AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahudha Election Result 2022 LIVE Updates : મહુધા વિધાનસભા બેઠક પર ભાજપના સંજયસિંહ મહિડાની જીત

Mahudha MLA Gujarat Vidhan Sabha Election Result 2022 LIVE Updates in Gujarati : 2017ની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રજીતસિંહને 78,006 મત મળ્યા હતા. જ્યારે ભાજપના ઉમેદવાર ભરતસિંહ 64,405 મત મળ્યા હતા. આમ, કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રજીતસિંહ જીત્યા હતા. મહુધા વિધાનસભા બેઠક પર ભાજપના સંજયસિંહ મહિડાની 12 હજારથી વધુ મતથી જીત થઈ છે, જ્યારે કોંગ્રેસના ઈન્દ્રજીતસિંહ ઠાકોરની હાર થઈ છે.

Mahudha Election Result 2022 LIVE Updates : મહુધા વિધાનસભા બેઠક પર ભાજપના સંજયસિંહ મહિડાની જીત
Mahudha Election Result 2022
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 08, 2022 | 7:00 PM
Share

ગુજરાતની મહુધા બેઠકનું પરિણામ 2022 LIVE Updates: Gujarat Election Result મહુધા વિધાનસભા બેઠક પર ભાજપના સંજયસિંહ મહિડાની 12 હજારથી વધુ મતથી જીત થઈ છે, જ્યારે કોંગ્રેસના ઈન્દ્રજીતસિંહ ઠાકોરની હાર થઈ છે. મહુધા બેઠક ઉપરથી ભાજપે સંજયસિંહ મહીડાને ટિકિટ આપી છે. જેમણે ધોરણ-10 પાસ સુધીનો અભ્યાસ કર્યો છે તેમજ તેમની પાસે સ્થાવર મિલકત 3.2 કરોડ છે અને જંગમ મિલકત 74,87,501.82 છે. હાથ પર રોકડ રકમ કુલ 1,00,000 છે તો કોંગ્રેસે ઈન્દ્રજીતસિંહ પરમારને ટિકિટ આપી છે. જેમણે BA, LLB સુધીનો અભ્યાસ કરેલો છે અને જંગમ મિલકત 21,55,000 છે. હાથ પર રોકડ રકમ કુલ 3,00,000 છે. ત્યારે આમ આદમી પાર્ટીએ રવજીભાઈ વાઘેલાને ટિકિટ આપી છે. જેમણે ધોરણ-10 સુધીનો અભ્યાસ કરેલો છે અને તેમની પાસે જંગમ મિલકત 10,54,151 છે. હાથ પર રોકડ રકમ કુલ 50,000 છે.

કઈ બેઠક કોની પાસે હતી..?

ગત 2017ની વિધાનસભા ચૂંટણીમાં મહુધા બેઠક પર કોંગ્રેસે ઇન્દ્રજીતસિંહ નટવરસિંહ પરમારને ટિકિટ આપી હતી. જ્યારે ભારતીય જનતા પાર્ટીએ ભરતસિંહ રાયસિંગ પરમારને ઉભા રાખ્યા હતા. આ ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રજીતસિંહને 78,006 મત મળ્યા હતા. જ્યારે ભાજપના ઉમેદવાર ભરતસિંહ 64,405 મત મળ્યા હતા. આમ, કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રજીતસિંહ જીત્યા હતા.

રાજકીય સમીકરણ

2017ની ચૂંટણીમાં મહુધા બેઠક પરથી ભાજપનો પરાજય થયા બાદ ભરતસિંહ પરમારે ભાજપમાંથી રાજીનામું આપી દીધું હતું. તેઓ ચૂંટણીના થોડાં સમય પહેલા જ ભાજપમાં જોડાયા હતા. તેમની સાથે કોંગ્રેસના અનેક કાર્યકરોએ પણ પક્ષ પલટો કર્યો હતો. ભરતસિંહ પરમારની મહુધા બેઠક પર હાર થઈ હતી.

કુલ મતદારો

મહુધા વિધાનસભા બેઠકનો સમાવેશ ગુજરાતની 182 વિધાનસભા બેઠકોમાં કરવામાં આવે છે. આ બેઠકના કુલ મતદારોની વાત કરીએ તો વર્ષ 2017માં કુલ 2,23,910 મતદારો હતા. જેના સરખામણીએ વર્ષ 2022માં મહુધા મતદાર ક્ષેત્રમાં કુલ 2,47,443 મતદારો છે. જેમાં 1,27,102 પુરૂષ, 1,20,337 મહિલા અને 04 અન્ય મતદારો છે.

છેલ્લી વિધાનસભા ચૂંટણીઓના પરિણામો

આ બેઠક પર 1967થી ચૂંટણી થઈ રહી છે અને ભાજપ પક્ષ અત્યાર સુધી એક પણ વાર જીતી શક્યો નથી. 1985થી આ બેઠક સતત કોંગ્રેસના નામે રહી છે. આમ કહેવું હોય તો કહી શકાય કે તે કોંગ્રેસનો ગઢ રહી છે. વર્ષ 2017માં પણ કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રજીતસિંહ જીત્યા હતા.

આ પણ વાંચો:

ગુજરાત વિધાનસભા ચૂંટણી લાઈવ અપડેટ

ગુજરાત ચૂંટણી પરિણામ 2022 એલાયન્સ પાર્ટી વાઈઝ ટેલી લાઈવ

25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">