CBSE Board Exam 2024 : આ વિદ્યાર્થીઓને પરીક્ષામાં છૂટ મળશે, સેન્ટર પર લઈ જઈ શકે છે ફળો સહિતની આ વસ્તુઓ

CBSE Board Exam 2024 : સીબીએસઈ બોર્ડની પરીક્ષા 2024 15 ફેબ્રુઆરીથી લેવામાં આવશે. પરીક્ષા CBSE દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઈડલાઈન્સ હેઠળ લેવામાં આવશે. ચાલો જાણીએ કે, બોર્ડ દ્વારા ક્યા વિદ્યાર્થીઓને પરીક્ષામાં ફળ વગેરે લઈ જવાની પરવાનગી આપવામાં આવી છે.

CBSE Board Exam 2024 : આ વિદ્યાર્થીઓને પરીક્ષામાં છૂટ મળશે, સેન્ટર પર લઈ જઈ શકે છે ફળો સહિતની આ વસ્તુઓ
CBSE Board Exam 2024
Follow Us:
| Updated on: Feb 10, 2024 | 2:50 PM

CBSE બોર્ડની પરીક્ષા 15 ફેબ્રુઆરી 2024થી લેવામાં આવશે. એક્ઝામનું આયોજન CBSE દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઈડલાઈન્સ મુજબ કરવામાં આવશે. ચાલો જાણીએ કે બોર્ડ દ્વારા કયા વિદ્યાર્થીઓને પરીક્ષામાં ફળ વગેરે લઈ જવાની પરવાનગી આપવામાં આવી છે.

એક્ઝામ હોલ ટિકિટ ડાઉનલોડ કરી લેવી

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનની 10મી અને 12મી બોર્ડની પરીક્ષાઓ 15 ફેબ્રુઆરી 2024થી લેવામાં આવશે. એડમિટ કાર્ડ પણ આપવામાં આવ્યા છે. નિયમિત વિદ્યાર્થીઓ તેમની સંબંધિત શાળાઓમાંથી હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકે છે. જ્યારે ખાનગી વિદ્યાર્થીઓએ CBSEની ઓફિશિયલ વેબસાઇટ પરથી એક્ઝામ હોલ ટિકિટ ડાઉનલોડ કરવાની રહેશે. ચાલો જાણીએ કે પરીક્ષા દરમિયાન CBSE દ્વારા કયા વિદ્યાર્થીઓને છૂટ આપવામાં આવી છે.

પારદર્શક બેગમાં સામાન લઈ જવાની મંજૂરી

બોર્ડે ડાયાબિટીસથી પીડિત વિદ્યાર્થીઓને ફળો, પાણીની બોટલ, ગ્લુકોમીટર કેન્દ્રમાં લઈ જવાની મંજૂરી આપી છે. સીબીએસઈ દ્વારા 8 ફેબ્રુઆરીએ બહાર પાડવામાં આવેલી નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, વિદ્યાર્થીઓને પારદર્શક બેગમાં સામાન લઈ જવાની મંજૂરી આપવામાં આવશે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

આ વસ્તુઓ લઈ જવાની છૂટ છે

  • સુગરની ગોળીઓ, ચોકલેટ, કેન્ડી
  • કેળા, સફરજન, નારંગી જેવા ફળો
  • નાસ્તાની વસ્તુઓ જેમ કે સેન્ડવીચ અને કોઈપણ ઉચ્ચ પ્રોટીન ખોરાક
  • ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન મુજબ જરૂરી દવાઓ
  • પાણીની બોટલ (500 મિલી)
  • ગ્લુકોમીટર અને ગ્લુકોઝ ટેસ્ટ સ્ટ્રીપ્સ
  • ગ્લુકોઝ મોનિટરિંગ (CGM) મશીન, ફ્લેશ ગ્લુકોઝ મોનિટરિંગ (FGM) મશીન અને ઇન્સ્યુલિન પંપ

ડાયાબિટીસના વિદ્યાર્થીઓએ આ માહિતી આપવાની રહેશે

રજીસ્ટર કરતી વખતે અથવા સબમિટ કરતી વખતે વિદ્યાર્થીઓ માહિતી આપશે કે, તેઓ ટાઇપ-1 ડાયાબિટીસથી પીડિત છે. વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષાઓમાં સુવિધાઓ મેળવવા માટે પોર્ટલ પર અમુક ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના રહેશે. જેમાં પરીક્ષા દરમિયાન CGM/FGM/ઇન્સ્યુલિન પંપ વગેરે માટે તબીબી નિષ્ણાતની ભલામણોનો સમાવેશ થાય છે.

આ સુવિધાઓનો લાભ લેવા માટે શાળા/વિદ્યાર્થી/વાલીએ CBSE દ્વારા જાહેર કરાયેલા ટાઈમટેબલ મુજબ અરજી કરવાની રહેશે. શેડ્યૂલ સમાપ્ત થયા પછી કોઈપણ વિનંતીને ધ્યાનમાં લેવામાં આવશે નહીં.

45 મિનિટ પહેલા પરીક્ષા કેન્દ્ર પર પહોંચવું

તમને જણાવી દઈએ કે, પરીક્ષાના દિવસે પણ વિદ્યાર્થીઓ સવારે 9.45 વાગ્યા સુધીમાં એક્ઝામ શરૂ થવાના ઓછામાં ઓછા 45 મિનિટ પહેલા પરીક્ષા કેન્દ્ર પર પહોંચી જવું પડશે. તમામ અરજીઓ/વિનંતી શાળા દ્વારા નિયત ડોક્યુમેન્ટ્સ સાથે મોકલવામાં આવશે. વિદ્યાર્થી દ્વારા સીબીએસઈને કરવામાં આવેલી કોઈપણ સીધી વિનંતીને ધ્યાનમાં લેવામાં આવશે નહીં.

આ સંબંધમાં વધુ માહિતી માટે તમે CBSE દ્વારા જાહેર કરાયેલી નોટિસને ચેક શકો છો. બોર્ડની પરીક્ષા CBSE દ્વારા જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકા અનુસાર જ લેવામાં આવશે. તમામ ઉમેદવારોએ જાહેર કરાયેલી માર્ગદર્શિકાનું ફરજિયાતપણે પાલન કરવાનું રહેશે.

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">