AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Election 2022: એક એવી બેઠક જ્યાં મહિલા મતદારો બનશે નિર્ણાયક, અહીં ખાસ 7 પોલિંગ સ્ટેશનની કરાઇ રચના

ગુજરાત રાજ્યમાં આવેલી 182 વિધાનસભા બેઠકો પૈકીની આ 177 નંબરની બેઠક છે. આ બેઠક અનુસૂચિત જનજાતિના સભ્ય માટે અનામત રાખવામાં આવી છે. કોંગ્રેસનું ગઢ ગણાતી આ વિધાનસભા બેઠક વિસ્તારમાં કુલ 141 ગામો આવેલા છે.

Gujarat Election 2022: એક એવી બેઠક જ્યાં મહિલા મતદારો બનશે નિર્ણાયક, અહીં ખાસ 7 પોલિંગ સ્ટેશનની કરાઇ રચના
ગુજરાતની આ બેઠક પર મહિલા મતદારો નિર્ણાયકImage Credit source: પ્રતિકાત્મક તસવીર
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 13, 2022 | 9:11 AM
Share

ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022 : વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે વાત કરીએ એક એવી બેઠકની જ્યાં મહિલા મતદારોનું વર્ચસ્વ છે. એક એવી બેઠક જ્યાં મહિલાઓના મત નિર્ણાયક રહેશે. વાત છે નવસારીની વાંસદા બેઠકની જ્યાં પુરૂષ કરતા મહિલા મતદારો વધારે છે. સામાન્ય રીતે જાતીય અસમાનતાના કારણે મોટાભાગના સ્થળો પર મહિલા કરતા પુરૂષ મતદારો વધારે જોવા મળતા હોય છે. પરંતુ વાંસદા બેઠક પર પુરૂષ કરતા મહિલા મતદારોની સંખ્યા 5 હજારથી વધુ છે. તંત્ર દ્વારા મળતી માહિતી મુજબ, વાંસદા તાલુકામાં 1 લાખ 47 હજાર 146 પુરૂષ મતદારો છે. જ્યારે 1 લાખ 52 હજાર 399 મહિલા મતદારો છે. જે આદિવાસી વિસ્તાર અને ST બેઠક માટે નિર્ણાયક સાબિત થશે. વાંસદામાં 7 જેટલા સખી પોલિંગ સ્ટેશનની રચના કરવામાં આવી છે. આ 7 સખી પોલિંગ સ્ટેશનમાં મહિલાઓ ફરજ બજાવશે.

ગુજરાત ઇલેકશન 2022 :રાજકીય ઈતિહાસ

1962થી 2017 સુધી વાંસદા વિધાનસભામાં 13 વખત ચૂંટણી યોજાઈ છે. વાંસદા બેઠકને કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. અહીં 13 પૈકી 10 ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થયો છે. 1962થી 2002 સુધી કોંગ્રેસનો દબદબો રહ્યો. અત્યાર સુધી વાંસદા બેઠક પર ભાજપ માત્ર 1 વખત જ જીત્યું છે. 2007માં કોંગ્રેસના ગઢમાં ભાજપે ગાબડું પાડ્યું હતુ. 2012માં કોંગ્રેસે ફરી ભાજપ પાસેથી બેઠક આંચકી લીધી હતી. 2017ની ચૂંટણીમાં અનંત પટેલ કોંગ્રેસમાંથી જીત્યા હતા.

વાંસદા બેઠક 1962ની પહેલી વિધાનસભા ચૂંટણી વખતથી જ અસ્તિત્વમાં આવી હતી. છેલ્લી 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના અનંત પટેલ ભાજપના ગણપત મહલા સામે 18,393 મતોની સરસાઈથી વિજેતા થયા હતા. વાંસદામાં સૌથી મોટો વિજય 2012ની ચૂંટણીમાં કોંગ્રેસના છનાભાઈ ચૌધરીએ 25,616 મતોથી મેળવ્યો હતો. દક્ષિણ ગુજરાતમાં આદિવાસીઓ માટે અહીંના ધારાસભ્ય અનંત પટેલે સરકાર વિરુદ્ધ અનેક આંદોલનો છેડીને આદિવાસીઓની જમીન બચાવવા સતત મહેનત કરી છે તો વર્ષોથી કોંગ્રેસનો ગઢ એવી વાંસદા બેઠક માટે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે પણ અંગત રસ દાખવ્યો છે અને વાંસદા વિધાનસભા જીતાડવાની વાત સાથે રાજકીય દત્તક લીધાની જાહેરાત કરી છે.

ગુજરાત ઇલેકશન 2022 :વાંસદામાં કયા વર્ષની ચૂંટણીમાં કોણ જીત્યું ?

વર્ષ ધારાસભ્ય  રાજકીય પક્ષ
2017 અનંત પટેલ કોંગ્રેસ
2012 છનાભાઈ ચૌધરી કોંગ્રેસ
2007 વિજયભાઈ પટેલ ભાજપ
2002 માધુભાઈ ભોયે કોંગ્રેસ
1998 માધુભાઈ ભોયે કોંગ્રેસ
1995 માધુભાઈ ભોયે કોંગ્રેસ

વાંસદા વિધાનસભામાં મતદારો

વાંસદા વિધાનસભા બેઠક પર વર્ષ 2022 મુજબ કુલ 295850 મતદારો છે. જેમાંથી 145707 પુરુષ મતદારો અને 150143 મહિલા મતદારો છે.

 ગુજરાત ઇલેકશન 2022 : જાતિગત સમીકરણ

ગુજરાત રાજ્યમાં આવેલી 182 વિધાનસભા બેઠકો પૈકીની 177 નંબરની બેઠક વાંસદા છે. આ બેઠક અનુસૂચિત જનજાતિના સભ્ય માટે અનામત રાખવામાં આવી છે. કોંગ્રેસનું ગઢ ગણાતી વાંસદા વિધાનસભા બેઠક વિસ્તારમાં કુલ 141 ગામો આવેલા છે. જેમાં વાંસદા તાલુકાના 95 ગામો, ચીખલી તાલુકાના 36 ગામો અને ખેરગામ તાલુકાના 5 ગામોનો સમાવેશ થાય છે. વાંસદા તાલુકામાં 90 ટકાથી વધારે વસ્તી આદિવાસી લોકોની છે. જેમાં ઢોડિયા પટેલ અને કુકણા પટેલનો સમાવેશ થાય છે.

"ક્લબિંગ પણ કરે છે અને ભજન પણ ગાય છે": RSS પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકર
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
g clip-path="url(#clip0_868_265)">