છે.

BJPએ ઈતિહાસ રચ્યો છે અને મણિપુરમાં પહેલીવાર બહુમતી સાથે સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે. 2017ની ચૂંટણીમાં ભાજપ સીટોની દ્રષ્ટિએ કોંગ્રેસ પછી બીજા નંબરની પાર્ટી હતી. તેમ છતાં, તેણે કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યો સાથે જોડાઈને સરકાર બનાવી અને એન બિરેન સિંહ રાજ્યના મુખ્યમંત્રી બન્યા. ચૂંટણી પહેલા મણિપુર ભાજપના અધ્યક્ષ એ શારદા દેવીએ કહ્યુ હતુ કે, તેની પાર્ટી 2022ની વિધાનસભા ચૂંટણીમાં કુલ 60 મતવિસ્તારોમાંથી 40 થી વધુ બેઠકો જીતશે.

આ પણ વાંચો : ખેડૂત નેતા રાકેશ ટિકૈતે પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામો પર તમામને અભિનંદન આપ્યા, કહ્યું- જનતાનો નિર્ણય સર્વોપરી

આ પણ વાંચો : West Bengal: કોંગ્રેસ પર નિર્ભર ન રહી શકીએ, સાથે મળીને ચૂંટણી લડવી પડશે, ચૂંટણીમાં ભાજપની જીત બાદ મમતા બેનર્જીનું નિવેદન

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">