ટકાઉ ખેતીથી આ મહિલા ખેડૂતનું જીવન બદલાયું, જાણો આ પદ્ધતિમાં કેવી રીતે થાય છે ખેતી

આ પદ્ધતિથી ખેતીમાં મળેલી સફળતા બાદ તે વિસ્તારના ખેડૂતો માટે પ્રેરણાસ્ત્રોત બની છે. તે સેંકડો ખેડૂતોને સરકારી યોજનાઓ અને કૃષિ તકનીકો વિશે સલાહ આપે છે. તેમના કામથી પ્રભાવિત થઈને સરકારે ઘણા એવોર્ડ પણ આપ્યા છે.

ટકાઉ ખેતીથી આ મહિલા ખેડૂતનું જીવન બદલાયું, જાણો આ પદ્ધતિમાં કેવી રીતે થાય છે ખેતી
Symbolic Image
| Edited By: | Updated on: Nov 21, 2021 | 4:10 PM

કર્ણાટકની એક મહિલા ખેડૂત (Farmer) ટકાઉ ખેતી (Sustainable farming) કરીને મોટો ફેરફાર કરી રહી છે. આ પદ્ધતિથી ખેતીએ તેમને ગરીબીમાંથી બહાર લાવી દીધા છે. આ પદ્ધતિથી ખેતીમાં મળેલી સફળતા બાદ તે વિસ્તારના ખેડૂતો માટે પ્રેરણાસ્ત્રોત બની છે. તે સેંકડો ખેડૂતોને સરકારી યોજનાઓ અને કૃષિ તકનીકો (Agricultural techniques) વિશે સલાહ આપે છે. તેમના કામથી પ્રભાવિત થઈને સરકારે ઘણા એવોર્ડ પણ આપ્યા છે.

 

અનિતા એક આદિવાસી મહિલા છે. તે કર્ણાટક (Karnataka)ના બેતમપડી ગામમાં રહે છે. તેમનું જીવન ગરીબીમાં પસાર થયું છે. તેમની પાસે ચાર એકરથી વધુ જમીન હતી અને તેમાંથી પરિવારનું ગુજરાન ચાલતું હતું. સામાન્ય રીતે તેઓ તેમના ખેતરોમાં નાળિયેર, સુપારી, કાળા મરી, ડાંગર અને શાકભાજીની ખેતી કરતા હતા.

 

ટકાઉ ખેતીને કારણે જીવનધોરણમાં સુધારો થયો

આ સાથે તેણે પશુપાલન પણ કર્યું. ગાય, બકરા ઉપરાંત તેની પાસે મરઘા પણ હતા. આદિવાસી વિસ્તારોમાં ખેતી કરવાનો આ રિવાજ છે. પરંતુ સમસ્યા એ હતી કે આટલા બધા પાક અને પશુપાલન કર્યા પછી પણ અનિતાની કમાણી ઘણી ઓછી હતી. માહિતીના અભાવે તેઓ કૃષિ સંસાધનોનો યોગ્ય રીતે ઉપયોગ કરતા ન હતા. આ દરમિયાન, તેને ટકાઉ ખેતી પદ્ધતિઓ વિશે જાણ થઈ.

 

આ એક પદ્ધતિ છે જે કૃષિ સંસાધનોના મહત્તમ ઉપયોગ પર ભાર મૂકે છે. આ પદ્ધતિથી ખેતીનો ખર્ચ ઓછો થાય છે અને સજીવ ખેતીને પ્રોત્સાહન મળે છે. ગ્રામીણ સ્વૈચ્છિક સંસ્થા ઉપરાંત, દક્ષિણ કન્નડના કૃષિ વિજ્ઞાન કેન્દ્રે પણ આ પદ્ધતિને વધારવામાં મદદ કરી છે.

 

માહિતી મેળવ્યા પછી અનિતાએ આ પદ્ધતિ વિશે વધુને વધુ શીખવાનું શરૂ કર્યું અને તેના દિવસો બદલાવા લાગ્યા. આજે તે એક NGOની સક્રિય સભ્ય છે અને ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન આપી રહી છે. અનિતા ટકાઉ રીતે ખેતી કરીને વિસ્તારના ખેડૂતો માટે પ્રેરણારૂપ બની છે. તે ભારત અને કર્ણાટક સરકારની તમામ યોજનાઓ સાથે સંકળાયેલી છે અને ખેડૂતોને તેમના વિશે માહિતી આપવાનું પણ કામ કરે છે.

 

કમાણીનો અવકાશ વધ્યો

હાલમાં તે 400 ખેડૂતને સલાહ આપવાનું કામ કરી રહી છે અને તેને 80 ખેડૂત સાથે સ્વ-સહાય જૂથ પણ બનાવ્યું છે. આ જૂથ જરૂરિયાતમંદ ખેડૂતોને આર્થિક મદદ કરે છે. અનિતાએ વરસાદી પાણીનો સંગ્રહ, ફાર્મ મિકેનાઈઝેશન, માટી પરીક્ષણ આધારિત ખેતી, ઘાસચારો ઉત્પાદન, બકરી ઉછેર, દૂધ ઉત્પાદન, મરઘાં ઉછેર અને ટપક સિંચાઈ તકનીકો અપનાવી છે.

 

આ પ્રકારની ખેતી પદ્ધતિ અપનાવીને અનિતાએ પશુપાલનમાંથી 3 લાખ રૂપિયા, શાકભાજીમાંથી 2 લાખ 60 હજાર રૂપિયા, ડાંગરમાંથી 45 હજાર રૂપિયા, વર્મી કમ્પોસ્ટમાંથી 1 લાખ રૂપિયા અને ગાયના છાણમાંથી 50 હજાર રૂપિયાની કમાણી કરી છે. ટકાઉ રીતે ખેતી કરનાર અને ખેડૂતોને શિક્ષિત કરનાર અનીતાને જિલ્લા કક્ષાના ઘણા એવોર્ડ મળ્યા છે.

 

આ પણ વાંચો: ડુંગળીના પાકમાં દેશી દારૂનો ઉપયોગ કેટલો અસરકારક! જાણો આ દેશી ઉપાયથી ફાયદો થાય છે કે નુકસાન?

 

આ પણ વાંચો: કેવી રીતે એક નાનો અણુ એક કોષને મોટા વૃક્ષમાં ફેરવે છે ? વૈજ્ઞાનિકોએ ઉકેલ્યું છોડની વૃદ્ધિનું 50 વર્ષ જૂનું રહસ્ય